SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૪૬ નથી વિદેશ હોવા છતાં સંદશ જે ધ્રુવ સ્થિતિ એને છોડતાં નથી. અને ઈ વિસદેશ છે એ વિસદશને જાણે છે એમ ન કહ્યું. આહા.. હા! શું કીધું સમજાણું આમાં? વિદેશ છે ઈ વિદેશને જ પ્રકાશે છે એમ ન કહ્યું. આહા.... હા! વિસદેશ એટલે? ઉત્પાદન ને વ્યય એ વિસદેશ છે. બેયમાં ભાવમાં વિરોધ છે એક છે ભાવરૂપ અને એક છે અભાવરૂપ. ઉત્પાદ તે “ભાવરૂપ” ને વ્યય તે “અભાવરૂપ” (છે). છતાં બેય એકસમયે હોય છે. છતાં તે બેય સ્થિતિને છોડતાં નથી. ટકતા તત્ત્વને છોડતાં નથી. એક વાત. બીજું તે ટકતા તત્ત્વને તે વ્યતિરેક પ્રકાશે છે. વ્યતિરેક વ્યતિરેકને પ્રકાશે છે એમ નથી. ઈ તો અંદર જ્ઞાન થતાં આવી જાય અંદર. વળી વ્યતિરેકો ધ્રૌવ્યને પ્રકાશે છે. આહા. હા! ગજબ વાત કરે છે ને!! આકરો !! આતો ભઈ મારગ એવો છે આ કાંઈ વારતા નથી. ત્રણલોકના નાથ, સર્વજ્ઞદેવ! એની આ વાણી છે. કુંદકુંદાચાર્ય દ્વારા લખાણું છે! અમૃતચંદ્રાચાર્યે ટીકા કરી છે!! (શાસ્ત્રપાઠી) વાંધા બહુ કરે કેઃ નિમિત્ત વિના કાર્ય થાય? “તત્ત્વાર્થ રાજવાર્તિક' માં આવે છે બે કારણથી કાર્ય થાય. અને અહીંયાં કહે છે કે એનું કાર્ય જે છે ઉત્પાદ-વ્યયનું એ પોતાથી થાય છે. અને તે કાર્ય (આ) સદેશને છોડતું નથી. વળી તે કાર્ય સદશને છોડતું (જા નથી. (વળી) એ કાર્ય સદશને પ્રકાશે છે!! આહા... હા! (આ વસ્તુસ્થિતિ) વાણિયાના ચોપડામાં આવે નહીં, બહારની ચર્ચામાં આવે નહીં. આહા... હા! શું વાત કરી છે! (આચાર્ય ભગવંતોએ!) વ્યતિરેકો દ્વારા (એટલે કે) ઉત્પાદ અને વ્યય જે સમયમાં છે તે જ સમય સ્થિતિ છે, છતાં એ સ્થિતિને વ્યતિરેકો દ્વારા જ પ્રકાશે છે. આહા....હા! એનાથી ધ્યે! કે ગુરુ, દેવ, શાસ્ત્રથી ધ્રુવ પ્રકાશતું નથી. એની પર્યાય જે ઉત્પાદ-વ્યય (છે) ઈ પર્યાય દ્વારા ઈ પ્રકાશે છે. આહા... હા! શાસ્ત્ર દ્વારા પણ એ (ધ્રુવદ્રવ્ય) પ્રકાશતું નથી. એના જે પર્યાય છે (ઉત્પાદ-વ્યય ) તે ટકતું તત્ત્વ જે છે એનાથી એ બે જુદા નથી. જુદા (છે એ અપેક્ષા અહીંયાં નથી). આહા.. હા! અને ટકતા તત્ત્વને પ્રકાશે છે વ્યતિરેક પણ સમય બીજો નથી. વ્યતિરેકો, દ્રવ્યને પ્રકાશે એનો સમય જુદો નથી. આહા.... હા ! એ ભાઈ ! (હવે ) આટલું બધું યાદ કરવાનું! વકત ચલ જાય ફિર હોતા નહીં કુછ! હવે એવી ઝીણી વાત છે હોં! ક્યાં ય મળે એવી નથી બાપા આકરું કામ છે! એમ અભિમાનથી કહે કે મારી પાસે છે અમે જ કહીએ છીએ સાચું. શું બાપુ! વસ્તુ આમ છે ભાઈ ! ગજબ કામ કર્યું છે ને!! કેટલી એમાં.... ગંભીરતા છે!! આહા.... હા! સમકિતનો ઉત્પાદ, એ મૂળ ચીજ. મિથ્યાત્વનો વ્યય, એ ટકતું નિત્યાનંદ પ્રભુ (આત્મદ્રવ્ય) તેનાથી વ્યતિરેકો જુદા નથી, જુદો કાળ નથી. આહા... હા! “વ્યતિરેકો અન્વયને અતિક્રમતા (ઓળંગતા) છોડતા નથી.” આહા.... હા! અને ઈ વ્યતિરેકો ધ્રુવને પ્રકાશે છે. ભિન્ન ભિન્ન વિદેશ પરિણામ (એ) વિદેશ પરિણામ અથવા ઉત્પાદ – વ્યય ગુણ છે છતાં તે ઉત્પાદધ્રુવને પ્રકાશે. આહા.. હા ! [મૂલ્યમસ્સિવો વતુ સમ્માનિ વિઃિ નીવો (સમયસાર') અગિયારમી ગાથા. ભૂતાર્થ વસ્તુને આશ્રયે સમ્યક (દર્શન) થાય. એનો અર્થ સમ્યગ્દર્શન પર્યાય દ્રવ્યને જાણે છે. આહા.. હા ! દ્રવ્યને પ્રકાશે છે. આવી મૂળ ચીજ (દ્રવ્યદૃષ્ટિ) વિના વ્રત ને તપ ને ભક્તિ (એ બાળ વ્રત, બાળપ ને બાળભક્તિ છે.) આજ આવ્યું છે ભાઈ હુકમચંદજીએ નાખ્યું છે એ બધા કરી, કરીને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy