SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૧ થતું નથી. તેનો આશ્રય લેવા માટે તેને સત્ કીધું અને વ્યવહાર અને પર્યાયને હોવા છતાં, તેનું લક્ષ છોડાવવા એનો આશ્રય છોડાવવા એ નથી' એમ કહ્યું. હવે ત્યારે કે “છે' એમ તો જિનવાણી કહે છે. આંહી નથી” કીધું ગૌણપણે કે ગૌણપણે નથી કીધું ને? પણ ભાવપણે છે કે નહીં? તો ભાવપણે અહીંયા જિનવાણી નિશ્ચય સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને પણ વ્યવહાર વચમાં નિમિત્ત-સહુચર તરીકે, સમકિતના વ્યવહાર આઠ આચાર, જ્ઞાનના વ્યવહાર આઠ આચાર, ચારિત્રના વ્યવહાર વ્રત, તપ, નિયમ, સમિતિ, ગુપ્તિનો ભાવ, તપના ભાવ અનશન ઉણોદરીનો, વીર્યાચાર શુભભાવમાં-શુભ ભાવનો વીર્યાચાર, એનું કથન જિનવાણીમાં આવે છે ને? કેમ? કે નિશ્ચય છે એની હારે સાથે આવું સહુચર આવું હોય છે, એવું દેખીને જિનવાણીએ કહ્યું છે. પણ એ જિનવાણી પાછું એમ કહે છે, આહાહા ! એનું ફળ સંસાર છે. આહાહાહા ! સમજાણું કાંઈ? આકરી વાત છે બાપા! વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ ! હેં? (શ્રોતા આતમ ભાવના કર્યા વગર અનુભવ કેવી રીતે થાય) આતમ ભાવના, ભાવના એટલે સ્વરૂપમાં એકાગ્રતા. આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન. શ્રીમદ્ભાં છે. આમ ભાવનાને? કે રાગભાવના? આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! અર્થકારે ગાથાની સ્પષ્ટતા કરી છે. ગાથામાં વ્યવહારને જૂઠો ગૌણ કરીને જૂઠો કહ્યો, એટલે જૂઠો છે એમ નહીં. એ જ્ઞાનીને પણ સહુચર નિમિત્તપણે અંદર આવે છે. અસ્તિપણે આવે છે. આહાહાહા ! પણ તેને ગૌણ કરી અને નિશ્ચયના આશ્રયમાં સમકિતજ્ઞાનાદિ થાય એને મુખ્ય કરીને તેને સત્ય કહ્યું છે. અને આ એ સત્ય તો છે પણ સહચરમાં સત્ય હોવા છતાં એને ગૌણ કરીને જૂઠો કહીને સ્વનો આશ્રય લેવરાવ્યો છે. હવે કહે છે કે ગૌણ કરીને જૂઠો કહ્યો! એનો અર્થ! કારણ શું? કે ઈ વ્યવહારનો પક્ષ તો અનાદિનો જગતના જીવોને છે અને પરસ્પર ઉપદેશ પણ એ કરી રહ્યા છે. સમકિત વિના સામાયિક કરો, પોષા કરો, પડિક્કમણા કરો, અપવાસ કરો, એવો અજ્ઞાનીઓનો ઉપદેશ માંહોમાંહે છે. અને જિનવાણીમાં પણ નિશ્ચય સ્વદ્રવ્યના આશ્રયે ધર્મ હોવા છતાં, તેના સહચર તરીકે આવી રાગની મંદતાનો ભાવ, જ્ઞાનનો વિનય! સમકિતનો આચાર! જ્ઞાનનો આચાર! વ્યવહાર ચારિત્રનો વ્રતાદિ એ સાથે હોય છે. જિનવાણીમાં એનો ઉપદેશ અતિ એની છે એમ કર્યો છે એ (ભાવ અસ્તિપણે ) જિનવાણીમાં હોય છે એમ ઉપદેશ કર્યો છે. પણ તેનું ફળ સંસાર છે. આહાહા ! છે? જિનવાણીમાં! આહાહા! ગજબ કામ કર્યું છે ને માળે. પંડિત તો આ કહેવાય કે જેને વસ્તુની સ્થિતિમાં છે તેવું સ્પષ્ટીકરણ કરે, નો હોય ને ઘરનું નાખીને કરે! આહાહા! મોહનલાલજી તો સાંજે આવવાના છે. સાંજે ને? (શ્રોતા: હું, જી આજે રવાના થશે;) આહાહા ! આ જ સાંભળવા જેવી વાત હતી. બહુ સરસ વાત ઘણી વાત છે. આહાહા ! ગજબ અર્થ કર્યો છે. મૂળ ગાથાને સાચી ઠરાવવા કઈ અપેક્ષા છે એ વાત સ્પષ્ટ કરે છે. આહાહા! સમજાણું કાંઈ ? વળી જિનવાણીમાં વીતરાગની વાણીમાં વ્યવહારનો ઉપદેશ આવ્યો છે તે પણ ઘણો આવ્યો છે. આહાહાહા ! છે? વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનું નિમિત્ત દેખી, શુદ્ધનયની સાથે સહચર દેખી, શુદ્ધસ્વભાવના આશ્રયની સાથે, વ્યવહાર સહચર ઉપચાર દેખી તેને વ્યવહારથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy