SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૮ પ્રવચનસાર પ્રવચનો ૪૨૦ નથી આહા... હા! આ તો બધા ન્યાયના ગ્રંથ છે! (અહીંયાં કહે છે કે:) (અથવા ઉભયશૂન્યતારૂપ બીજો દોષ આ પ્રમાણે આવે.”(૧) “જેમ સુવર્ણનો અભાવ થતાં સુવર્ણપણાનો સુવર્ણપણું એનો અભાવ થાય.” સુવર્ણ એટલે દ્રવ્ય, સુવર્ણનો અભાવ થતાં સુવર્ણપણાનો અભાવ થાય. “સુવર્ણપણાનો અભાવ થતાં સુવર્ણનો અભાવ થાય- એ રીતે ઉભયશૂન્યતા (બન્નેનો અભાવ) થાય, તેમ દ્રવ્યનો અભાવ થતાં ગુણનો અભાવ થાય, આહા... હા ! દ્રવ્યથી, ગુણ તદ્દન અભાવ છે. એમ કહે (માને) તો બેયની શૂન્યતા આવે. જો દ્રવ્ય તદ્દન ભિન્ન અને ગુણ તદ્દન ભિન્ન (હોય) તો દ્રવ્યનો પણ અભાવ થાય. ગુણસ્વભાવવાળું દ્રવ્ય છે. તો જો દ્રવ્યનો તદ્દન અભાવ કહો તો ગુણનો અભાવ થઈ જાય. અને ગુણનો અભાવ કહો તો દ્રવ્યનો અભાવ થઈ જાય. કો” વેપારીને. આ ન્યાય પકડે! (શ્રોતા ) કેમ નો' પકડે, વેપારીને બુદ્ધિ નથી ! (ઉત્તર) તમે તો વકીલ છો. તો આ (વેપારીની વકીલાત !) (શ્રોતા:) વેપારીને બુદ્ધિ નથી ? (ઉત્તર) આહા.... હા ! સિદ્ધ તો એમ કરવું છે, કેઃ ત્રણ છે-દ્રવ્ય-ગુણ-ને પર્યાય. તો ઈ અપેક્ષાએ એનું અન્યપણું છે. પણ દ્રવ્યનો અભાવ તે ગુણ ને ગુણનો અભાવ તે દ્રવ્ય, એમ નથી. શાંતિભાઈ ! આમાં તમારે ચોપડામાં આવતું નો” હોય ક્યાં” ય! આજે આવ્યું છે (પત્રિકામાં) સંપૂર્ણ આહાર વિના ચાલતું નથી! (પરંતુ અહીંયાં તો) સિદ્ધ ઈ કરવું છે કે (જે) ગુણ છે એનો ભાવ, દ્રવ્યથી અતર્ભાવ છે. જેવો તે ગુણભાવ છે તેવો જ દ્રવ્યભાવ છે એમ નહીં. (કારણ ) દ્રવ્ય એકરૂપ “ભાવ” છે. ગુણભાવ અનેકરૂપ “ભાવ” છે. આહા... હા ! પણ (એકબીજામાં) તદ્દન અભાવ જોવા જાવ (તો તો) દ્રવ્યના અભાવે ગુણ પણ નહીં રહે અને ગુણના અભાવે દ્રવ્ય પણ નહીં રહે. આહા.... હા! એમાં (બે વચ્ચે ) અતભાવ તરીકે અને રાપણું કહેવામાં આવ્યું, છતાં પણ એકબીજામાં તદ્દન અભાવ તરીકે, ગણશો, તો બેય ની શૂન્યતા થશે. સમજાણું કાંઈ ? (કહે છે ) આહા.. હા! આવું વેપારીને તો આવ્યું નોહોય કોઈ દિ! લોઢાના વેપારમાં આવે છે આવું? આહા.... હા. હા! અહીંયાં તો (કહે છે) પરદ્રવ્યથી તો (આત્મદ્રવ્યને) અભાવ છે. પણ દરેક પદાર્થમાં-દ્રવ્ય અને ગુણ છે. એ (બે) વચ્ચે અતભાવ છે. એ અતભાવની અપેક્ષાએ તેને (દ્રવ્ય અને ગુણને) અન્યત્વ કહેવાય છે. પણ સર્વથા-દ્રવ્યમાં ગુણ નથી ને ગુણમાં દ્રવ્ય નથી તો તો બેયનો અભાવ થઈ જાય. આહા. હા! સમજાણું કાંઈ ? આહા... હા. હા! આચાર્યોએ! અરે ! જગતને કરુણા કરીને! એક-એક ( ન્યાયને) આ શબ્દો! આ ટીકા! અપ્રમત્તદશામાં રહેવું! જાણનાર રહેવું! આહા. હા! એમાં વળી આ વિકલ્પ (ટીકાનો) આવ્યો તો આ ટીકા ( રચાઈ ગઈ. ) આહા.... હા.... હા! ભવ્યોના હિતને માટે. (અહીંયાં કહે છે કેએ રીતે ઉભયશૂન્યતા થાય.” એટલે બેય નો અભાવ થઈ જાય, દ્રવ્યનો ને ગુણનો. (જો એમ કોઈ માને ) તદ્દન દ્રવ્યથી ગુણ જુદા ને ગુણથી દ્રવ્ય જુદું (તો તો ) બેયનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy