________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૮૨ - ભિન્ન ભિન્ન અવસ્થા (છે.) પણ ઈ ભિન્ન ભિન્ન અવસ્થા એકલી નહીં મળે. એ ભિન્ન ભિન્ન અવસ્થા અન્વયની છે, એના વિના એ હોય નહીં. અને ઇ અન્વય, વ્યતિરેકો વિના હોય નહીં અને એ વ્યતિરેકો, અન્વયે વિના હોય નહીં. જો વ્યતિરેકો અન્વય વિના હોય તો ધ્રુવનો (અન્વયનો) જ નાશ થઈ જાય. આહા..હા..હા ! માળે સમજાય છે કાંઈ? (શ્રોતા:) તું ભગવાન છો, ભગવાન બનાવવાની વાત (આપ કરો છો ને...!) (ઉત્તર) ચાલે છે, હાલે ઈ ખરું અંદરથી ! આહા... હા ! કેટલી વાત કરે છે ઓહોહો ! કીધું ને..! “ચૈતન્ય વગેરેનો ઉચ્છેદ થાય.” સત્ છે એકલો સંહાર ગોતવા જાય ઉત્પત્તિ વિનાનો સંહાર હોઈ શકે નહીં અને કાં” સંહાર એલો ગોતવા જાય તો સનો સંહાર થઈ જાય. (માન્યતામાં). સત્ ચૈતન્ય છે એનો સંહાર થઈ જાય! (અહીંયાં) બીજા પરમાણુ આદિ ન લીધા ભગવાન ચૈતન્ય ધ્રુવ છે ધ્રુવ અંદર એ સંહારમાં, ઉત્પત્તિમાં-વ્યતિરેકોમાં કારણ અન્વય છે. જો એકલો સંહાર ગોતવા જઈશ તો એનું (મૂળ) કારણ અન્વય, તેનો નાશ થશે. આહાહા! ગુણીરામજી આવી વાત ઝીણી છે. આ વળી ફરીવાર લેવાનું કીધું ભાઈએ, રામજીભાઈએ! આચાર્યોની શૈલી તો ઘણી સરળ અને સીધી સીધી !! આહા! ઉચ્છેદ થાય “અર્થાત્ સર્વ દ્રવ્યોનો સમૂળગો વિનાશ થાય એ દોષ આવે.” બે (બોલ) થયા. ઉત્પાદને વ્યય એકલાં નથી એમ સિદ્ધ કર્યું. ઉત્પાદ ને સંહાર ધ્રુવ વિના ન હોય, સંહાર ઉત્પાદ ને ધ્રુવ વિના ન હોય એમ સિદ્ધ કર્યું. હવે ધ્રુવ” (સિદ્ધ કરે છે.) આહા..હા..હા!
(અહીંયાં કહે છે કેઃ) “કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી.” ભાષા જાણે એમ કરી. “જેવાં સ્થિતિમુપાચ્છન્યા મૃતિયાસંસ્કૃતમાં એમ છે. ત્રણેયમાં શબ્દ જુદા છે (ટકામાં) બીજી લીટી છે. સ્થતિમુHIઋત્ય સ્થિતિને પ્રાપ્ત કરવા જનારી, એટલે એકલા ધ્રુવને (જા માનવા જશો. આહા... હા! કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા (જનારી મૃત્તિકાની) છે ને? (નીચે ફૂટનોટમાં ) કેવળ સ્થિતિ = (ઉત્પાદ અને વ્યય વિનાનું) એકલું ધ્રુવપણું; એકલું ટકવાપણું, એકલું અવસ્થાન. અન્વય, વ્યતિરેકો સહિત જ હોય છે. ધ્રુવ છે તે વ્યતિરે કો સહિત જ હોય. અને તેથી ધ્રોવ્ય ઉત્પાદવ્યયસહિત જ હોય, એકલું હોઈ શકે નહીં. જેમ ઉત્પાદ અથવા વ્યય દ્રવ્યનો અંશ છે–સમગ્ર દ્રવ્ય નથી. આહા.... હા ! ઉત્પાદને વ્યય દ્રવ્યનો અંશ (છે) સમગ્ર દ્રવ્ય નથી. તેમ ધ્રૌવ્ય પણ દ્રવ્યનો અંશ છે, સમગ્ર દ્રવ્ય નથી. આહા..હા ! દ્રવ્ય તો ઉત્પાદવ્યયને ધ્રુવ ત્રણે થઈને છે. અહીં....
(કહે છે કે ) કેવળ એકલા... માટીની સ્થિતિ છે એમ સિદ્ધ છે એમ સિદ્ધ કરવા જાય. આત્મામાં એમ લ્યો! આત્મામાં (એકલું) ધ્રુવપણું છે એમ સિદ્ધ કરવા જાય, તો મિથ્યાત્વનો વ્યય ને સમકિતની ઉત્પત્તિ વિના એ ધ્રુવપણું સિદ્ધ થશે નહીં. આહા.. હા! સમજાણું કાંઈ ? આહા.... હા ! ખૂબી તો જુઓ!! કે ધ્રુવ છે એ મિથ્યાત્વના વ્યય વિના ને સમકિતની ઉત્પત્તિ વિના એ ધ્રુવ સિદ્ધ થશે જ નહીં. એનો અર્થ છે કે સમકિતની ઉત્પત્તિ ધ્રુવને આશ્રયે છે, એ ઉત્પત્તિ ધ્રુવ વિના નહીં થાય. આહા... હા! અને ધ્રુવ વિના મિથ્યાત્વનો વ્યય પણ નહીં થાય. કારણકે બે ય વ્યતિરેકો (ઉત્પાદવ્યય ) ભિન્ન ભિન્ન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com