________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો પ૩૯ છે. પહેલી (પર્યાય) નહોતી ને બીજી થઈ અને તે-કાળે સિદ્ધપદ વખતે નરકગતિ કે મનુષ્યગતિ (આદિ) નથી કે મનુષ્યગતિ વખતે તે સિદ્ધગતિ નથી. ઈ અન્ય-અન્ય કહેવાય છે. છતાં તે અન્યઅન્ય, અનન્ય છે. એ દ્રવ્યથી તે વિશેષ અનન્ય છે. આહા.... હા... હા.... હા! સમજાય છે કાંઈ....? આવું સ્વરૂપ હવે!! બાઈયું ને બધાને બિચારાને.... વખત મળે નહીં. જિંદગીયું હાલી જાય છે! આહા.... હા! મનુષ્યપણાનું આયુષ્ય છે. છે એટલું જ છે. જેટલો કાળ દેહમાં રહેવાનું વિશેષપણે રહેવાનું છે.) તેટલો કાળ રહેશે. આયુષ્યને કારણે કહેવું એ પણ એક નિમિત્ત છે. આહા.... હા ! એ સ્થિતિમાં પોતાની સામાન્ય-વિશેષ દ્રવ્યશક્તિ, પરથી જુદી જો સાંભળી નહીં અને પરને લઈને કંઈપણ મારમાં ફેરફાર થાય છે ને મારાથી પરમાં કંઈ ફેરફાર થાય છે (એવા અભિપ્રાયવાળાનું) પરિભ્રમણ નહિ મટે પ્રભુ! આહા..! એના ભવભ્રમણના ચક્રો વિચરીત દષ્ટિને લઈને નહીં મટે. આહા... હા !
અહીંયાં કહે છે “આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં એ પર્યાય અનન્ય છે દ્રવ્યની. “અને અન્યપણામાં પહેલી નહોતી ને અન્ય થઈ છે, ઈ અન્યપણું કહેવાય અને અનન્યપણું પણ કહેવાય છે. (એમાં “વિરોધ નથી.” જેમ કે, મરીચિ અને શ્રી મહાવીર સ્વામી” મરીચિનો જીવ ઋષભદેવ ભગવાન વખતે (હતો ને...!) આહા... હા! “મરીચિ અને શ્રી મહાવીર સ્વામીનું અવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું.” ભિન્નપણું નથી અનન્યપણું છે. “અને જીવના વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી.” જુઓ! ક્યાં મરીચિની પર્યાય અને ક્યાં ભગવાન (મહાવીર સ્વામીની) પર્યાય! જીવ તો ઈ જ છે. જીવસામાન્ય એટલે કાયમ રહેનારાની અપેક્ષાએ અનન્યપણું છે. પણ જીવના વિશેષોની – અપેક્ષાએ અન્યપણું” ક્યાં મરીચિની પર્યાય ને ક્યાં ભગવાનની પર્યાય? એ અન્ય-અન્યપણું છે. એ વસ્તુમાં – સ્વરૂપની સ્થિતિમાં છે. કોઈ પરની અપેક્ષા એમાં છે નહીં. આહા... હા!
(હવે કહે છે કેદ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્યસામાન્ય જ જણાય છે.” પર્યાયને જોનારી આંખને (સર્વથા) બંધ કરીને, દ્રવ્યને જોવાની આંખ ઉઘડે છે. (એ ચક્ષુથી જોતાં) દ્રવ્યસામાન્ય જ જણાય છે. “તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે” દ્રવ્યાર્થિકથી તો દ્રવ્ય અનંતકાળમાં તેનું તે જ ભાસે છે. “અને પર્યાયાર્થિકનયરૂપી બીજા એક ચક્ષુથી જોતાં દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે” વિશેષમાં તફાવત મોટો છે.) “તેથી દ્રવ્ય અન્ય-અન્ય ભાસે છે”
ક્યાં મરીચિની પર્યાય? ને ક્યાં તીર્થંકર-કેવળીની પર્યાય? આહા.... હા ! ક્યાં નિગોદમાં - એક અક્ષરના અનંતમા ભાગની પર્યાય? એ જીવ ( ત્યાંથી) નીકળીને મનુષ્ય થઈને આઠ વર્ષે કેવળ (જ્ઞાન) પામે! આહા. હા! ક્યાં? સામાન્યની અપેક્ષાએ જીવ એનો ઈ. વિશેષની અપેક્ષાએ તો (જબરો તફાવત.) નિગોદમાં અક્ષરના અનંતમા ભાગે (જ્ઞાનપર્યાયનો) ઉઘાડ અને ત્યાંથી મનુષ્ય થાય, કારણ કે ત્યાં પણ (નગોદમાં પણ) શુભભાવ છે. પર્યાયમાં શુભભાવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com