________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, ““ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વે 'મથી.'' ૪
ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, કશું જ કામનું ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના ઐકય નહીં, ધર્મ ધામ રામનું ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું. ૫
ધર્મ વિના ધન ધામ, ધાન્ય ધૂળધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં, ધિક્કતા ધરાય છે; ધર્મ વિના ઘીમંતની, ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું વૈર્ય, ધૂમ્ર હૈ ધમાય છે; ધર્મ વિના ધરાધર, ધૂતાશે, ન ધામધૂમે, ધર્મ વિના ધ્યાની ધ્યાન, ઢોંગ ઢંગે ધાય છે; ધારો ધારો ધવળ, સુધર્મની ધુરંધરતા, ધન્ય! ધન્ય! ધામે ધામે, ધર્મથી ધરાય છે. ૬
-વિ. સં. ૧૯૪૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com