SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ આવે છે અર્થાત પરનો સંબંધ કર્યો છે માટે હો? પણ, પરને લઈને અશુદ્ધતા-વિકાર થાય છે, એમ નથી. હવે, કહે છે. કે: “મૂળદ્રવ્ય તો અન્યદ્રવ્યરૂપ થતું જ નથી” એટલે કે (મૂળ દ્રવ્ય) વિકારરૂપ થતું જ નથી. અન્યદ્રવ્ય=રાગ, એ ખરેખર વસ્તુ નથી અચદ્રવ્ય છે. એ રૂપે મૂળદ્રવ્ય થતું નથી. આહા.... હા! અંદર ભગવાન આત્મામાં, જે કંઈ પુણ્યને પાપનો ભાવ થાય, તે નિશ્ચયથી અન્યદ્રવ્ય છે. તો, સ્વદ્રવ્ય તે અન્યદ્રવ્યરૂપે થતું નથી. આહા.. હા ! વસ્તુ છે તે વિકારપણે થતી જ નથી ત્રણકાળમાં !! આહા.. હા! “તે મૂળ દ્રવ્ય તો..” મૂળદ્રવ્ય કહ્યું છે ને...! (પહેલા તો) ઉત્પન્ન થયેલી દશા કીધી, સંયોગના સંબંધે ઉત્પન્ન થયેલો અશુદ્ધ ભાવ છે,” પણ મૂળદ્રવ્ય જે છે, એતો અન્યદ્રવ્યરૂપમલિનતારૂપે થયું જ નથી. અન્ય દ્રવ્યના સંયોગે થતો “ભાવ” , એ ખરેખર તો અન્યદ્રવ્ય છે. વસ્તુનું સ્વરૂપ નથી. આહા.. હા ! આવું સમજવું હવે! આહા... હા! “મૂળ દ્રવ્ય” –જે મૂળચીજ છે. સત્ અનાદિ-અનંત, વસ્તુ તરીકે દ્રવ્ય તરીકે, પદાર્થ તરીકે. સત્ત્વ તરીકે જે છે, એ અનેરા તત્ત્વપણે થતું નથી. અનેરા તત્ત્વ નામ એ રાગરૂપે થતું નથી. એ પદ્રવ્ય છે-એ અનેરું તત્ત્વ છે. દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ, એ વિકલ્પ છે, રાગ છે, એ અનેરું તત્ત્વ છે. એ જીવ તત્ત્વ નથી, ત્યાં મૂળદ્રવ્ય તો અન્યદ્રવ્યરૂપ એટલે અન્યતત્ત્વરૂપ થતું જ નથી. આહા.. હા! “માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે” નિમિત્તથી એટલે? નિમિત્તથી થતું નથી. નિમિત્ત છે તેના લક્ષે થયેલી છે મલિન અવસ્થા, તેથી નિમિત્તથી એમ કીધું છે, કથન છે. “માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. (એટલે ) અવસ્થામાં મલિનતા છે-પર્યાયમાં મલિનતા છે, વસ્તુ (તો) નિર્મળાનંદ પ્રભુ છે! આહા.. હા ! વીતરાગમૂર્તિ પ્રભુ ચૈતન્ય તો અનાદિ-અનંત, વસ્તુ છે. એના પર્યાયમાં, પદ્રવ્યના નિમિત્તે, અવસ્થા એટલે કે દશા-હાલત મલિન થઈ જાય છે. વસ્તુ નહીં. આહા. હા ! એની વર્તમાનદશા મલિન થઈ જાય છે. (કહે છે કે, “દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય જે છે તેજ છે.” -દ્રવ્યદૃષ્ટિથી હો? દ્રવ્યને જે દૃષ્ટિ દેખે, તે દષ્ટિથી જોઈએ તો દ્રવ્ય જે છે તે જ છે. એતો જે છે તે જ છે! આહા... હા! ભાઈ, ભાવ ઝીણા છે! ભાષા સાદી છે, કંઈ બહુ એવી નથી. આહા.... હા ! એને અનંત, અનંત કાળ થયા, તત્ત્વ શું છે? મૂળ-કાયમી ચીજ શું છે? તે, “દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે!! એમાં મલિનતા ય નથી, સંસારે ય જે છે તે જ છો?નથી, એ છે તે જ છે અનાદિની !! દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય” એટલે વસ્તુ! , દ્રવ્ય એટલે આ પૈસો નહીં હો?! આહા! ભગવાન આત્મા, વસ્તુ છે ને...! છે ને.... !! એ ભૂતકાળમાં નહોતી એમ છે? એ તો પહેલેથી જ છે અનાદિ છે, અને વર્તમાન છે અને અનાદિ છે તે ભવિષ્યમાં છે. “છે” તે તો ત્રિકાળ છે.' છે છે ને છે” આવો જે (આત્મા) “દ્રવ્યદૃષ્ટિએ જે છે તે જ છે-જે છે તે જ છે. પર્યાયદષ્ટિથી જોવામાં આવે” – જોવામાં આવે! જોયું? પર્યાયદષ્ટિથી આમ જોવામાં આવે... “તો મલિન જ દેખાય છે... - છે મલિન, એ દેખાય છે. પર્યાયથી જોઈએ તો મલિન છે એમ દેખાય છે. Please inform us of any errors on [email protected]
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy