SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૧ હતા ઉદાસ ! ઉદાસ ફકીર હતાં. પછી, મેં પૂછયું કે આ છે કોણ? મુસલમાન એ સૂફી ફકીર કહેવાય. કહે એ અનલહક્ક! માનનારા-એક જ ખુદા છે એમ માનનારા, જેમ ઓલા એક આત્મા માનનારા છે એમ આ એકખુદા. અનલહક્ક! અનલહક્ક! એક હતો મનસુર એનામાં, એ અનલહક્ક ખુદા એક છે એમ માનતો 'તો દુનિયા વિરોધી પડીને ફાંસીએ ચડાવ્યો. ફાંસીએ ચડાવ્યો તો ત્યારે પણ બોલ્યો કે અનલહક્ક- ખુદા એક છે આવે છે એનામાં, બધું ઘણું સાંભળેલું છે ને પહેલેથી જ ઘણું જોયું દુકાન ઉપરેય અમે હતા ત્યાં બધા અમારે વેદાંતવાળા ઘણા ઘરાક હતા, આવતા. બ્રાહ્મણ હતો એક મોટો વેદાંતી, ઈ તો અમારો ગ્રાહક હતો. એ લોકોમાં આવે ત્યારે એને પગે લાગે ઘણાં માણસ. અમે ઉઘરાણી લેવા જાય ત્યારે બિચારો ખાટલો નાખીને (ઢાળીને) બેસે એ ગામ છે પાલેજ પાસે. એનું ઈ બધું તે દિ' જાણ્યું તું બધું પણ બધું એક ને આને તે બધી સમજ્યા વિનાની વાતું ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરે. આહાહા ! અનંત આત્મા જોયા, એકેક આત્મામાં અનંત ગુણ જોયા, એક-એક આત્મામાં એક સમયની અનંતી પર્યાય જોઈ. આહાહાહા ! માટે, અહીં એમ સમજવું. ઈ પહેલો જ્યાં કીધો 'તો ને ભાવાર્થ? અહીં, એમ કીધું તું ને અહીં, એમ કેમ કહ્યું? કે આ ઠેકાણે જે વ્યવહારને અસત્ કહ્યો છે, એનો અર્થ શું છે? બીજે ઠેકાણે વ્યવહારને સત્ કહ્યો છે. એટલે અહીં” શબ્દ અહીંયા વાપર્યો છે. આ ઠેકાણે વ્યવહારને અસત્ય કહ્યો ને નિશ્ચયને સત્ય કહ્યું, એનો આશય શું છે તે સમજાવ્યો, હવે ઈ લ્ય છે. માટે અહીં, ફરીને લીધું જુઓ! અહીં એમ સમજવું કે-આ સ્થાનમાં જે વ્યવહારને અસત્ય કહ્યો અને ત્રિકાળને સત્યાર્થ કહીને તે જ છે એમ કહ્યું. અહીં, આહા હા ! આ ભાઈએ પ્રશ્ન કર્યો તો રાત્રેભાઈએ વવદરોડમૂલ્યો' બીજે ક્યાંય છે? હા, કીધું ને પદ્મનંદિપંચવિંશતિમાં છે ને એમાં છે. નિશ્ચય અધિકારમાં છે વ્યવહાર અભૂતાર્થ છે. પણ ત્યાં એ લીધું છે એણે વવહારોગમૂલ્યો મૂલ્યો સિવો ૬ સુદ્ધનો મૂલ્યમરિસતો વસુ' યતિ-સંત મુક્તિને પામે ! યતિ લીધા ત્યાં આંહી સમ્યગ્દષ્ટિ લીધા છે. (શ્રોતા. ત્યાં વ્યવહારને વ્યવહારે પૂજ્ય કીધો છે) એ પછી કહ્યું, વ્યવહાર પૂજ્ય છે વ્યવહારથી વ્યવહાર પૂજ્ય છે. તત્ર વ્યવહાર વ્યવહારથી પૂજ્ય ન હોય તો તો પછી દેવ, ગુરુશાસ્ત્ર અને પગે લાગવું કે એ કાંઈ રહે નહીં. તેથી વ્યવહારે વ્યવહાર પૂજ્ય છે. વ્યવહારે તો જિનવાણી પૂજ્ય છે એ ન આવ્યું? બીજા શ્લોકમાં. આહાહા! અહીં એમ સમજવું કે આંહી જે વ્યવહારને અસત્ય કહ્યો છે અને નિશ્ચયને સત્ય કહ્યો છે, માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે. સ્યાદ્ નામ અપેક્ષાએ કહેનારી છે. અપેક્ષાથી, કઈ અપેક્ષા છે ઈ અપેક્ષાથી કહેનારી છે. આહાહા ! ત્રિકાળને નિત્ય માને કહે, પર્યાયને અનિત્ય કહે, આહાહા! ગુણભેદ ને પર્યાયને વ્યવહારનો વિષય કહે, ત્રિકાળને નિશ્ચયનો વિષય કહે એ સ્યાદ્ કથંચિત્ આ રીતે કહેવામાં આવ્યું છે, અને એનો અર્થ પ્રયોજનવશ એટલે? કે આત્માના આશ્રયે જે સમ્યગ્દર્શન થાય અને આત્માને આનંદની પ્રાપ્તિ થાય, એવા પ્રયોજનને કારણે આહા...! પ્રયોજન તો સુખનું છે આનંદનું. તો ઈ આનંદનું પ્રયોજન સિદ્ધ કેમ થાય? આનંદનું પ્રયોજન પ્રગટ કેમ થાય? કે ઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy