SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૭ ગાથા – ૨ લીધું અને ટીકામાં અમૃતચંદ્ર આચાર્યે પણ એમ લીધું ત્યાં એમ ન લીધું ચારિત્ર દર્શન જ્ઞાન. શું કીધું ઈ? “નીવો વરિતવંસUTUIT ડિવો' એમ આવ્યું ને (મૂળ) પાઠમાં? એનો અર્થ એવો કર્યો. “જીવ જ્યારે પોતામાં એકત્વપણે દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત થઈને વર્તે ત્યારે તેને આત્મા, સ્વસમય આત્મા કહેવામાં આવે છે. તે જેવું એનું રૂપ હતું તેમાં ઈ આવ્યો. આહાહાહા ! ભગવાન આત્મા દર્શન-જ્ઞાન સ્વરૂપ એનું રૂપ, એની હેયાતિ એ છે. એ બહારના રાગાદિના વિકલ્પથી ભેદ પાડી અને પોતાના આત્મતત્ત્વમાં એકત્વપણે આવ્યો, રાગ આદિમાં જતો ત્યાં એને બગડતું, એકડે એક ને બગડે બે, ઈ આત્મતત્ત્વ વસ્તુ છે એમાં એકત્વગતપણે, દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત ઈ એકત્વ. પુણ્ય ને દયા-દાન-વતના રાગમાં સ્થિત, એ તો બેપણું બગડવાપણું છે, ઈ કર્મમાં સ્થિત છે. કર્મના રસના ભાગમાં એ સ્થિત છે. એ આત્માના દર્શન જ્ઞાન જેનો રસ છે, જેનો સ્વભાવ છે તેમાં તે સ્થિત નથી. આવી વાત છે. ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી “યુગપ સ્વને એકત્વપૂર્વક જાણતો”થકો એકસાથે આત્માને એકત્વપણે જાણતો અને “સ્વ-સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે જોયું? જ્યારે એકત્વગતપણે વર્તે પ્રભુ આત્મામાં, ત્યારે તે “દર્શન-જ્ઞાન, ચારિત્રમાં સ્થિત હોવાથી જીવ દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી, યુગપ સ્વને એકત્વપૂર્વક જાણતો... એક સાથે પોતાને જાણતો અને સ્વસ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો, “જાણતો ને પરિણમતો સમયનો અર્થ કરવો છેને? એક સમયે જાણે કે એક સમયે પરિણમે, એવી ચીજ હોય તે આત્મા છે. બીજી ચીજ પરિણમે છે પણ જાણતી નથી. એટલે ખરેખર સમય એને કહીએ કે પોતે પોતાના સ્વરૂપને જાણતો પરિણમે અને પરિણમતો જાણે એ બેય એક હારે હોય તેને આત્મા કહેવામાં આવે છે. આહાહા! હવે આ લોકોને વધારે તો ઈ નિશ્ચયચારિત્ર છે એ વ્યવહારચારિત્રથી પ્રાપ્ત થાય છે. (શ્રોતા: એ પહોંચાડે છે!) પહોંચાડે, એ કાલ આવ્યું'તું ને? (શ્રોતા. વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્ર છે) એમ છેનીં.(વ્યવહાર) આવે છે. સ્વરૂપની એકત્વગતની, દર્શનશાનચારિત્રની સ્થિતિમાં અપૂર્ણ દશામાં વ્યવહારના એવા પંચમહાવ્રતના આદિ વિકલ્પો હોય છે પણ એનાથી નિશ્ચયની પ્રાપ્તિ થાય છે એમ નહીં અને એમ ક્યાંક કહ્યું હોય તો એ નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. એનાથી થાય છે એમ કહેવા માટે નહીં. આહાહા ! આંહી ક્યાં કેટલે પહોંચવું એને!! “સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો છે નેઅહીં સમયનો અર્થ કર્યો, જાણવું ને પરિણમવું. પહેલો કર્યો 'તો ને...?! સમ ઉપસર્ગ ને ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે પહેલુંય આવ્યું 'તું તેનો સરવાળો લીધો આંહી. આહાહા! જાણતો જે સમયે પરિણમે છે તે જ સમયે તેને જાણતો. આહાહા! અથવા જે સમયે જ્ઞાન થાય છે, તે જ સમયે તેને જાણતો. આહાહા! ગાથાઓ તો પહેલી વાર મુદ્દાની છે ને! બહુ ટૂંકામાં એકદમ ભરી દીધું છે, પછી વિસ્તાર ૧૩ થી તો કરશે. આહાહા ! આત્મા દર્શનજ્ઞાનમાં હોવાપણે તત્ત્વ છે, તેમાં જે એકપણે, પરથી ભિન્ન થઈને એકપણે દર્શન જ્ઞાન ને ચારિત્રમાં સ્થિત થાય, એ જીવ એ જ સમયે દર્શનજ્ઞાનચારિત્રપણે પરિણમતો અને તે જ સમયે તેને જાણતો. સમજાણું કાંઈ? છે ને સામે? આ તો ઓગણસમી વાર વંચાય છે સમયસાર. (શ્રોતા. બધાને માટે ઓગણસમી વાર નથી આપના માટે છે) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy