________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૩૫ ટીકાની શરૂઆમાં “અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. અને તે (અસ્તિત્વ) અન્ય સાધનથી નિરપેક્ષ હોવાને લીધે અનાદિ – અનંત હોવાથી તથા અહેતુક એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તતું હોવાને લીધે “વિભાવધર્મ” થી વિલક્ષણ હોવાથી.” અસ્તિત્વ છે. છે' એમાં વિભાવ શું આવે...? અસ્તિત્વમાં વિભાવ આવે તો વિપરીત થઈ જાય, તો અસ્તિત્વ વિપરીત થઈ જાય.? એટલે અસ્તિત્વ નથી” એમ થઈ જાય..? શું કીધું ઈ ..? અસ્તિત્વ નામનો જે ગુણ છે, એ વિભાવ રૂપે થતો નથી. “છે” એને વિભાવરૂપે થવું એટલે શું...? “છે' એને વિપરીતરૂપે થવાય? “છે' નું
નથી” થઈ જાય..? આહા.... હા....! બીજા ગુણો હીણી (અવસ્થા) રૂપે પરિણમે, પણ આ અસ્તિત્વ નામનો ગુણ છે એ છે” એ વિભાવ કે નથી' એમ થાય....? વિભાવનો અર્થ તો એ થ્યો કે “છે' એ ઘટી ગ્યું. “છે' એમાં ઘટે શું... ને વધે શું...? આહા.... હા !
હવે, ઓલા માળા “ઇન્દોરવાળા પંડિતો ભેગા થઈને એમ કહેતા “તા કેઃ “એક દ્રવ્યની પર્યાય, બીજા દ્રવ્ય ન કરે એમ ન માને તો દિગંબર નહીં, વાહ રે પ્રભુ શું કહેવું છે ભાઈ..! એવો વિરોધ કરવા ખાતર આવું થાય..! આહા... હા... હા! હજી એમ કહે કે વ્યવહારથી નિશ્ચય છે એમ માનતા નથી, નિમિત્તને બિલકુલ કર્તા માનતા નથી, એમ કહે છે એ વાત બરાબર છે. નિમિત્ત છે એમ માને પણ નિમિત્ત (કંઈ કરે નહીં) તો નિમિત્ત નકામું ગ્યું. તો નિમિત્ત કહે છે શું કરવા? પણ એતો વસ્તુ છે બીજી. બીજી ચીજ છે એ બીજી ચીજ અહીં કાંઈ કરે છે, એના ઉત્પાદને (પણ) એ ઉત્પાદ તો (એનું) દ્રવ્ય કરે છે. અને એના ઉત્પાદથી તો દ્રવ્યની સિદ્ધિ છે. નિમિત્તના ઉત્પાદથી દ્રવ્યની સિદ્ધિ છે...? (કદી ન હોય.) આહી... હાં.. આવું છે. ભાષા તો સાદી છે, પ્રભુ..! ધીમે ધીમે સમજાય એવું છે. ન સમજાય એવું નથી. એ ભાઈ.! બાને ઠીક છે હુમણાં, આ મહિનો થ્યો... વૈશાખ સુદ અગિયારસે આવ્યા છે ને...! મહિનો થ્યો. આહા..હા ! ઓલાને બાર મહિના થ્યા, નાઈરોબીમાં, મંદિરનું મુહૂર્ત..! જેઠ સુદ-૧૧ ચ્યું છે ત્યાં. પંદર લાખ (ખર્ચીને) દિગંબર મંદિર (બને છે) આફ્રિકામાં દિગંબર જૈન મંદિર કોઈ દી” બે હજાર વરસ થયાં ન હોતું. (શ્રોતા ) અનાદિકાળથી હોય છે..! (ઉત્તર) બીજે, ત્યાં દેશ હોય છે ત્યાં હોય છે. પણ અત્યારે અત્યારે (બને છે) બાકી બધું હોય તો બધા દેશમાં હતું પણ અત્યારે તો આ સ્થિતિ છે. અનાર્ય જેવો દેશ થઈ ગ્યો.. આહા.... હા..!
(અહીંયા કહે છે કે , કર્તા - કરણ - અધિકરણ રૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને, “ આહા... હા.... હા! “પ્રવર્તતા ઉત્પાદ- વ્યય ધ્રૌવ્યો વડે જેની નિષ્પત્તિ થાય છે. (કોની નિષ્પત્તિ...?) દ્રવ્યની. “એવા દ્રવ્યનું, મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું.” આહા... હા.. જોયું,” મૂળસાધન' શબ્દ અહીંયા વાપર્યો. ઓલા માં નહોતો વાપર્યો કે શેમાં ? કે દ્રવ્યથી – ઉત્પાદ – વ્યય- ધ્રુવ થાય ત્યાં મૂળસાધન તરીકે નહોતું. કારણ કે તેમાં દ્રવ્યનું અસ્તિત્વ તો છે ઉત્પાદ- વ્યય – ધ્રુવપણ કરે છે. (ત્યાં ટીકામાં આમ છે “કર્તા - કરણ - અધિકરણ રુપે ઉત્પાદ-વ્યય - ધ્રૌવ્યોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા દ્રવ્યના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે.) અહીંયાં મૂળસાધનપણે શબ્દ વાપર્યો છે. કારણ કે સાધન આ છે. ઉત્પાદ વ્યય-ધ્રૌવ્યથી દ્રવ્ય છે એ સાધન છે. (મૂળસાધનપણે ” ઓલામાં શબ્દ નહોતો. દ્રવ્ય જે છે ઉત્પાદ – વ્યય - ધ્રૌવ્યપણે થાય (ત્યાં) મૂળસાધનપણે એમ નહોતું. ન્યાય સમજાય છે આમાં? આંહી એ સાધન કહ્યું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com