SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૬૭ જીવ પરિણમે તેથી નરાદિક એ થશે; પણ તે-રૂપે શું છોડતો દ્રવ્યત્વને? નહિ છોડતો કયમ અન્ય એ? ૧૧૨. ટીકા- પ્રથમ તો દ્રવ્ય વસ્તુ દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને ” દેખો. આહા.... હા! દ્રવ્ય જે છે વસ્તુ! એનું દ્રવ્યપણું-ભાવ જે છે તેનું ભાવપણું-એવી અન્વયશક્તિઓને “સદાય નહિ છોડતું થયું” આહા.... હા! પ્રથમ તો ઈ કહેવું છે કે દ્રવ્ય, દ્રવ્યત્વભૂત વસ્તુ તેનો ભાવ, તેનું ભાવપણું આહા.... હા! વાત થઈ 'તી હુમણાં નહીં! ચંદુભાઈ આવ્યા” તા દાકતર. તે દિ' વાત થઈ ' તી. ભાવ અને ભાવવાન વસ્તુ એક જ છે. નામ ભલે બે (હોય) વસ્તુ અભેદ જ છે. એમ દ્રવ્યત્વ-દ્રવ્ય દ્રવ્યત્વભૂત (એટલે) વસ્તુ છે ઈ દ્રવ્ય, દ્રવ્યત્વભૂત (એટલે) એનું ભાવપણું અન્વયશક્તિઓ. જેમ દ્રવ્ય અન્વય છે (અથવા) કાયમ રહેનાર. એમ એની અન્વયશક્તિઓને “સદાય નહિ છોડતું થયું” આહા.... હા ! દ્રવ્ય જે છે ઈ દ્રવ્ય તો પોતે દ્રવ્યને નહિ છોડતું પણ દ્રવ્ય છે તેના દ્રવ્યત્વ (એટલે) અન્વયશક્તિઓ કે ભાવવાન (અર્થાત્ ) ભાવનો ભાવવાનને કદી નહિ છોડતું. આહા. હા! આવી ચીજ ( સત્) છે. એક લીટીમાં કેટલું સમાડયું છે! બીજા હારે તારે શું સંબંધ? (મૂળ તો ) એમ કહેવું છે. (કહે છે) ભલે તે દ્રવ્ય દ્રવ્યત્વભૂત અન્વયશક્તિઓને સદાય નહિ છોડતું (ભલે) તે ગમે તે પર્યાયમાં હો. આહા.... હા ! તો ય પરને અને એને કાંઈ સંબંધ નથી. ત્રિકાળી દ્રવ્ય, એનું દ્રવ્યત્વપણું એટલે અન્વયશક્તિઓ- એ તો કાયમ એકરૂપ ત્રિકાળ છે. પણ તેની થતી પર્યાયો ઈ અન્વયશક્તિને છોડીને નથી થતી. દ્રવ્યને છોડીને પર્યાય થતી નથી. પર્યાયમાં તો તેનો તે અન્વય તે દ્રવ્ય અને તેનો તે ગુણ (છે) એવો ને એવો ગુણ ને એવું ને એવું દ્રવ્ય રહે છે. આહા.... હા! સમજાય છે આમાં? સ” પ્રભુ! સત–ઉત્પાદ સિદ્ધ કરે છે. “સ” વસ્તુ છે. એનું જે દ્રવ્યપણું (એટલે ) દ્રવ્યનું દ્રવ્યપણું. આહા... હા! (એટલે કે) અન્વયશક્તિ. વસ્તુને અન્વય કીધી, પણ એની શક્તિઓ જે સત્ત્વ છે (અર્થાત્ ) સતનું સત્ત્વપણું દ્રવ્યનું દ્રવ્યપણું-ભાવનું ભાવવાનપણું-એવી “અન્વયશક્તિને સદાય નહિ છોડતું થયું (સત્ જ છે.) આહા.... હા ! (કહે છે કે:) ગમે તે પર્યાયમાં હો, પણ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ (એટલે) અન્વયશક્તિઓ – ત્રિકાળ એકરૂપ છે ગુણો-એને ઈ (દ્રવ્ય) કોઈ દિ' છોડતું નથી. આહા... હા! એવી દષ્ટિ કરાવવા આ વાત કરે છે. આહા... હા! દ્રવ્ય તો લીધું પણ દ્રવ્યનું દ્રવ્યત્વ એટલે કે અન્વયશક્તિઓ એમ. આહા... હા! “દ્રવ્યત્વભૂત” કીધું છે ને ભાઈ....! “દ્રવ્યત્વભૂત” ઝીણી વાત છે પ્રભુ! દ્રવ્ય છે વસ્તુ છે. ઈ “સત્ જ (હયાત જ) છે.” સતનું જે સત્પણું દ્રવ્યત્યપણું-અન્વયશક્તિપણું-એ અન્વયશક્તિને દ્રવ્ય સદાય નહિ છોડતું (થકું ) સત્ જ (હયાત જ) છે. આહા.... હા! “જ્યારે જુઓ ત્યારે ઈ પુરણ ભંડાર ભર્યો છે” એમ કહે છે એ દ્રવ્ય છે ( એનું) દ્રવ્યત્વભૂત-દ્રવ્યપણું એટલે અન્વયશક્તિપણું એટલે ભાવનું ભાવપણું – દ્રવ્ય (ને) જ્યારે “ભાવ” કહીએ ત્યારે એનું સત્ત્વપણું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy