SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક–૪૮ શ્લોક - ૪૮ T T T T T T T T T (શાર્દૂલવિઋીડિત ) ૧૫૧ इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां स्वं विज्ञानघनस्वभावमभयादास्तिध्नुवानः પરન્ अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान् ।। ४८ ।। શ્લોકાર્થ:- [કૃતિ વં] એ રીતે પૂર્વકથિત વિધાનથી, [ સમ્પ્રતિ] હમણાં જ (તુરત જ ) [ પરદ્રવ્યાન્ ] ૫દ્રવ્યથી [ પમાં નિવૃત્તિ વિષય્ય ] ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે ) નિવૃત્તિ કરીને [વિજ્ઞાનધનસ્વભાવમ્ પરમ્ સ્વ અમયાત્ આસ્તિક્ઝુવાન: ] વિજ્ઞાનથનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના ૫૨ નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિકયભાવથી સ્થિર કરતો), [અજ્ઞાનોસ્થિત [ર્મતનાત્ શાત્]અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા કલેશથી [નિવૃત્ત: ] નિવૃત્ત થયેલો, [સ્વયં જ્ઞાનીભૂત: ] પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો,[ નાત: સાક્ષી ] જગતનો સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા ), [ પુરાળ: પુમાન્] પુરાણ પુરુષ ( આત્મા ) [ કૃત: વાસ્તિ ] અહીંથી હવે પ્રકાશમાન થાય છે. ૪૮. પ્રવચન નં. ૧૫૯ શ્લોક-૪૮ તા. ૩/૦૧/૭૯ આહાહાહા ! એકેક પદ અને એકેક ગાથા અલૌકિક છે. એ રીતે પૂર્વકથિત વિધાનથી હમણાં જ, તુરત જ ૫૨દ્રવ્યથી ઉત્કૃષ્ટ સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને, પદ્રવ્ય એટલે રાગાદિ. સ્વદ્રવ્યરૂપ ભગવાન વિજ્ઞાનન, એ ૫૨દ્રવ્ય સ્વરૂપ જે આસ્રવ વિકલ્પાદિ પુણ્ય-પાપના એનાથી ઉત્કૃષ્ટ સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને “વિજ્ઞાનયન સ્વભાવમ૫૨મ મભયાદાસ્તિદનુવાન ” વિજ્ઞાનઘન સ્વભાવરૂપ એવા કેવળ પોતાના ૫૨ નિર્ભયપણે વિજ્ઞાનઘનમાં પર્યાયને વાળીને ત્યાં સ્થિર થયો છે કહે છે. એ નિર્ભયપણે આરૂઢ થતો, પોતાનો આશ્રય કરતો, શાયક સર્વજ્ઞ સ્વભાવી ભગવાન તેનો આશ્રય કરતો પોતાને નિઃશંકપણે આસ્તિકયભાવથી સ્થિર કરતો પૂરણ સત્તાનું અસ્તિત્વ જે પૂરણ છે, તેટલું આસ્તિકત્વમાં આરૂઢ થતો, એવા આસ્તિકયમાં સ્થિર થતો, પૂરું જે અસ્તિત્વ છે, પૂરું જે અસ્તિત્વ જ્ઞાનથન પૂરણ છે. તેમાં આસ્તિકયભાવથી સ્થિ૨ ક૨તો એટલે નિઃશંકપણે પોતાનું અસ્તિત્વ એટલું છે તેમ માનીને અંદર સ્થિર થાય છે. આવી વાત છે. “અજ્ઞાનોસ્થિત્ કર્તૃ કર્મકલનાત્ કલેશાત્” અજ્ઞાનથી ઉત્પન્ન થએલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલો કલેશ, એનાથી નિવૃત્ત થયેલો. જયચંદ પંડિતે જરીક ભેદથી કથન કર્યું છે. શું ભેદ ? અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ એમ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની
SR No.008308
Book TitleSamaysara Siddhi 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy