SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૫ ૧૭૯ જુઓ આ સિદ્ધાંતના કથનો ને આ વાણી જુઓ આ ! ઓલા કહે કે અરિહંત મહા દેવો, ગુરુ હું માનો એ સમકિત છે. એ વિતરાગની વાણી નહીં. આહાહા ! એ વીતરાગી સંતોની વાણી નહીં. આહાહાહા ! અણઅભ્યાસે (માર્ગ) ઝીણો લાગે! વસ્તુ તો છે, છે એને પ્રાપ્ત કરવી છે ને? ન હોય અને પ્રાપ્ત કરવી હોય તો તો, હું? છતી ચીજ ભગવાન અંદર બિરાજે છે ને! આહાહા ! કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ એવો એ ભગવાન પોતે જ છે. આહા! એનો અંદરમાં તને જઈને અનુભવ કરીને એને અનુસરીને થઈને “હા” પાડજે. આહાહાહાહા ! ઓલું પાણી માટે નથી આવતું! અનુભવશીલી એનો અર્થ કર્યો છે ને કળશટીકાકારે બહુ સરસ, સર્વશને અનુસરીને નીકળેલી વાણી, અનુભવશીલીની વ્યાખ્યા આ. આહાહા ! કળશની પહેલી ટીકાનો, રાજમલ્લ ટીકામાં છે. પ્રભુ સર્વજ્ઞ સ્વરૂપી છે. આહાહાહા! અને જેને સર્વજ્ઞપણું પ્રગટયું છે, એને અનુસરીને વાણી નીકળી છે ઉપાદાનમાં પોતાથી, પણ એના નિમિત્તપણામાં સર્વશપણું છે. આહાહા! એથી અનુભવશીલી એ વાણીને કહીએ છીએ. એટલે? સર્વશપણું પ્રગટયું છે એને અનુસાર વાણી નીકળશે, આહાહા! વાણી તો ઉપાદાનથી નીકળશે, પણ એ વાણીની ઉપાદાનતા જ એવી છે, જેવું સર્વજ્ઞપણું છે તેને અનુસાર વાણીનો પર્યાય પણ પરિણમશે. આહાહાહાહા ! અહીં કહે છે કે હું દેખાડું ભાષાથી. આહાહા ! છે તો દેખાડવાની ભાષા મારા સ્વભાવના વૈભવને અનુસરીને થતી. આહાહાહા! અહીં તો દેખાડીશ એમ કીધું, હેં? વાણીથી દેખાડીશ, દેખાડાય, વાણી દ્વારા દેખાડાય બીજો તો કોઈ ઉપાય નથી પણ એ વાણી નિજ વૈભવને અનુસરીને, નિમિત્તરૂપે વાણી આવશે. આહાહા ! તો તું પણ તારો સ્વભાવ છે તેને અનુસરીને, અનુભવ કરીને પ્રમાણ કરજે, આહાહા! સમજાણું કાંઈ? આવી વાતું છે. સ્વીકાર કરવો અને “જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં.” અનુભવમાં ચૂકી જાઉં એમ નહિં. પણ વાણીમાં જો કોઈ સંસ્કૃત વ્યાકરણ વિભક્તિ કોઈ ફેર પડી જાય વાણીમાં, વસ્તુમાં ફેર નહિં પડે. આહાહાહા ! વસ્તુમાં તો એવું છે તેવું જ આવશે. આહા ! પણ વાણીની અંદરમાં કોઈ વિભક્તિ, કાળ, ભૂતકાળનો વર્તમાન બોલાઈ જાય ને એવો કોઈ શબ્દ તને (જણાય) એવું જ્ઞાન હોય, તને એ જાતનો ખ્યાલ હોય, તેથી તને ખ્યાલમાં આવે કે આ ઠેકાણે, પણ તું ત્યાં ન રોકાઈશ. એ વાણીમાં કોઈ ફેર હોય અને તને જ્ઞાન હોય તો તું ત્યાં ન રોકાઈશ. આહાહાહા ! અમે અંતરમાં ચૈતન્ય ભગવાન, અનંત ગુણનો હિરલો પ્રભુ એમાં જવાને માટે હું દેખાડીશ તો ત્યાં જજે હોં પ્રભુ. આહાહાહા! પંચમ આરાના મુનિ અને પંચમ આરાના શ્રોતાને આવી વાત કરે છે. આહાહા ! જેમાં સર્વજ્ઞના વિરહ છે, છતાં આટલા જોરથી એ વાત કરે છે કે અમારા શ્રોતા આવા હોય હોં. આહાહા! પ્રવીણભાઈ ! આહાહા! જેવા નિજ વૈભવથી વાણી આવશે, એવો જ તું નિજ વૈભવનો અનુભવ (કરજે !) આહાહાહા !તારો વૈભવ તો અંતર છે અમારો વૈભવ તો પર્યાય પ્રગટ થઈ એને કહીએ છીએ. પણ તારો વૈભવ જે અંદર પૂરણ છે પૂરણ સંપદા અતીંદ્રિય આનંદ આનંદ આનંદ આનંદ આનંદ અતીન્દ્રિય આનંદનું ઢીમ જામ્યું છે ને ત્યાં. આહાહા ! જેમાં શુભ વિકલ્પનો પણ (ધ્રુવમાં ) પ્રવેશનો અવકાશ નથી, અરે એના અનુભવની પર્યાય થાય એનો પણ ધ્રુવ ઘનમાં પેસવાનો અવકાશ નથી. આહાહા ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy