________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભારે આકરી વાતું ભાઈ ! આહા! અને સાતમી ગાથામાં કહ્યું કે ભેદનું લક્ષ કરશે, તો રાગ થશે. આંહી પણ ભેદને ગૌણ કરીને ભેદને કાઢી નાખ્યો. સમજાણું કાંઈ ? અને સોળમી ગાથામાં પણ દર્શન, જ્ઞાન, ચારિત્રને સેવવાં એમ કહ્યું. એ ત્યારે ખુલાસો કર્યો કે લોકો પર્યાયથી સમજે છે માટે એ રીતે સમજાવ્યું છે. બાકી દર્શન જ્ઞાન ચારિત્રનો ભેદ, એ તો પર્યાયનય ને વ્યવહારનયનો વિષય છે. આરે આરે...! સમજાણું કાંઈ..?
ત્યાં પર્યાયને એની અભેદ વસ્તુ છે એ પોતાના સ્વભાવથી અભિન્ન છેને ગુણપર્યાયથી પણ અભિન્ન છે. એમ કહેવું છે મોક્ષમાર્ગ પ્રકાશમાં.
જે પર્યાયને નથી માનતો એને નહીં, પણ માને છે તે પર્યાય ને દ્રવ્ય ગુણ અભેદએકાકાર છે. તેથી વસ્તુ અભેદ છે એમ કીધી. આરે! અને સાતમી ગાથામાં, વસ્તુને અભેદ કહીને, ગુણ ને પર્યાયો ભેદ છે તેના ઉપર લક્ષ જશે તો રાગ થશે, માટે જ્યાં સુધી સરાગી પ્રાણી છે, તેને અભેદની મુખ્યતા કરાવવા, અભેદની દૃષ્ટિ ને અભેદનો આશ્રય લેવા, ભેદનું લક્ષ કરતાં રાગ થાય છે માટે ભેદનું લક્ષ છોડો! આહાહા!
અને સોળમી ગાથામાં પણ એમ કહ્યું, કે જે દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એ વ્યવહારનયનો વિષય છે ને મલિન છે એ મેચક છે. ઝીણી વાત છે ભાઈ ! આ તો જરીક ભેદનો પક્ષ છેવ્યવહારનો પક્ષ એ પર્યાય છે. છતાં એનો પક્ષ છે, એ ખોટો છે એમ આંહી સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ ? વસ્તુ છે ઈ એકરૂપ અભેદ છે. એમાં જે પર્યાય છે એ ભેદ છે. આહાહાહા ! છે પર્યાય એની, એ અવસ્તુ નથી, છે વસ્તુ પણ. ત્રિકાળમાંથી પર્યાયનો અંશ ભેદ છે અને ભેદનું લક્ષ, રાગી પ્રાણી છે માટે રાગ ઉત્પન્ન થાય, માટે ભેદનો પક્ષ છોડાવ્યો છે. સમજાણું કાંઈ..? આહાહા ! આવા પ્રકાર છે.
એ લીધું ફરીને, પ્રાણીઓને એટલે ઘણા જીવોને ભેદ એટલે પર્યાયનો એટલે વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી છે. સમજાણું કાંઈ ? મોક્ષમાર્ગ (પ્રકાશક) કહે કે પર્યાય અભેદ છે, ભેદ નથી, ઈ પરથી જુદું પાડી ને પોતાના સ્વભાવ ગુણ પર્યાયથી અભિન્ન છે એટલું ત્યાં બતાવવું છે. સમજાણું કાંઈ ? અને અહીંયાં ને સાતમી ગાથામાં ને સોળમીમાં ઈ ત્રણેનું આ લક્ષ છે. કે ભેદ પર્યાય છે ખરી જીવમાં પણ એ ભેદનું લક્ષ કરવા જશે તો રાગ થશે. અને સુખનું પ્રયોજન છે, સમકિતનું પ્રયોજન છે, એ પર્યાયને લક્ષ પ્રયોજન સિદ્ધ થશે નહીં. આહાહા ! આવી વાતું છે.
પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે. એ પર્યાય છે ઈ ભેદ છે. ત્રિકાળ દ્રવ્યની મુખ્યતાની અપેક્ષાએ, પર્યાય છે તે ગૌણ કરીને નથી કહ્યું, કેમ કે એનો પક્ષ કરે છે એને રાગ થાય છે ને અનાદિનો પક્ષ છે. પર્યાયનો, વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જીવોને છે. સમજાણું કાંઈ? એ છોડાવવા, પર્યાયને ગૌણ કરીને, નથી ભેદ કહીને નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા !
અને એનો ઉપદેશ પણ બહુધા, છે? એક તો એને પર્યાય ભેદનો પક્ષ તો અનાદિથી છે અને એવા ઉપદેશકો પણ એને એવા મળે છે કે વ્યવહાર કરવો, પર્યાયમાં રાગ વ્રત કરવાં, તપસ્યા કરવી, ભક્તિ કરવી. વ્યવહાર કરતાં કરતાં કલ્યાણ થશે, એવું કહેનારા અજ્ઞાનીઓ બહુધા, છે? આહાહા! ઉપદેશ પણ બહુધા “પણ” કીધું ને એક તો ભેદનો પક્ષ છે અને એમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com