SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૬ ૨૨૩ રૂપે થયો છે? આહાહાહા ! “દીપક ઘટ પટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં ય દીપક જ છે” શું કહ્યું છે ? દીવો ઘટ પટાદિની અવસ્થાને પ્રકાશવાકાળ દીવો તો દીવારૂપે છે. એ ઘટ પટને પ્રકાશવા કાળે પણ ઘટપટની અવસ્થાપણે કાંઈ દીવો થયો નથી. આહાહા ! અને ઘટપટને લઈને પ્રકાશે છે એમ નથી. દીવાના પ્રકાશને લઈને પ્રકાશે છે. આહાહાહા ! દીપક ઘટ પટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય એ દીપક જ છે. અને પોતાને, પોતાની જ્યોતિરૂપ શિખાને, પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે. એમ “જ્ઞાયક' રાગને પરને જાણવા કાળે પણ, જ્ઞાયકની પર્યાય તો જ્ઞાનની જ છે, અને પોતાને પ્રકાશવા કાળે પણ એ જ્ઞાનની જ પર્યાય છે. આહા ! પરને જાણવા કાળે એ પર્યાય પરને લઈને થઈ છે, એમ નથી. ઘટપટને પ્રકાશે છે પ્રકાશ માટે પ્રકાશ ઘટપટને લઈને પ્રકાશ્યો છે એમ નથી. દીવાનો પોતાનો પ્રકાશક સ્વભાવ છે ઘટપટને પ્રકાશવાનો. ઘટપટને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે, અને પોતાની જ્યોતિને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે. ભારે ઝીણું બાપુ! એક કલાકમાં કેટલું આવ્યું, નવરાશ ન મળે, ફુરસદ ન મળે, આખો દિપાપ આડે અને શરીરના રક્ષણ માટે કરવું હોય તો આખો દિ' સલવાય જાય ! આનું આમ કરવું ને. આનું આમ કરવું ને. આનું આમ કરવું ને. છતાંય થાવું હોય ઈ થાય એના કર્યાથી કાંઈ ન થાય. આહાહા ! અને આ તો (સમક્તિ તો) પુરુષાર્થથી થાય જ. આહાહા ! દીવો, ઘટ એટલે ઘડો ને પટ-વસ્ત્રાદિ, કોયલા કે નાગ એને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવારૂપે રહીને પ્રકાશે છે. પરરૂપે થઈને તે પ્રકાશે છે? અને પરને પ્રકાશે છે? એ તો દીવો, દીવાને પ્રકાશે છે. અને પોતાના પ્રકાશને પણ પ્રકાશકાળે પોતે દીવો દીવાને પ્રકાશે છે. એમ, ભગવાન આત્મા જાણનારો જણાય છે તે અવસ્થામાં પણ જ્ઞાયકપણે જ પોતે રહ્યો છે. પરપણે થયો નથી ને પરને લઈને થઈ નથી દશા. આહાહા! અને પોતાને જાણવાકાળે પણ પોતે જ પોતાની પર્યાય થઈ એ તો. આહાહા! હવે આવું બધું યાદ રાખવું? આવો મારગ પ્રભુનો બાપુ અને એ મારગ જિનવરદેવ સિવાય ક્યાંય છે નહીં. ત્રણલોકના નાથ તીર્થંકરદેવ. આહાહા ! પણ વાતું પ્રભુ બહુ સૂક્ષ્મ છે પ્રભુ, એ કોઈ પૈસા ખર્ચી નાખે કરોડ-બે કરોડ પાંચ કરોડ માટે ધરમ થઈ જાય, (એમ નથી.) આહાહા! શરીરની ક્રિયા કરી નાખે છ-છ મહિનાના અપવાસ, શરીરના બળુકા અપવાસાદિ કરે, અને જાણવાના એકલી બુદ્ધિના-પરના પ્રકાશ કરવાવાળા બુદ્ધિની વાતો કેળવે, પણ અંતર શું ચીજ છે? આહાહા! એને કેળવવા એ જતો નથી. અન્ય કાંઈ નથી' તેમ “શાયકનું સમજવું” એટલે? “જાણનારો” ભગવાન, અને જાણતાં પર્યાયમાં અને જાણ્યો, તેવી જ પર્યાયમાં પરને પણ જાણું. એ પરને જાણવાની પર્યાય થઈ એ પોતાથી જ થઈ છે એટલે ખરેખર તો પોતાની પર્યાયને એણે જાણી છે. આહાહા! કારણ કે પર્યાયમાં કાંઈ શેય આવ્યા નથી, ઘટપટ ને દીવો પ્રકાશે છે એટલે કાંઈ દીવાના પ્રકાશમાં ઘટપટ કાંઈ આવી ગયા નથી કે દીવાના પ્રકાશમાં તેઓ કાંઈ પેઠા નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? એમ ભગવાન ચૈતન્ય દીવો ચૈતન્ય ચંદ્ર પ્રભુ એવું જેને અંતરમાં જ્ઞાન થયું, રાગથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy