SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૬ ૧૯૭ પંડિતો જયચંદ પંડિત, ટોડરમલ, બનારસીદાસ, ભાગચંદજી આદિ. ઓહોહો ! જયચંદ પંડિત આ ભાવાર્થ ભર્યો છે કે આચાર્યને આમ કહેવું છે, આહાહા ! ચાલતી ભાષામાં. ત્યારે હવે શિષ્યને પ્રશ્ન ઊપજે છે એ પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધાત્મા કોણ છે? છે માથે (મથાળામાં) “કોડસૌ શુદ્ધ આત્મતિ ચેત” જે એકત્વ છે અને પરથી વિભક્ત છે એવો શુદ્ધાત્મા છે કેવો? કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? શિષ્યનો આ પ્રશ્ન અંતરથી આવ્યો છે કે આવો તે શુદ્ધ આત્મા સ્વભાવથી અભેદ અને રાગથી ભેદ એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ એમ છે ને? ચેતનો અર્થ થયોને? આવી જેને અંતર જિજ્ઞાસાથી પ્રશ્ન ઊઠયો છે એવા શ્રોતાને ઉત્તર દેવામાં આવે છે, સાંભળવા સાધારણ આવ્યા એટલે આપણે સાંભળવું જોઈએ, એવાઓ માટે નહિ કહે છે જેને અંતરથી પ્રશ્ન ઊઠ્યો છે, તે શુદ્ધ આત્મા તે કોણ છે આ? શું છે ઈ તે ચીજ અને કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, બીજા દ્રવ્યનું જાણવું જોઈએ એ પ્રશ્ન એને ઊઠયો જ નથી. છ દ્રવ્ય ને છ દ્રવ્યના ગુણ ને એ વાત તો અંદર સાધારણ આવી ગૌણ. આવો જે ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ સ્વભાવથી એકત્વ ને રાગથી વિભક્ત એવો જે શુદ્ધ, એ તે આત્મા કોણ છે? કેવો છે? કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. એવો શુદ્ધ કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? આહાહાહા ! છે? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા છે. આવો જેને પ્રશ્ન અંતરમાંથી ઊઠ્યો છે, એવા શ્રોતાઓને માટે આ ઉત્તર છે. આહાહાહા ! અમૃતચંદ્રાચાર્ય શૈલી કરે છે, જેને અંતરથી ઊઠયું છે કે આ શુદ્ધ છે વસ્તુ અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ એ વિકલ્પના વિકારથી તન્ન જુદો અને પોતાના પરિપૂર્ણ સ્વભાવથી એકત્વ અભેદ એવો તે શુદ્ધ આત્મા છે કોણ કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? આહાહાહાહા ! આવો જેનો પ્રશ્ન અંતરમાંથી જેને ઊયો છે એવા શ્રોતાઓને આ ઉત્તર દેવામાં આવે છે આહાહા ! શું શૈલી! મોક્ષાર્થીકો..! ગજબ બાત કહી હૈ ના! આ.. હા. હા..! મોક્ષકે અર્થકો મોક્ષકો જાનના, ઐસે નહીં કહા. ક્યોંકિ મોક્ષ હૈ વહ પર્યાય હૈ, પર્યાય હે વહ ભેખ હૈ, પર્યાય હૈ યહ આત્માકા એક ભેખ હે – “સમયસાર” મેં આયા હૈ. સંવર, નિર્જરા ભી એક ભેખ હૈ (ર) મોક્ષ ભી એક ભેખ હૈ, વસ્તુ નહિ. યે તો પર્યાયકા એક ભેખ હૈ, આહા... હા...! લેકિન જો એક (માત્ર) મોક્ષની પર્યાય ચાહતા હૈ ઉસકો સીધા.. (આત્માકો જાનના). આહા. હા...! પરકી અપેક્ષા છોડકર, ઐસા કરું તો ઐસા મિલેગા, ઐસી અપેક્ષા છોડકર (સીધા આત્માકો જાનના). ( સમયસાર દોહન પાના નં. ૨૦૧ પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચનમાંથી ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy