SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પ્રવચન નં. ૧૬૨ ગાથા-૭૫ તા. ૦૭/૦૧/૭૯ રવિવાર પોષ સુદ-૧૦ શ્રી સમયસાર ગાથા-૭૫. અહીં સુધી તો આવ્યું છે. આત્મામાં- જ્ઞાની કેમ ઓળખાય એ પ્રશ્ન છે. આ જીવને જ્ઞાન થયું કે સમ્યક્ થયું એના એંધાણ શું એના લક્ષણ શું એના ચિન્હ શું ? એમ પ્રશ્ન કરવામાં આવ્યો છે. એના ઉત્તરમાં અહીંયા કહ્યું. k છેલ્લું – “સમસ્ત કર્મનોકર્મ પુદ્ગલ પરિણામ” નીચેથી છે. જેટલા આત્મામાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના ભાવ થાય એ બધા પરિણામ પુદ્ગલના છે. કેમકે અહીંયા આત્મા છે એ તો અનંતગુણનો પિંડ પ્રભુ તેમાં કોઈ ગુણ વિકાર કરે એવો ગુણ નથી. તેથી અનંતગુણ જે શુદ્ધ છે તેનું જેને જ્ઞાન થયું ભાન, એ જીવને એનું કાર્ય-રાગ એનું કાર્ય નહીં. કેમ કે દ્રવ્ય જે સ્વભાવ છે એ શુદ્ધ ચૈતન્ય પવિત્ર સ્વભાવથી ભરેલો ભગવાન એની જેને દ્રષ્ટિ થઈ છે તેને શુદ્ધ પરિણામનો કર્તા એ કહેવાય એ ઉપચારથી. શુદ્ધપરિણામ જે સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રના એ પરિણામને સ્વભાવની દ્રષ્ટિવંતને ઉપચારથી કર્તા કહેવાય અને એ શુદ્ઘપરિણામ ઉપચારથી તેનું કાર્ય કહેવાય. ભેદ પડયો ને ? ખરેખર તો એ શુદ્ધપરિણામ જે છે શુદ્ધ ચૈતન્ય દ્રવ્યની દૃષ્ટિ થતાં, જે શુદ્ધ પરિણામ છે તે ષટ્કા૨કરૂપે પરિણમતા ઉભા થાય છે. આહાહા ! શું કહ્યું ઈ ? શુદ્ધદ્રવ્ય ને શુદ્ધગુણસ્વભાવ છે એવી દૃષ્ટિ થઈ તો એ દૃષ્ટિના જે પરિણામ છે એ ખરેખર તો ષટ્કા૨કપણે પરિણમતા ઉત્પન્ન થાય છે એ પરિણામને દ્રવ્યગુણની અપેક્ષા નથી. નિમિત્તની અપેક્ષા નથી. ઝીણું છે ભાઈ. અજ્ઞાનમાં પુણ્ય અને પાપના ભાવ અશુદ્ઘનિશ્ચયથી એટલો વ્યવહા૨ તે એની પર્યાયમાં છે. અને તેના જન્મક્ષણે તે કાળે વિકાર તેમાં થાય તે ઉત્પન્ન થાય તેનો અજ્ઞાની કર્તા છે અને અજ્ઞાનીનું તેમાં તે કાર્ય છે, કેમકે એને દ્રવ્યસ્વભાવ જે ગુણ પવિત્ર છે એની દૃષ્ટિ થઈ નથી. અને દૃષ્ટિ ત્યાં રાગના પરિણામ ઉપર હોવાથી, અજ્ઞાની રાગનો કર્તા અને રાગ તેનું કાર્ય અને ખરેખર તો રાગનું કાર્ય પર્યાયનું છે એનો કર્તા રાગ છે. રાગનો કર્તા રાગ છે, રાગનું કાર્ય રાગ છે; રાગનું સાધન રાગ છે. જેની દૃષ્ટિ રાગ ઉ૫૨ અને વિકાર ઉ૫૨ છે તેના પરિણામ વિકારના ષટ્કારકપણે પરિણમતા ઉત્પન્ન થાય છે. જેની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર છે. આહાહા ! ભગવાન આત્મા શુદ્ધ અનંત અનંત અનંતનો પાર નહીં એટલા ગુણો પણ તે કોઈ ગુણો વિકા૨ને ક૨ે એવો કોઈ ગુણ નથી. તેથી તે ગુણના ધ૨ના૨ દ્રવ્યને જેણે દૃષ્ટિમાં લીધું તેનું કાર્ય દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ એનું કાર્ય નથી. એ પુદ્ગલ સ્વતંત્રપણે કર્તા થઈને, કર્મ સ્વતંત્રપણે કર્તા થઈને એ વિકા૨ી પરિણામનું કર્મ કાર્ય તેનું છે. ચંદુભાઈ ! આવું છે આ. એકકો૨ એમ કહેવું કે અશુદ્ધ ઉપાદાનથી વિકાર જીવમાં થાય એ તો એની પર્યાયની સિદ્ધિ કરવા પણ જ્યારે આત્માની દૃષ્ટિ જ્યાં પર્યાય ઉ૫૨થી હટી અને જે પર્યાય જ્ઞાનની છે તેને અંતર-તળિયામાં લઈ જઈ, ધ્રુવમાં લઈ જઈને અનુભવ થયો, તેને દૃષ્ટિના વિષયમાં જે દ્રવ્ય
SR No.008308
Book TitleSamaysara Siddhi 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy