SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૧ આહાહા ! અને આ તો ખાસ ચીજ છે. આહાહા ! એટલે ? વ્યવહા૨ના ચાર પ્રકાર થયાં એક રાગ બુદ્ધિપૂર્વક થાય તેને જાણવો એ અસદ્ભૂત ઉપચાર, એ વખતે રાગ જણાતો નથી તે વખતનો રાગ એનો ને એનો, તેને અસદ્ભૂત અણઉપચાર અને અહીંયા જ્ઞાનની પર્યાય પોતામાં છે પણ એ જ્ઞાન રાગને જાણે છે. છતાં એ તો પર્યાય છે, પર્યાય છે માટે સદ્ભૂત વ્યવહા૨ થઈ ગયો. અને એ રાગને જાણે છે એ સદ્ભૂત ઉપચાર થઈ ગયો. સદ્ભૂત વ્યવહાર ઉપચાર, પર્યાય છે માટે વ્યવહા૨, પણ પોતામાં છે માટે સદ્ભૂત. સમજાણું કાંઈ ? અને એ જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું / ઈ જાણે છે તો જ્ઞાન જ્ઞાનને; પણ એ શાન રાગને જાણે છે એમ કહેવું એ ‘ સદ્ભુત ઉપચાર વ્યવહારનય ' નથી તેને પ્રગટ કરે છે એમ જે કીધું એ ગૌણ કરીને નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ ? અને જ્ઞાનની પર્યાય એનામાં હોવા છતાં એ તો વ્યવહા૨ છે. સદ્ભૂત વ્યવહા૨ છે. એને રાગને જાણે છે એમ કહેવું એ ઉપચાર છે. ખરેખર તો જ્ઞાનની પર્યાય જ્ઞાનને જાણે છે. જ્ઞાનની પર્યાય જ્ઞાનને જાણે છે. છતાં એ જ્ઞાનની પર્યાય રાગને જાણે છે એમ કહેવું એ પોતાની પર્યાય છે માટે સદ્ભુત, એને ( રાગને ) જાણે છે એમ કહેવું એ ઉપચાર અને પર્યાય છે માટે વ્યવહાર. આહાહા ! એને અહીંયા અસદ્ભૂત હોવાથી અસદ્ભૂત અર્થને પ્રગટ કરે છે એટલે કે ત્રિકાળી ચીજમાં એ નથી અને પર્યાયમાં છે, પણ પર્યાયને ગૌણ કરીને, એનો આશ્રય છોડાવવા તે નથી તેમ ગૌણ કરીને કહ્યું છે સર્વથા નથી એમ નથી. સમજાય છે કાંઈ ? ( શ્રોતાઃ ) દ્રવ્યમાં તો સર્વથા જ નથી ? – ૩૭૯ ( ઉત્ત૨: ) દ્રવ્યમાં એમ દ્રવ્યમાં એ જ્યારે એની એ દ્રવ્ય વસ્તુ છે એ અભેદમાં નથી. ભેદમાં છે એના દ્રવ્યના ભેદમાં, પણ અભેદમાં નથી. અભેદમાં નથી માટે તેને વ્યવહાર કહ્યો. ભેદ પાડવો એ વ્યવહાર છે. જ્ઞાનની પર્યાય એ કહેવી એ ભેદ-વ્યવહાર થઈ ગયો; પર્યાય જે કહેવી એ જ વ્યવહાર થઈ ગયો; અને એ વ્યવહાર રાગને જાણે છે એમ કહેવું એ સદ્ભૂત વ્યવહારનો ઉપચાર થઈ ગયો. આહાહા! હવે ચોથો, ‘ જ્ઞાન તે આત્મા ’ એટલો ભેદ પડયો ને ? એ ય વ્યવહા૨ છે. કા૨ણ કે જ્ઞાન તે આત્મા એ ભેદ થઈ ગયો. ભેદને ગૌણ કરીને, અસત્ય અર્થને પ્રગટ કરે છે. –ઇ સદ્ભૂત અણઉપચાર નય. જ્ઞાન તે આત્મા એ સદ્ભૂત અને અનુપચાર એનામાં છે. સદ્ભૂત ને અણઉપચાર એટલે છે –આ જ્ઞાન તે આત્મા એમ જાણી શકાય, પણ એટલો ભેદ પડયો અને તેથી તેનામાં પર્યાય તો સદ્ભૂત છે. પણ ઓલા રાગને જાણવું એમ કહેવું એ ઉપચાર છે ને આને જાણવું કહેવું એ નિશ્ચય અણઉપચાર છે. આહાહા ! એવો જે ‘ જ્ઞાન તે આત્મા ' એવો જે ભેદ એ સદ્ભૂત અણઉપચાર. એ વ્યવહારનય છતી ચીજને પ્રગટ કરતો નથી. અસત્ન પ્રગટ કરે એટલે કે ત્રિકાળી ચીજમાં એવો ભેદ નથી, એ ભેદને ગૌણ કરીને, ભેદ નથી અને વ્યવહારનયનો વિષય અસત્યને પ્રગટ કરે છે એમ કહેવામાં આવે છે. શુકનલાલજી ! આમાં તો પંડિતાઈ પડી રહે એવું છે બધી. આહાહાહા ! કાલ તો કહેવાણું ’ તું આ તો ફરીને... સાડત્રીસ, આડત્રીસ મિનિટ તો થઈ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy