________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૫
પ્રવચનસાર પ્રવચનો ૧૧૦ થાય છે. આહા... હા... હા! છે? “પરંતુ તેને તે ધ્રૌવ્યની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે.” એ તે દષ્ટાંત થયો. (હવે સિદ્ધાંત) “તેવી જ રીતે તે જ દ્રવ્ય પણ એકી વખતે ઉત્તર અવસ્થાથી ઊપજતું.” આત્મામાં સમ્યક દર્શનની પર્યાયપણે ઊપજતું અને “પૂર્ણ અવસ્થાથી વ્યય પામતું” મિથ્યાત્વ અવસ્થાથી નાશ પામતું “અને ટકતી એવી દ્રવ્યત્વ-અવસ્થાથી ધ્રુવ રહેતું થતું ધ્રૌવ્ય વડે લલિત થાય છે” આા.... હા! સમ્યગ્દર્શનની પર્યાય લક્ષણ છે, તેનું લક્ષ્ય ધ્રુવ ઉપર છે. સમ્પર્શનનો વિષય ધ્રુવ છે. ભૂતાર્થ છે. ( સમયસાર”) ૧૧મી ગાથા. “મૂલ્યસ્સિવો ઉજુ સમ્માgિ gવ િનવો] ” ભૂતાર્થ, ત્રિકળવસ્તુ ધ્રુવ છે. એને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એ સમ્યગ્દર્શનની પર્યાય લક્ષણ (છે) એ ધ્રુવને બતાવે છે. આહા. લ... હા! પર્યાય, આમ કર્મનો ક્ષય થ્યો એ બતાવે છે એમ નહીં.
આહા... હા... હા! ચાર ઘાતિકર્મનો નાશ થતાં, કેવળજ્ઞાન થાય. એમ (શાસ્ત્રમાં) શબ્દ છે. “તત્ત્વાર્થસૂત્રમાં . એ તો નિમિત્તના કથન છે (એમ) કહે છે. ચાર ઘાતિકર્મની પર્યાય જે કર્મપણે હતી, એ જયારે અકર્મપણે થઈ, એ પોતાના સ્વરૂપથી થઈ છે. અહીંયાં ભગવાનને કેવલજ્ઞાન પ્રગટયું માટે તે કર્મપણાની પર્યાય અકર્મપણે થઈ, એમ નથી. અને કર્મની પર્યાય પણ જયારે અકર્મપણે (પરમાણુ ) થયું તેથી અહીંયાં કેવળજ્ઞાન થયું, એમ નથી. અને કર્મની પર્યાય પણ જયારે અકર્મપણે (પરમાણુ ) થયું તેથી અહીંયાં કેવળજ્ઞાન થયું, એમ નથી. એ કેવળજ્ઞાનની પર્યાયનો ઉત્પાદ, પૂર્વનો વ્યય થતાં, ચાર ગુણ - મોક્ષમાર્ગનો વ્યય થતાં, કેવળજ્ઞાનની પર્યાય મોક્ષપણે થઈ, તેનો સ્વરૂપકર્તા ને કરણ એ આત્મા છે, સંહનન મજબૂત છે વજાગૃષનારાચ એ છે માટે કેવળજ્ઞાન થયું છે, એમ નથી. આહા... હા... હા... હા! આવી વાતું છે! ભગવાન પરમાત્મા, એણે કહેલો પંથ આ છે. આહા... હા! ભાષા એવી આવે તત્ત્વાર્થસૂત્રમાં “ચાર ઘાતિકર્મનો નાશ થાય, ત્યારે કેવળજ્ઞાન થાય, અહીંયા કહે છે કે કેવળજ્ઞાનની પર્યાય, પૂર્વે ચાર જ્ઞાનની પર્યાય (મતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યય ) હતી તેનો વ્યય થયો, વ્યયનો કર્તા-કરણ પણ આત્મા (છે). અને ઉત્પાદ-કેવળ જ્ઞાનનો થયો તેનો કર્તા-કરણ - સાધન પણ આત્મા (છે). કર્મને લઈને થયું ઈ, બિલકુલ વાત જૂઠી છે. આહા... હા... હા... હા ! (શ્રોતા.) જૈનધર્મમાં તો કર્મની લઈને થાય એમ વાત હોય ને...! (ઉત્તર) જૈનધર્મમાં તો આત્માની વાત છે. કર્મની નહીં. જગત ઈશ્વરકર્તા કહે અને આ જૈન કહે છે અમારે વિકારનો કર્તા કર્મ. અને કર્મ (તૂટે) તોડે તો (મોક્ષ થાય.) એ તો ઈ નું ઈ છે. (મોક્ષનો કર્તા) જડ થ્યો! આહા.... હા ! ઓલાએ ચૈતન્ય ઈશ્વર (કર્તા) ઠરાવ્યો કલ્પિત. આણે જડ (કર્તા) ઠરાવ્યો (કલ્પિત) કર્મ અંદર જડ છે એ જયારે ઉદય આવે, ત્યારે અમને વિકાર થાય. અને એ કર્મ ખસી જાય તો અમારો વિકાર ટળે. એ વાત બિલકુલ જૂઠી છે. આહા... હું.. હા! (શ્રોતા:) કર્મ ન રહે ત્યારે ખસી તો જાય છે.. (ઉત્તર:) એને કારણે, ઈ તો એની પર્યાયમાં પૂર્વ પર્યાય કર્મપણે હતી, એની ઉત્તર પર્યાય અકર્મપણે થઈ, એનો કર્તા-કરણ-સાધન એના પરમાણું છે. અહીં કેવળજ્ઞાન થ્ય માટે ને અકર્મપણે પર્યાય થઈ, એમ નથી. આહા... હા... હા! ગહન વિષય છે પ્રભુ! વીતરાગ પરમાત્મા, આહા...! એનું તત્ત્વજ્ઞાન, બહુ ઝીણું છે!! આહા... હા! લોકોએ બહારથી ખતવી નાખ્યું, આહા.... હા ! કેટલું ! પંચાણું ગાથામાં આહા.. હા !
(અહીંયાં કહે છે કેએક એ, થ્ય હો ! વસ્ત્રનું (ઉદાહરણ) હતું માથે! “તેવી જ રીતે તે જ દ્રવ્ય પણ” – આત્મા અને પરમાણુ આદિ દ્રવ્ય. “એકી વખતે ઉત્તર અવસ્થાથી ઊપજતું” નવી અવસ્થાથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com