SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૩૭ (ઉત્તર) કામ કેદી' હતું એને ! આહા...! એનું કામ તો જાણવું - દેખવું એ પર્યાય (માં ટકી રહેવું) એ એનું કામ (છે), એ કામમાં પણ જેને જાણે છે એ કારણ કામમાં નહીં. આહા.. હા! કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે માટે લોકાલોક કારણ છે એમ નહીં. આહા.. હા! તે કેવળજ્ઞાનની પર્યાય, પૂર્વની પર્યાયના અભાવસ્વભાવે પ્રકાશે છે. તે જ સમયે ઉત્પાદ છે અને તે જ સમયે પૂર્વની પર્યાયનો અભાવ છે. સંહાર છે. આહા. હા. હા. હા! “એક સૂત્ર જો આ સમજે તો દમબદ્ધ ” (બેસી જાય છે. વ્યવહારથી નિશ્ચય થાય, નિમિત્તથી નિશ્ચય (ઉપાદાનનું કાર્ય) થાય એ બધી વાત ઊડી જાય છે. ( જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય છે.) અરે ! પણ એવો વખત ક્યાં છે? આહા..! “પ્રગટ પર્યાય જે છે, પ્રગટ પર્યાય વિનાનું દ્રવ્ય કોઈ દી” ન હોય.” અહીંયાં એમ કહે છે, પ્રગટ પર્યાય જે છે ગુણની, આહા... હા! તે પર્યાયથી અનેરી પર્યાય એટલે તે પૂર્વની પર્યાય, તેનો સંહાર એટલે અભાવસ્વભાવે વર્તમાન પર્યાય દેખાય છે. આહા.... હા.... હા.. હા! (આ એક ન્યાયમાં તો ) કેટલું સમાડી દીધું છે!! ઉત્પત્તિ કીધી ને. ઘટની. (ઉત્પાદનો પહેલો બોલ થયો ) હવે બીજો બોલ આવ્યો. (અહીંયા કહે છે કે, “વળી જે મૃત્તિકાપિંડનો સંહાર છે.” માટીના પિંડનો વ્યય છે “તે જ કુંભનો સર્ગ છે.” તે જ ઘડાની ઉત્પત્તિ છે. “કારણ કે અભાવનું ભાવાન્તરના ભાવ સ્વભાવે ” આહા..! સંહાર છે તે અભાવ છે. એનો ભાવાંતર જે અનેરો ભાવ તે ઉત્પાદ (છે).. અ. હા.. હા..! છે” પિંડનો સંહાર, તે કારણ તે કારણ તે અભાવ-તે કારણનો અભાવ, ભાવાંતર (એટલે) તે ભાવથી અનેરો ભાવ (સંહાર ભાવથી અનેરો ભાવ) કોણ? ઉત્પન્ન થાય છે. ઘડાની ઉત્પત્તિ થાય છે. જેનું સંહારના અભાવનું ભાવાંતરરૂપે પ્રકાશવું. આહા.. હા.. હા! પહેલા (બોલ) માં એમ હતું. ભાવાંતરનાં અભાવસ્વભાવે પ્રકાશવું, અહીંયાં (બીજા બોલમાં) અભાવનું ભાષાંતરનાં ભાવસ્વભાવે પ્રકાશવું (છે). ઉત્પન્ન છે ને..! સંહારને સમયે જ ઉત્પાદ છે, તે સંહારથી અનેરો ભાવ એટલે ઉત્પત્તિ ( ઉત્પાદ). એ ભાવના અભાવસ્વભાવે ભાવ (કહ્યું) પેલામાં અભાવસ્વભાવે અભાવ ( કીધું તું) આમાં અભાવસ્વભાવે ભાવ (કીધું ). આહા.... હા.. હા! મૃત્તિકાપિંડનો સંહાર છે – (માટીના) પિંડનો વ્યય છે તે જ ઘડાની ઉત્પત્તિ છે, કારણ કે અભાવનું - એ પિંડનો અભાવ જેનું ભાવાંતર (એટલે) અનેરો ભાવ એવો જે ઘડાની ઉત્પત્તિ તેના ભાવસ્વભાવે “અવલભાસન છે.” આહા.. હા.. હા ! વાણિયાને આ વેપાર આડે સમજવું કઠણ પડે! ધીરેથી સમજે તો આ સમજાય. (શ્રોતા ) ડાહી જાત, હુશિયાર જાત એને વળી કઠણ પડે? (ઉત્તર) દુનિયામાં તો એમ કહે છે (ડાહીના ગાંડા ને ગાંડીના ડાહ્યા) ડાહીમાના દીકરા વાણિયા ગાંડા. ગાંડી (માના) ડાહ્યા એમ કહે લ્યો! વાણીયાણી ડાહી ડાહીમાના દીકરા ગાંડા એમ કહે અને ભરવાડણ ડાહી એના દીકરા ગાંડા એમ (પણ) કહે છે. ભરવાડણ ડાહ્યું એના દીકરા ગાંડા એમ કહે વાણિયાણી વેવલીયું એના દીકરા ડાહ્યા એમ કહે છે. બધી વાતું છે. એવી વાતું સાંભળતા. ઓહોહો ! અઢી રૂપિયાનું મણ તો ચાર પૈસાનું શૈર એવી આ કૂંચી ઊતારી છે. એના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy