SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૯૧ છે. આના પ્રદેશને એના પ્રદેશ એક નથી. અને આત્માના ગુણ ને આત્માના પ્રદેશ (તો) એક છે. એક હોવા છતાં અતભાવ છે. ગુણ દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં. એવી રીતે (એ) બે વચ્ચે અતર્ભાવપણાનું અન્યપણું સાબિત થાય છે. અહીં.. હા! આવું છે. આહા.... હા! કેટલું નાખ્યું !! અન્ય પદાર્થ, ભગવાન હો તીર્થંકરદેવ! એની વાણી ! એ આત્માના પ્રદેશથી, ભિન્ન પ્રદેશ છે. ભગવાનના પ્રદેશ ભિન્ન છે તે પૃથક પ્રદેશ તરીકે અન્ય છે. આહા.. હા.. હા ! મંદિર, મૂર્તિને, એ બધા આત્માથી પૃથક પ્રદેશે કરીને ભિન્ન છે. આહા.... હા ! કો' શાંતિભાઈ ! આહા.... આવું છે! વીતરાગ મારગ ! અને એ આત્મા! પૃથક પ્રદેશ છે એવા ઈ દ્રવ્યો! એને જાણવાનું કામ કરે (એ આત્મા) છતાં ઈ જાણવાનું કામ, પોતાના પ્રદેશમાં રહીને ઈ જાણે છે. ઈ પરના પ્રદેશમાં જાતું નથી (ઈ આત્મદ્રવ્ય ). તેમ પર અહીંયા આવતા નથી. એટલો, પરથી, પૃથકલક્ષણ પરનું- ઈ મુખ્ય લક્ષણ છે. અને હવે આત્માની અંદર, દ્રવ્યમાં, એના ગુણ અને ગુણી (એટલે) આત્મદ્રવ્ય, આ દ્રવ્ય છે આ ગુણ છે એ બેયને અતભાવ (અર્થાત્ ) “તે નહીં” ગુણ છે તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય છે તે ગુણ નહીં. એવો અતર્ભાવ, (એ) અતભાવની અપેક્ષાએ અન્યપણું છે. (પણ) (પ્રદેશ પૃથક નથી.) પૃથક પ્રદેશપણું નથી. પૃથક પ્રદેશનું “અન્યપણું” ને અતભાવનું અન્યપણું” બે ય જુદી જાત છે. અહીં.. હા... હા ! આહા! આવી વાત સાંભળવા, નવરાશ ન મળે કયાં 'ય! (આ શું કહે છે!) પૃથક પ્રદેશ! (ને વળી) અતભાવ! અતભાવ એટલે “તે-ભાવ નહીં' (આત્મ) દ્રવ્ય છે તે જ્ઞાન નહીં ને જ્ઞાન છે તે (આત્મ) દ્રવ્ય નહીં. (ઈ) અતભાવ છે. અતભાવની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણને અન્યપણું છે. પૃથક પ્રદેશની અપેક્ષાએ, અન્ય-પરની સાથે અન્યપણું છે. (અર્થાત્ પર સાથે અન્યપણું છે.) અતભાવ' (અર્થાત્ ) “તે-નહીં” . દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં. અતભાવની અપેક્ષાએ દ્રવ્ય ને ગુણ ને અન્યપણું છે. સમજાય છે કાંઈ ? (કહે છે) (શ્રોતા:) પ્રયોજન નથી સમજાતું... (ઉત્તર) પ્રયોજન આ છે અંદર. કહ્યું ” તું ને સવારે, કે પર પદાર્થ – પૃથક પ્રદેશ છે. એનું લક્ષ છોડી દે. તારામાં પણ ગુણ ને આત્મા – બે વચ્ચે – અતભાવ અન્યત્વ છે. તેથી તેના ગુણ અને ગુણીના ભેદનું લક્ષ છોડી દે. આહા... હા.... હા! અને એક આત્મા, જ્ઞાયકભાવસ્વરૂપ છે, તેના ઉપર દષ્ટિ દે તો તેને સત્ હાથ આવશે. લો! સમજાણું કાંઈ ? કે, ને પડી છે, કે” ને પડી ! આહા.. હા! હજી તો સાચું – જ્ઞાન સાચું, સમ્યક પછી, પણ સાચું જ્ઞાન (કરે). જેમ છે તેમ જ્ઞાન થવું એ પણ કઠણ ! જ્ઞાન થયું નથી ને સમકિત થાય, એમ નથી કાંઈ ! આહા.... હા ! (શ્રોતા:) આનું જ્ઞાન થાય, તો તો થઈ જાય ને..? (ઉત્તર) ઓથે થયું તો હોય જ છે. જેમ તિર્યંચોને થાય છે પણ એને આ ગુણ ને ગુણીને આ અતભાવ એનું એને જ્ઞાન નથી “છતાં દષ્ટિ ઉપર છે એથી એને સમ્યગ્દર્શન થાય છે.” (શ્રોતા:) ઈ ઓથે-ઓથે થાય.. (ઉત્તર) ઓથે-ઓથે (નહીં) પણ જ્ઞાન ઘણું છે. જ્ઞાન Please inform us of any errors on [email protected]
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy