SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આત્મા જ્ઞાનસ્વરૂપ થઈને” ( અર્થાત્ ) જ્ઞાયક છે તે જ્ઞાયકસ્વરૂપ થઈને” દ્રવ્યસ્વભાવ! ગુણસ્વભાવ! જ્ઞાયકસ્વભાવ! સર્વજ્ઞસ્વભાવ હોવાથી જેની શક્તિ જ પોતે પોતાને ત્રિકાળીને પોતાથી “જાણે ને દેખે” એવો એનો સ્વભાવ છે. ત્રિકાળજ્ઞાનદર્શનનો, ત્રિકાળી પોતાના સ્વરૂપને જાણવા-દેખવાનો સ્વભાવ છે! એ... જયારે પર્યાયમાં આ તો ગુણમાં વાત કરી, હવે પર્યાયમાં જ્ઞાન થયું એનો પણ સર્વને ગ્રામીભૂત કરવાનો સ્વભાવ છે. શું કહ્યું છે..? કે જે આત્માનો ત્રિકાળી જ્ઞાનદર્શન જે સ્વભાવ છે એ પોતાના ત્રિકાળીને જાણવા-દેખવાનું, શક્તિવાળું એ તત્ત્વ છે! આહા! “નિયમસાર” માં આવ્યું છે ને. એ ત્રિકાળી જ્ઞાનદર્શન ને ત્રિકાળીદ્રવ્યને, જ્ઞાનદર્શન-જાણવા-દેખવાના સ્વભાવવાળું છે. એ જયારે પર્યાયમાં પ્રગટ થાય તસ્વરૂપ ! રાગથી ભિન્ન પડી સ્વભાવની દૃષ્ટિ થઈ ને આત્માનો આશ્રય આવ્યો ત્યારે જે પર્યાય પ્રગટ થાય છે મોક્ષના માર્ગની, એ જીવનું વ્યાપ્ય નામ કાર્ય છે. આ વ્યવહારરત્નત્રય એ જીવનું કાર્ય નહીં. આહાહા... નવરંગભાઈ ! આવું છે!! છે એમાં? આહા“વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય.” અરે ભગવાન ! શાસ્ત્રમાં કહ્યું છે ને એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે (એને નિશ્ચય સમજીશ) તો એ તત્ત્વનો વિરોધ થઈ જશે! આહા! આ આત્મા જ્ઞાનસ્વરૂપ થઈને,” આ પર્યાયની વાત છે હોં! એ ભગવાન જ્ઞાયકસ્વરૂપ તો છે! પણ હવે પર્યાયમાં “જ્ઞાનસ્વરૂપ થઈને” “તે કાળે” કર્તુત્વરહિત થયેલો શોભે છે.” “જાણવાના” પરિણામ જે થયા તે પરિણામ થયો થકો-પરિણામરૂપે થયો થકો એમ. રાગરૂપે થયો થકો નહીં. તસ્વરૂપે જ્ઞાનપરિણામરૂપે થયો થકો થઈને તેકાળે- તેજ સમયે” એમ. “કર્તુત્વ રહિત થયેલો શોભે છે.” – રાગના કાર્યના કર્તા રહિત થઈને જ્ઞાનસ્વરૂપ થઈને શોભે છે! બહુ ગાથા સારી આવી છે, પ્રેમચંદભાઈ ! તમે લંડનથી આવ્યાને લંડનમાં વાંચે છે. એક કળશમાં કેટલું નાખ્યું છે!! આહા! એક, એક ગાથા ને...! એક, એક પદને...! એક, એક કળશ !! આખું સ્વરૂપ ભરી દેવાની તાકાત છે!! આહાહા... ભાવાર્થ: “જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક” (એટલે કે, દરેક અવસ્થામાં રહેલો હોય તેને વ્યાપક કહીએ. અને કોઈ એક અવસ્થા વિશેષ ખાસ તે વ્યાપકનું વ્યાપ્ય-કાર્ય કહીએ. આત્મા જ્ઞાયક ! એની દરેક અવસ્થામાં વ્યાપક છે અને તેની જ્ઞાન પર્યાય તેનું વ્યાપ્ય છે. અવસ્થાવિશેષ-અવસ્થા ઈ એનું કાર્ય છે. વ્યાપક જ્ઞાયક ત્રિકાળી બધી અવસ્થામાં વ્યાપનારો છે અને કોઈ એક જ અવસ્થા તેને વિશેષ પર્યાય છે-કહે છે વ્યાપ્ય કહે છે. એ વ્યાપક બધી અવસ્થામાં વ્યાપનારો જ્ઞાનની પર્યાયમાં વ્યાપે છે. આહાહાહા.... સમજાણું કાંઈ..? આહા! “આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે” આંહી તો દ્રવ્યને સિદ્ધ અત્યારે કરવું છે ને પરથી ભિન્ન! “દ્રવ્ય તો વ્યાપક છે' આત્મા જ્ઞાયકદ્રવ્ય તો વ્યાપક છે! “અને પર્યાય વ્યાપ્ય છે” એ મોક્ષમાર્ગની જે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પર્યાય એ વ્યાપ્ય છે, કાર્ય છે. આહાહાહા! ઈ જ્ઞાયક છે તે કારણે પરમાત્મા છે, દરેક અવસ્થામાં ઈ હોય છે અને અવસ્થાએકસમયનું વિશેષ તે તેનું કાર્ય છે. દ્રવ્ય વ્યાપક છે ને પર્યાય વ્યાપ્ય છે. નિર્મળ પર્યાય વ્યાપ્ય છે ઈ કહેવું છે હોં ! રાગ એનું વ્યાપ્ય છે ઈ આંહી છે નહીં. ઈ પુદગલમાં જાય છે. આહાહા !
SR No.008308
Book TitleSamaysara Siddhi 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy