SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૩૩ છે? બે પરમાણુ આ. ઝીણું પોઈન્ટ. આ (આંગળી.) કાંઈ એક નથી. (અનેક છે) આના કટકા કરતાં – કરતાં – કરતાં – છેલ્લો રહે, એને પરમાણુ કહે (છે.) ઈ બે અણુ સમાનજાતીય છે ને? “સમાન જાતીય અનેક દ્રવ્યપર્યાય વિનષ્ટ થાય છે.” આહા... હા ! એ દ્વિ-અણુક સમાનજાતીયની પહેલી જે પર્યાય હતી તે વિનષ્ટ થાય છે. “અને બીજો ચતુરણુક (સમાન જાતીય અનેક દ્રવ્યપર્યાય) ઉત્પન્ન થાય છે.” શું કીધું? બે પરમાણુમાં જે પર્યાય છેપહેલી એનો નાશ થાય છે અને ત્રણ-ત્રીજો પરમાણુ ભેગો થાય છે ને ત્રણ પરમાણુ પર્યાય ઉત્પન્ન થાય છે. બે નો વ્યય થ્યો, ત્રણને ઉત્પત્તિ થઈ. આહા....! આંહી સિદ્ધ કરવું બહું ઝીણું છે! આંહી ભાષા, એ આત્મા કરી શકે એમ નહીં ત્રણ કાળમાં! આ હાથ હલાવી શકે નહીં ત્રણકાળમાં! આહા...! ઈ પરમાણુ બે છે ઈ ત્રણમાં જયારે આવ્યો, સમાનજાતીય (તો) બે નો વિનષ્ટ થઈને ત્રણની ઉત્પત્તિ થઈ (સ્કંધમાં) અને એને કારણે એ (ઉત્પત્તિ) થઈ આત્માથી નહીં. આહા.... હા! (અહીંયાં કહે છે કેઃ) સમાનજાતીય અનેક દ્રવ્યપર્યાય ઉત્પન્ન થાય છે પરંતુ તે ત્રણ કે ચાર પુગલો (પરમાણુઓ) તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે (-ધ્રુવ છે).”શું કીધું? આહા.... હા! ત્રણનો (સમૂહ) હતો ને.! ત્રિ-અણુક હુતો ને પહેલો. ત્રિ-અણુક (એટલે) ત્રણ પરમાણુ અને અનેક દ્રવ્યપર્યાય થતાં બીજો ચતુરણક, ત્રણ પરમાણુઓની પર્યાય તો હુતી, હવે ઈ ચોથા પરમાણુમાં જયારે જોડાણું ત્યારે ચાર પરમાણુની પર્યાય નવી થઈ. એ ઉત્પન્ન થઈ, ત્રણ પરમાણુની પર્યાય વિનષ્ટ થઈ. પરમાણપણે કાયમ રહ્યા. આહા.. હા ! આખો દિ' કહે છે અમે કરીએ – કરીએ! છીએ. ધંધા ઉપર બેઠો દુકાને ને આ કરીએ, ના પાડે છે ભગવાન! આહા.. હા.. હા... હા! દુકાને બેઠો હોય તે અમે કરીએ, આનું આમ વંચીએ ને (નોકરોને કહીએ) આનું આમ કરી ને આનું આમ કરો. ભાષાનો ધણી થાય, શરીરનો ક્રિયાનો ધણી થાય. પૈસા આપે એનો ધણી થાય, પૈસા લ્ય એનો ધણી થાય. અહીંયાં ના પાડે છે. આહા.... હા! (શ્રોતા ) ત્યાગીઓ તો ના જ પાડે ને..! (ઉત્તર) વસ્તુનું સ્વરૂપ એમ છે. ત્યાગી એટલે શું? વસ્તુનું સ્વરૂપ એમ છે. કે જે ત્રણ પરમાણુઓ છે. અને ઈ ત્રણ પરમાણુઓની તે પર્યાય તો હોય જ છે. હવે ઈ ચાર પરમાણુ જયારે થાય ત્યારે (સ્કંધની ઉત્પત્તિ) ચારની થાય એટલે થાય એટલે ત્રણનો વિનષ્ટ થાય. પરમાણુ તો કાયમ રહે. આમ તો અનંત (પરમાણુઓ) માં એમ છે. દાખલા ત્રણ (ચાર પરમાણુનો) આપ્યો છે. બાકી આ અનંત (પરમાણુઓની વાતો છે. હવે આ અનંતા પરમાણુ છે (શરીરના) એની પર્યાય ઉત્પન્નરૂપ છે. હવે એની પર્યાયમાં જયારે હીણી બીજી પર્યાય થાય ત્યારે ઈ બીજી પર્યાયપણે ઉત્પન્ન છે અને પહેલી પર્યાયપણે વ્યય છે. પણ આમ (હાથ કે શરીર) હાલવાની પર્યાયનો કર્તા પરમાણું છે. આત્મા એને હલાવે હાથ (કે શરીરને) એમ છે નહીં. આખો દિ' ત્યારે શું કરે આ ( લોકો )? અભિમાન કરે આખો દિ'. “હું કરું હું કરું એ જ અજ્ઞાન છે (શકટનો ભાર જેમ શ્વાન તાણે '). આહા... હા! આ આંગળી, એક છે, ઈ પર્યાય છે (પરમાણુની) આમ થઈ (બે ય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy