SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૭૯ સત્ય પ્રરૂપણા સાંભળતા (પુણ્યભાવ થાય) દરરોજ બે – ચાર કલાક સાંભળવામાં જે પુણ્ય (ભાવ) થાય એય (કેટલાકને) નથી. એને એકલાં પાપના પરિણામ (થાય છે). પ્રભુ તું ક્યાં રહી ગયો એક કોર! (એટલે કે ધર્મથી બીજી કોર). આહા. હા ! અહીંયાં તો (કહે છે કે, ભગવાન ત્રિલોકનાથની વાણીમાં દિવ્યધ્વનિમાં અવાજ પોકાર આવ્યો છે. પ્રભુ! મારી જાતનો તું છો. મારી જાતની નાતનો તું છો. એ તારામાં પ્રભુતા અનંત ગુણની પડી છે. (ધ્રુવ છે). એને અવલંબીને –એનો આશ્રય કરીને, જે નિર્મળ સમ્યગ્દર્શન ને નિર્મળ જ્ઞાન ને નિર્મળ શાંતિ–ચારિત્ર (રૂપ) એ આત્માની નિર્મળ પર્યાય અને અહીંયાં “અવિચલિત ચેતનાવિલાસ (માત્ર)” કહેવામાં આવે છે. આહા... હા! આવો મારગ ક્યાં પહોંચવું? એક તો ધંધા આડે નવરાશ ન મળે. ધંધાથી નવરો થાય તો છ – સાત કલાક ઊંઘમાં જાય. (બાકીનો સમય) બાયડી – છોકરાને સાચવવામાં – રાજી કરવામાં જાય. અર.. ૨! કેદી” આ (પોતાનું હિત) કરે! શું કરે આ...? અનંત અનંત કાળ થ્યો પ્રભુ પરિભ્રમણ કરતાં (કરતાં છતાં થાક લાગતો નથી!) એ પરિભ્રમણને ટાળવાનો ઉપાય આ એક છે. આહા.... હા ! કે જે ભગવાન આત્મા પૂર્ણાનંદ, અનંત ગુણનો ઢગલો, રાશિ પડી છે ઈ. એનું અવલંબન લેતાં, એનો આશ્રય કરતાં, એનો શ્રદ્ધા- જ્ઞાનમાં સ્વીકાર કરતાં, જે શ્રદ્ધા-જ્ઞાન ને શાંતિ પ્રગટ થાય તેને અહીંયાં “અવિચલિત ન કરતાં, એનો શ્રદ્ધાજ્ઞાનમાં સ્વીકાર કરતાં, જે શ્રદ્ધા-જ્ઞાન ને શાંતિ પ્રગટ થાય તેને અહીંયાં “અવિચલિત' ન ચળે એવી ચેતનાવિલાસ (કહેવામાં આવે) છે. દ્રવ્ય ન ચળે! આહા...હા! ભગવાન વસ્તુ ત્રિકાળી પરમામસ્વરૂપ છે. સ્વભાવ અને શક્તિ તો પરમાત્મસ્વરૂપ છે. એ કોઈ દી' ચળે નહીં. એ જેમ ચળે નહીં તેમ તેને આશ્રય લીધેલી દશા પણ ચળે નહીં. આહા... હા! સમજાણું કાંઈ ? આવી વાત છે પ્રભુ! શું થાય..? વીતરાગ પરમાત્મા! ત્રિલોકનાથની અકષાય કરુણા છે!! હું! અકષાય કરુણા છે પ્રભુ!! આહા.... હા ! તારામાં – અંતરમાં–તારા ગુણસ્વભાવ-અનંત અનંત પવિત્રતા, એનો પિંડ તું છો ! અનંત શુદ્ધ ચૈતન્યઘનની રાશિ છો ! તારામાં એ દયા–દાન-વ્રત ભક્તિના પરિણામ, એ રાગ પ્રભુ તારામાં એ નથી. એ તારામાં નથી, તારા નથી. તું ત્યાં નથી. જ્યાં તું છે ત્યાં તે રાગ નથી. આહા... હા... હા! આવી વાત! અમૃત જેવી મીઠી છે.) એ અવિચલિત ચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારને વ્યવહાર કહીએ. આત્મા જે ત્રિકાળી નિશ્ચય વસ્તુ છે. સત્-સત્ (છે). સચ્ચિદાનંદ પ્રભુ (છે). સત્ શાશ્વત, જ્ઞાન ને આનંદ આદિ સ્વભાવનો સાગર છે એને નિશ્ચય કહીએ એને પરમસત્ય કહીએ, ત્યારે તેનો આશ્રય લઈને જે દશા પ્રગટી છે તેને આત્માનો વ્યવહાર કહીએ. આહા. હા! આવી વાત ( નિશ્ચય-વ્યવહારની) છે પ્રભુ! શું થાય ભાઈ ! બધી ખબર છે દુનિયાની (કે દુનિયા શું માને છે) બધી ખબર (શું) નથી! કેમ ચાલે છે ને દુનિયા (માં) બધી ખબર છે. છાસઠ વરસથી તો નિવૃત્તિ છે. દીક્ષા (લીધી.) (કહેવાય છે કે, દીક્ષા લીધી પણ સ્થાનકવાસીમાં તો દીક્ષા હતી જ કેદી'? આહા.... હા! હુજી તો (એને ) સમ્યગ્દર્શન કોને કહેવું? ખબર ન મળે. ત્યાં દીક્ષા કેવી ? દખ્યા હતી. (એટલે દુઃખ હતું) રાગને ધરમ માનવો એ દુઃખ ( હતું) દુઃખી, દુઃખી છે! આહા. હા! અહીંયાં કહે છે પ્રભુ! તારે જો (તારું) કલ્યાણ કરવું હોય – જનમ મરણના અંત - ભવના અંત લાવવા હોય, ભવભ્રમણ !! આહા.... હા.. હા ! “નિયમસાર” માં નથી. ચાર-પાંચ શબ્દો છે. ભગવંત ને આવા ભવી ને..! નિયમસારમાં છે ચાર પાંચ બોલ છે. છે આંહી ? (શાસ્ત્ર), (નિયમસાર” ગાથા-પાંચ ઉપરના શ્લોક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy