SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૪૬ હવે દ્રવ્યને સત-ઉત્પાદ અને અસત્-ઉત્પાદ હોવામાં અવિરોધ સિદ્ધ કરે છે: एवंविहं सहावे दव्वं दव्वत्थपज्जयत्थेहिं । सदसब्भावणिबद्धं पाडुब्भावं सदा लभदि ।। १११ ।। एवंविधं स्वभावे द्रव्यं द्रव्यार्थपर्यायार्थाभ्याम् । सदसद्भावनिबद्धं प्रादुर्भावं सदा लभते ।। १११ ।। આવું દરવ દ્રવ્યાર્થ-પર્યાયાર્થથી નિજભાવમાં સદ્ભાવ-અણસદ્ભાવયુત ઉત્પાદને પામે સદા. ૧૧૧. ગાથા – ૧૧૧ અન્વયાર્થ- [āવિષે દ્રવ્ય] આવું (પૂર્વોકત) દ્રવ્ય [સ્વભાવે] સ્વભાવમાં [દ્રવ્યર્થપર્યાયામ્યાં] દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયા વડે [સસીનિવર્લ્ડ પ્રાદુર્ભાવ ] સદ્ભાવસંબદ્ધ અને અસદ્ભાવસંબદ્ધ ઉત્પાદન [સવા નમતે] સદા પામે છે. ટીકા- આ પ્રમાણે યથોદિત સર્વ પ્રકારે અકલંક લક્ષણવાળું, અનાદિનિધન આ દ્રવ્ય સતસ્વભાવમાં (અસ્તિત્વસ્વભાવમાં) ઉત્પાદ પામે છે. દ્રવ્યનો તે ઉત્પાદ, દ્રવ્યની અભિધેયતા વખતે સદ્ભાવસંબદ્ધ છે અને પર્યાયોની અભિધેયતા વખતે અસદ્ભાવસંબદ્ધ છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે: જ્યારે દ્રવ્ય જ કહેવામાં આવે છે. પર્યાયો નહિ, ત્યારે ઉત્પત્તિ-વિનાશ રહિત, યુગપ પ્રવર્તતી, દ્રવ્યની નિપજાવનારી અન્વયે શક્તિઓ વડે, ઉત્પત્તિવિનાશલક્ષણવાળી, કમે પ્રવર્તતી, — — — — — — — — — — — — — — — — — — — — — —— ૧. અકલંક= નિર્દોષ. (આ દ્રવ્ય પૂર્વે કહેલા સર્વ પ્રકારે નિર્દોષ લક્ષણવાળું છે.) ૨. અભિધેયતા= કહેવાયોગ્યપણું; વિવક્ષા, કથની. ૩. અન્વયશક્તિઓ= અન્વયરૂપ શક્તિઓ. (અન્વયશક્તિઓ ઉત્પત્તિ અને નાશ વિનાની છે. એકીસાથે પ્રવર્તે છે અને દ્રવ્યને નિપજાવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે આત્મદ્રવ્યની અન્વયશક્તિઓ છે. ). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy