________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૧૭ વસ્તુ જે અભેદ અખંડાનંદ પ્રભુ એવો જે વિષય છે અભેદ, એકાકાર છે. એક સ્વરૂપ જ છે ત્રિકાળી, અને નિત્ય દ્રવ્ય છે.
શુદ્ધનયનો વિષય અભેદ એકાકાર એક સ્વરૂપ, એકાકાર એટલે એક સ્વરૂપ, એકાકાર એટલે એક સ્વરૂપ અને નિત્ય દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય તે શુદ્ધનયનો વિષય છે, શુદ્ધનય તેને ધ્યેય બનાવે છે. આહાહાહા ! આવું સમજવા માગે છે શુદ્ધનયનો વિષય એટલે શુદ્ધનય છે તે જ્ઞાનનો અંશ છે અને જ્ઞાનનો અંશ છે તેનો વિષય કાંઈ હોય કે નહીં? તો જ્ઞાનનો જે અંશ છે એનો વિષય અભેદ એકાકારરૂપ અંતર એકરૂપ ત્રિકાળી અભેદ નિત્ય દ્રવ્ય તે શુદ્ધનયનાજ્ઞાનના અંશનો વિષય છે. આહાહાહા !
તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી. આહાહા! ભગવાન આત્મા પોતાના અભેદની દૃષ્ટિમાં જાય છે; વસ્તુ અખંડ અનંતગુણનો પિંડ પ્રભુ એની જ્યાં વિષયમાં દૃષ્ટિમાં જાય છે ત્યારે તેને અભેદ દૃષ્ટિમાં દેખાય છે, એ અભેદમાં ભેદ દેખાતો નથી. આહાહા ! છે? તેની દૃષ્ટિમાં, તેની દૃષ્ટિમાં એટલે? નિત્યદૃષ્ટિ જે કરી છે સમ્યગ્દર્શને સમ્યગ્દર્શનનો વિષય નિત્યદ્રવ્ય છે, ધ્રુવ ત્રિકાળ ત્રિકાળ. એ ત્રિકાળી દ્રવ્યનો વિષય કર્યો છે એમાં ભેદ, અભેદમાં ભેદ દેખાતો નથી. આહાહાહા ! તેની દૃષ્ટિમાં હોં? ત્રિકાળી જોનાર સમ્યગ્દર્શન એ ત્રિકાળી અભેદની દૃષ્ટિનો વિષય છે. એની હારે આંહી નય લીધી, કારણકે દૃષ્ટિ જાણતી નથી ને ? દૃષ્ટિમાં જાણવાનો સ્વભાવ નથી. સમ્યગ્દર્શનમાં પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ તો જ્ઞાનના જ ભેદ છે. સમજાણું કાંઈ ? આહાહા ! આવું ઝીણું કેટલું !
એથી આંહી કહે છેઃ શુદ્ધનયનો વિષય, અખંડ સ્વરૂપ પૂરણ દ્રવ્ય જે વસ્તુ ભગવાન, ત્રિકાળી નિત્ય દ્રવ્ય વસ્તુ, નિત્ય પદાર્થ છે. એવી દૃષ્ટિમાં અભેદમાં તેને તે અભેદની દૃષ્ટિના કાળમાં, ભેદ અભેદમાં દેખાતો નથી. ભેદ નથી એમ નહીં ભેદ એમાં છે, એકરૂપ વસ્તુની દષ્ટિમાં ગુણો અનંત છે, ગુણીની દૃષ્ટિમાં અંદર ગુણ છે, પણ ગુણ ને ગુણીના ભેદ વિષય ન્યાં સમ્યગ્દર્શનમાં નથી. આહાહા!
એ તો ગુણ ગુણી એકરૂપ છે એવો જે અભેદ વિષયને લેનાર, તેની દૃષ્ટિમાં ભેદ અંદર હોવા છતાં; અભેદને દેખનાર ભેદને દેખતો નથી. તેની દૃષ્ટિમાં ભેદ છે નહીં. માટે તેની દૃષ્ટિમાં ભેદ નથી, અવિદ્યમાન એટલે નથી. આહાહા ! થોડું થોડું સમજવું ધીમેથી સમજવું ભઈ ! અમારે બાબુલાલજી કાલ નહોતા ને એટલે ફરીને કહ્યું, આહાહા!
વિષય બાપુ આ તો અમૃતના સાગર છે. આહાહા! પર્યાયને-પર્યાયમાત્રને અહીંયા જુઠી કીધી. કેવળજ્ઞાનનો પર્યાય પણ જૂઠો કીધો આંહી તો, કેમકે એ વ્યવહારનયનો વિષય છે કેવળજ્ઞાન અંશ છેને? એ સદ્ભુત વ્યવહારનયનો વિષય છે, રાગ છે એ અસભૂત વ્યવહારનયનો વિષય છે. આહાહા ! અને મતિજ્ઞાન આદિના જે ભેદ છે એ સદ્ભૂત, આહાહા! ઉપચારનો વિષય છે. આહાહા!
એ બધા અભૂતાર્થ છે એમ આંહી તો કહેવું છે. કઈ અપેક્ષાથી? કે ત્રિકાળીની દષ્ટિ જ્યાં કરે છે અભેદને જ્યાં જોવે છે, એમાં ભેદ એને દેખાતો નથી, તેથી તેને ભેદ નથી એમ કહેવામાં આવે છે. આહાહા ! અભેદને જોતાં ભેદ દેખાતો નથી અભેદમાં, માટે તેને (ભેદ) નથી એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com