________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય. ૪૮
(૧) સમાધાન-સદ્ગુરુ ઉવાચ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦
જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧
છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇંદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર
દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રીય, પ્રાણ; આત્માની સત્તાવડ, તેહ પ્રવર્તે જાણ. પસ
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? પપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com