SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૪૪ તડકા ને કોણ કરે? રામજીભાઈ બહુ કરતા બહાર વ્યાખ્યાનમાં નીકળીને..! બીજા પૂછતા” તો મેં જોયું” તું ન્યાં. વ્યાખ્યાનમાંથી નીકળે કે પૂછે, આનું કેમ છે? આનું કેમ? લ્યો (શ્રોતા:) હું અંદરે ય જાતો નથી ને બહારે ય જાતો નથી. (ઉત્તરઃ) મેં જોયું તું ને... બહાર નીકળ્યા તે પૂછતા” તા. આહા... હા! અહીંયાં કહે છે પ્રભુ! ભારે વાત બાપા ! એક એક આત્મા ને એક એક પરમાણુ, પ્રત્યેક પોતાની તે સમયની પર્યાયના ઉત્પાદ વખતે ઊપજે છે. વ્યય વખતે સમય તો તે જ છે. ઉત્પાદનો જે સમય છે તે જવ્યયનો છે. અને વ્યયને ઉત્પાદનો જે સમય તે જ સ્થિતિ – ટકવાનો સમય છે. સમયમાં ભેદ નથી પણ તેના ત્રણેયના લક્ષણોમાં ભેદ છે. આવા... હા... હા! બે વાતો આવી ગઈ છે (ઉપર) ઉત્પાદ-વ્યયની આ તો સ્થિતિ (નો બોલ છે તેની વાત ચાલે છે). કુંભનો સર્ગ ને પિંડનો સંહાર તે જ મૃત્તિકાની સ્થિતિ (છે). કારણ વ્યતિરેકો (એટલે) ભિન્ન ભિન્ન બે દશાઓ, પિંડનો વ્યય ને ઘટની ઉત્પત્તિ (છે). વ્યતિરેકો એટલે (એ) ભિન્ન ભિન્ન દશાઓ અન્વય એટલે કાયમ રહેનારું દ્રવ્ય-માટીને ઓળંગતા નથી. સ્થિતિને - ધ્રૌવ્યને (વ્યતિરેકો) ઓળંગતા નથી. (અથવા) ધ્રૌવ્યથી ભિન્ન સમય નથી. આહા... હા! એ ઉત્પાદ – વ્યયનો સમય તે જ ધ્રૌવ્યનો (ધ્રુવનો) સમય છે. એ ઉત્પાદ-વ્યય થયો છતાં ધ્રૌવ્યપણું તે (જા ક્ષણે છે, એ ધ્રૌવ્યપણાને વ્યતિરેકો ઓળંગતા – છોડતા નથી. આહા... હા! આહા.. હા! અહીંયાં તો ત્યાં સુધી કહ્યું ને..! કે આત્માનો નિર્ણય – અનિત્યથી તે નિત્યનો ( નિર્ણય) થાય છે. તો અનિત્ય એટલે ઉત્પાદ-વ્યય પર્યાય (છે). અને તે જ સમયે ટકતું તત્ત્વ (છે). તેનો નિર્ણય ઉત્પાદ-વ્યયથી થાય છે. હોં! આહા... હા! નિત્યનો નિર્ણય અનિત્યથી થાય છે. નિત્યનો નિર્ણય નિત્યથી થાય છે એમ નહીં. નિત્ય છે ઈ તો સંદશ કીધું ને....! “વ્યતિરેક વિનાનું છે અને આ તો નિર્ણય કરે છે ઈ તો ઉત્પાદવ્યય છે આ. હા! એ ઉત્પાદ – વ્યય, ધ્રુવનો નિર્ણય કરે છે. (શ્રોતા:) ધ્રુવનો કરે છે ને પોતાનો ય કરે છે ને.! (ઉત્તર) બધાનો કરે નહીં! એ પોતાનો કરે, બાકીનાનો થાય, બધાને જાણે. બીજાના ઉત્પાદવ્યયધ્રૌવ્ય જાણે (પણ ક્યારે?) પોતાના ઉત્પાદવ્યયધ્રૌવ્યને યથાર્થ જાણે ત્યારે. પણ કહ્યું કે બીજાના ય જાણે, પણ અહીં પોતાના જાણે ત્યારે તેને જાણે. પોતાના ઉત્પાદવ્યયધ્રૌવ્યને યથાર્થપણે ન જાણે અને ગોટા ઊઠે ઈ બીજાના ઉત્પાદવ્યય ધ્રૌવ્યને પણ યથાર્થ જાણે નહીં. (કહે છે કે:) વ્યતિરેકો અન્વયને (ધ્રુવને) કાયમ ટકતી ચીજ છે. તે જ ક્ષણે જે સ્થિતિ છે પરમાણુ અને આત્માની, એ સ્થિતિને વ્યતિરેકો ઓળંગતા નથી. ઉત્પાદ- વ્યય તેને છોડી દેતા નથી. આહા..! એકલા લોજિક – ન્યાય ભર્યા છે. “વળી જે મૃત્તિકાની સ્થિતિ છે.” માટીની ટકવું છે. “તે જ કુંભનો સર્ગ છે.” તે જ સમયે ઘડાની ઉત્પત્તિ છે. જે સમયે માટીની સ્થિતિ છે – ટકે છે તે જ સમયે કુંભનો ઉત્પાદ છે. “અને પિંડનો સંહાર છે.” તે જ સમયે – માટીની સ્થિતિને સમયે પિંડનો વ્યય ને કુંભનો ઉત્પાદ ઉત્પાદ છે તે જ સમયે છે. આહા..! “કારણ કે વ્યતિરેક અવયને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy