SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ સમયસાર સિદ્ધિ ભાગ-૧ પત્તો લ્ય, એને રાગમાં(થી) રસ ઊડી જાય. રાગ ઊડી જાય એમ નહીં, રાગ રહે. સમજાણું કાંઈ? આવા જે અનંતા ગુણો અને અનંતી પર્યાયો, છેડા વિનાની, છેલ્લા વિનાની, એવી દ્રવ્યની દૃષ્ટિ જેને થાય, એના અસ્તિત્વનો સ્વીકાર થાય, એના રસ આડે એને રાગમાં રસ રહે નહીં. રાગ તો એ અમુક ગુણોની પર્યાય, અને આંહી તો અનંતા અનંતા અનંતા છેડો નહીં આવે એટલા ગુણો. આહાહા ! ઝીણું બહુ બાપુ! વીતરાગ મારગની પ્રથમ સમ્યગ્દર્શન જ શું ચીજ છે. ઈ. ગજબ વાત છે. આહાહા ! એના વિના રખડી મર્યો છે ચોરાશીના અવતારમાં. આહાહા ! એ અબજોપતિ શેઠિયા કહેવાય એ મરીને ગધેડાં થાય, કૂતરાં થાય, કેમકે ધર્મ શું ચીજ છે એની અંતરમાં ખબર નથી. અને માંસ આદિ ખાતા ન હોય દારૂ આદિ એટલે નર્કમાં તો ન જાય. સિદ્ધાંતમાં લેખ છે શાસ્ત્રમાં અંદર કે એ બધાં જવાના ઢોર-તિર્યંચમાં આડા. આહા! જેવું સ્વરૂપ છે, એવું જેણે જાણ્યું નથી, માન્યું નથી, ઓળખ્યું નથી, એના વિરુદ્ધ ભાવો જે આડાં, વિકારીભાવો ને આડોડાઈ કરીને કર્યા છે, એ આડોડાઈ એટલે ટેડાઈ થઈ ગઈ છે. એ મરીને આડોડાઈ, એટલે તીર્થંચના શરીરમાં જવાના કારણ કે તીર્થંચના શરીર આમ આડાં છે, મનુષ્યનાં આમ ઊભાં છે. ગાય, ભેંસ ખીસકોલી આદિના આમ આડા છે ને? ટેડા, આહા! ઈ મોટી સંખ્યા ઈ છે, ઘણી સંખ્યા ત્યાં પૂરવાના છે. આહાહા! આંહી બીજું કહેવું છે, કે કર્મના પ્રદેશમાં સ્થિત છે તે બધા ગુણો તે વિકારી પર્યાયમાં સ્થિત નથી એકવાત અને કર્મ જે છે પરમાણુઓ, ઈ તો વિભાવરૂપે પરિણમેલ છે. એક (છુટ્ટો) પરમાણુ સ્વભાવરૂપે છે. અને આ તો વિભાવરૂપે પરિણમેલ છે. પણ વિભાવરૂપે પરિણમનમાં કર્મની પર્યાયપણે બધા ગુણો પરિણમ્યા છે એમ નથી. સમજાણું કાંઈ ? જેમ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણમનમાં સર્વ ગુણો શુદ્ધપણે–વ્યક્તપણે પરિણમ્યા છે. એમ વિકારપણે બઘા ગુણો પરિણમ્યા છે પરમાણુમાં એમ નથી, આત્મામાં પણ એમ છે. આત્મામાં પણ અશુદ્ધપણું- પરિણમન જે છે, ઈ બધા ગુણો અશુદ્ધપણે થાય છે એમ નથી. કેટલાક ગુણો અશુદ્ધ થાય બાકી તો, કેટલાક ગુણો અભવીને પણ શુદ્ધ રહે છે પર્યાયમાં. જેમ અસ્તિત્વ ગુણ અસ્તિત્વનું અશુદ્ધ શું થયું? અસ્તિત્વનું અશુદ્ધ શું થયું? “હોવું” ઓછું થઈ જવું? વાત સમજાય છે? આહાહા ! પંડિતજી! ઈ તો આમાં (પરમાણુમાં) એક પ્રદેશત્વ નામનો ગુણ છે સામાન્યમાં એ વિકારરૂપે પરિણમે ઈ એ તે બે પરમાણુ, ચાર પરમાણુરૂપે થાય ત્યારે એકલો નહીં. આહાહા ! તે કર્મપણે પરિણમેલા પર્યાયો, એમાં પણ પરમાણુમાં જેટલા ગુણો છે, એ બધા કર્મપણે પરિણમ્યા નથી. અમુક જ ગુણની પર્યાયો કર્મપણે થઈ છે. આહાહા ! એમાં જે રોકાયેલો છે જીવ, આમ અનંતગુણોમાં ન આવતાં, અનંતા પર્યાયો કર્મના રસની છે, ત્યાં અટકયો છે તે પરસમય એટલે અણાત્મા છે. (હજારો લોગ યાદ કરકે ભી ઇસ તત્ત્વકા વિરોધ કરતા હૈ ઓ આડા હૈ) આડાઈ કરે, વિરોધ અર્થ કરે, વિરુદ્ધ શ્રદ્ધા કરે આત્માથી વિરોધ વિકારના ભાવ કરે. આહાહાહા ! ગોમટ્ટસાર” માં પાઠ છે. તિર્યંચ કેમ થાય? “તિર્યંચ ” છે ને શબ્દ, તિર્યંચ એટલે તીરછું, તીરછું એટલે આવું, ઘણી સંખ્યા તો ઈ જ છે. આહાહા ! પણ કોને પડી. આહાહા ! આ બહારમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy