________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો પર૧ જોવાનું જ્ઞાન ઉઘડી ગયું! આહા.... હા ! રમણિકભાઈ ! આવી વાત આવી! આહા. હા! “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” એટલે બે (ચક્ષુ ) થયાને! ઓલાને બંધ કરીને અને આને ઉઘાડેલા વડે. આહા... હા! “એકલા ઉઘાડેલા” દ્રવ્યાર્થિક એટલે પોતાના પુરુષાર્થથી ઉઘાડેલા એમ. આહા.... હા ! પર્યાયને જોવાનું જ્યાં બંધ કર્યું આહા.. હા ! ત્યાં દ્રવ્ય જોવાની પર્યાય ઉઘડી ગઈ !! આહા.. હા ! રતિભાઈ ! આવી વ્યાખ્યા છે, આવી વસ્તુ છે.
(કહે છે કેઃ) એમ કે સમયસાર! બાપા આ તો પ્રવચનસાર! નિયમસાર અષ્ટપાહુડ - (એમાં) અલૌકિક વાતું છે! આહા.... હા ! એ કંઈ એમ ને એમ મળે એવું નથી. આહા... હા! પહેલેથી જ કહે છે કે પર્યાયને જાણવાનું (બંધ કરી દઈને.) આહા.. હા! (પર્યાય ) એને તો બંધ કરી દઈ જવું ત્યારે એક બંધ કર્યું ત્યારે એક ઉઘડે જ તે. આહા.. હા! કહેવાનો આશય એવો છે કે પર્યાયદષ્ટિ જ્યાં બંધ કરી, ત્યાં દ્રવ્યદષ્ટિ – દ્રવ્યને જવાની ઉઘડેલું જ્ઞાન થયું. ઉઘડેલું દ્રવ્યાર્થિક ચક્ષુ આહાહા ! એ વડ “જયારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્થીપણું, મનુષ્પણું, દેવપણું અને સિદ્ધપણું - એ પર્યાયોસ્વરૂપ” હવે વિશેષને કહેશે. “વિશેષોમાં રહેલા” એ વિશેષો છે પણ એ વિશેષમાં રહેલ સામાન્ય છે. આહા... હા! પર્યાયોને જોવાનું બંધ કરીને ‘આ’ જોવાનું છે. આહા. હા! “એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા” (અર્થાત્ ) “પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલાં.” આહા. હા! પરમાં રહેલા નહિ પણ ફકત તારી જે પર્યાયો – એ પાંચ પ્રકારની, ચાર ગતિની ને પાંચમી (સિદ્ધની) એ પાંચ પર્યાય વિશેષ છે. એમાં રહેલા “જીવસામાન્યને” એની સંધિ તો કરી. “એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા (એક) જીવસામાન્યને” એવું જે જીવસામાન્યને – કહેવું છે તો સર્વ દ્રવ્યો સામાન્ય – વિશેષ છે પણ લોકોને સમજાય તેથી જીવદ્રવ્યનો દષ્ટાંત આપ્યો. સમજાણું? બાકી બધા દ્રવ્યોને વિશેષને જોનારો તો છો ને તું? એટલે વિશેષતા તો આવી ગયો તું. સમજાણું કાંઈ ? એ વિશેષોમાં રહેલો જે સામાન્ય. જે (પર્યાયને) જોવાની આંખ્યું હતી તેને બંધ કરી દઈને. છતાં તે પર્યાયમાં રહેલો જીવ (સામાન્ય) આહા.... હા.. હા ! સમજાણું કાંઈ?
(અહીંયાં કહે છે કે, “એ પર્યાયો “સ્વરૂપ વિશેષોમાં રહેલા (એક) જીવસામાન્યને અવલોકનારા ” “એક” “જીવ' “સામાન્યને” અવલોકનારા – અવલોકન છે તો પર્યાય, પણ જનાર જુવે છે દ્રવ્યને (સામાન્ય) આહા... હા! (“સમયસાર') ૩૨૦ ગાથામાં કહ્યું ને...! છેલ્લા જયસેન આચાર્ય! (ટીકામાં છે ને..!) – જે સકલનિરાવરણ – અખંડ - એક - પ્રત્યક્ષ – પ્રતિભાસમય - અવિનશ્વર - શુદ્ધપારિણામિક - પરમભાવ લક્ષણ - નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું – એમ પર્યાય જાણે છે. કેમકે “આવું દ્રવ્ય હું છું” – એમ જાણવું (કાર્ય) દ્રવ્યને છે નહીં. પર્યાયમાં જાણવું (કાર્ય) થાય છે. તેથી પર્યાય એમ કહે છે કે “હું તો આ છું' નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું. ભલે વિશેષોમાં રહેલો છું, પણ છું આ -એમ પર્યાય જાણે છે. એજ કહે છે કે –“જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “બધું ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com