SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૫ ૧૭૭ નિરાકરણમાં સમર્થ જે અતિનિસ્તષ નિબંધ યુક્તિ તેના અવલંબનથી જેનો જન્મ છે. વળી તે કેવો છે?નિર્મળવિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ-સર્વજ્ઞદેવ અને અપરગુરુ-ગણધરાદિકથી માંડીને અમારા ગુરુ પર્યત, તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, તેનાથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે. એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વિભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ (પોતે જ) પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું; જો ક્યાંય અક્ષર, માત્રા, અલંકાર, યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો છલ (દોષ) ગ્રહણ કરવામાં સાવધાન ન થવું, શાસ્ત્રસમુદ્રનાં પ્રકરણ બહુ છે માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે; તેથી અર્થની પરીક્ષા કરવી. - આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદન-એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ! પોતાના સ્વસંવેદનપ્રત્યક્ષથી પ્રમાણ કરો; ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું છે. અહીં પોતાનો અનુભવ પ્રધાન છે; તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો-એમ કહેવાનો આશય છે. પ્રવચન નં. ૧૮ ગાથા - ૫ તા. ર૬-૬-૧૯૭૮ तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण। जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्वं ।।५।। દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી; દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્કૂલના યદિ.૫. ગાથાર્થ:- “તમ' શબ્દ છે ને પહેલો તમ, તે એકત્વવિભક્ત આત્માને, રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન, એવું જે એનું સ્વરૂપ છે એને હું, અહમ્. આહાહા! ભગવાને કહ્યું છે માટે હું તને દેખાડું છું એમેય નહિ. આહાહા ! હું પોતે કહીશ. આહાહા ! હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું. આહાહાહા ! મારો નિજ વૈભવ, જગતનો વૈભવ આ ધૂળને બહારની સામગ્રી બધો વૈભવ, મારો નિજ વૈભવ અતીન્દ્રિય આનંદનો અનુભવ, અતીન્દ્રિય જ્ઞાનની દશાનું ભાન, અતીન્દ્રિય વીર્યની પ્રગટ દશા. અનંત અનંત દર્શનની અંશે પ્રગટ દશા, એવો જે મારો નિજ વૈભવ એમાં એમ ન કહ્યું કે પુણ્ય મારો નિજ વૈભવ, શુભભાવ મારો નિજ વૈભવ. કહીશ એમાં વિકલ્પ ઉઠશે, એ વિકલ્પ મારો વૈભવ નહીં. આહાહા ! આત્માના નિજ વૈભવ વડે, “સ્વવિભવેન દેખાડું, દેખાડું છું. આહાહાહા ! શું આચાર્યની શૈલી, દેખાડું છું. પણ હું તો છબસ્થ છું એટલે દેખાડું છું. અને એમાં જો દેખાડયું, આહાહાહા! દેખાડું છું, જો હું દેખાડું, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy