SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૬ ૨૧૧ ગોટા મોટા છે. ભલે મોટા વ્રત પાળેને ભક્તિ કરે ને વ્રત કરે ને કરોડો રૂપિયા ખર્ચે મંદિરોમાં ને એ બધા ગોટા છે. (શ્રોતાઃ ફોફાં ખાંડે છે!) ફોફાં ખાંડે છે. રાગની કદાચ મંદતા હોય તો એ પુણ્ય ને થોથાં છે. આહાહા! એમાં જનમ મરણનો અંત નથી પ્રભુ! એ તો જનમ મરણનાં બીજડાં છે, બધાં આહાહા ! એ શુભભાવ પણ મારો છે ને હું કરું છું એવો મિથ્યાત્વભાવ, આહાહા ! એ અનંતા ચોરાશીના અવતારનો એ ગરભ છે, એમાંથી અનંતા અવતાર નિગોદ ને નરક ને પશુના ને ઢોરના અવતારો થશે. આહાહાહા! જ્યાં કોઈની સફારશ કામ નહીં આવે કે અમે ઘણાંને સમજાવ્યાં 'તા ને.. ઘણાં વાડામાં જૈનમાં ભેગાં કર્યા 'તા ને. આહાહા! બાપુ, એ વસ્તુ જુદી છે. આહાહા ! આંહી તો બોલવાનો વિકલ્પ પણ જ્યાં મારો નથી. આહાહા ! ભગવાન ત્રણલોકના નાથ આત્મા ને એની વાણી પણ મારી નથી. આહા ! એના લક્ષમાં જાઉ તો મને રાગ થાય, એ લક્ષ છોડીને ચૈતન્ય ભગવાન જ્ઞાયકભાવ પરમપિંડ પ્રભુ પડ્યો છે. એક સમયની પર્યાયની પાસે જ પડ્યો છે, ત્યાં નજર કરતાં, જે નજરમાં સમ્યગ્દર્શન થાય, સમ્યજ્ઞાન થાય, એને આ આત્મા શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? છઠ્ઠી ને અગિયારમી ગાથા તો અલૌકિક છે. આ તો છેલ્લા એક પદની વ્યાખ્યા ચાલે છે. આહાહા! પાર નથી એનો, આહાહા ! સમ્યગ્દષ્ટિ-જ્ઞાની સંતો, આત્માના આનંદના અનુભવીઓ આહાહાહા ! એવા સંતની વાણીનું શું કહેવું!? “તે જ એટલે જ્ઞાયક, તે પુણ્ય પાપપણે થયો નથી પ્રમત્ત-અપ્રમત્તપણે થયો નથી. પ્રભુ દ્રવ્ય તે જ, તે જ વસ્તુને. “સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા એની સેવા કરે તો એની સેવા એટલે, સત્કાર ને આદર કરે દેષ્ટિમાં તો એને એ દ્રવ્ય શુદ્ધ છે. આહાહા !! લ્યો, એટલું હાલ્યું. હવે ચોથા પદની વ્યાખ્યા. ઝીણું છે પ્રભુ શું થાય? “પ્રભુનો મારગ છે શૂરાનો, કાયરનાં કામ નથી ત્યાં આહાહા ! એ પુણ્ય પાપમાં, પુણ્યમાં ધરમ ને પાપમાં અધર્મ માનનારાં પામરો મિથ્યાષ્ટિ, એવા જીવોનું અહીં કામ નથી કહે છે. આહાહા!! અહીંયાં તો પુરુષાર્થી અંતરમાં, આહાહા!! અંતર સ્વરૂપનો સ્વીકાર કરનારો પુરુષાર્થ છે તેવા પુરુષાર્થવાળાની વાતું છે આ તો. આહાહા !! હવે, ત્રીજા પદની ચોથા પદની વ્યાખ્યા ચાલે છે. દાહ્યના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે” શું કહે છે? અગ્નિને “બાળનારી” કહેવાય છે. એ બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી, એ લાકડાને, છાણાંને બાળે ત્યારે, આકાર તો એવો થાય ને.? જેવા છાણાં ને લાકડાં છે એવો આકાર થાય ને એનો? પણ એ આકાર કાંઈ એને લઈને થયો નથી, ઈ તો અગ્નિનો આકાર છે. અડાયું છાણું હોય “અડાયું” સમજ્યા? જે અમથું છાણ પડ્યું હોય, ને સૂકાઈ ગયું હોય. અને આમ છાણ ભેગું કરીને છાણાં કરે-થાપે તે છાણું, તે છાણ પડ્યું હોય ને સૂકાઈ ગયું હોય અને લઈ લે એને આપણે કાઠિયાવાડમાં “અડાયું” કહે છે. તમારી કાંઈક ભાષા હશે. તો એ છાણું જેવું સૂકું હોય એને અગ્નિ બાળે તો આકાર તો એવો થાય એનો પણ એ આકાર અગ્નિનો છે. એનો નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy