SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ છે નહીં. પરને તો નિમિત્તે કીધું છે. નિમિત્તને આધીન થઈને પ્રવર્તે છે એ મોહને રાગદ્વેષમાં પ્રવર્તતાં પરસમયમાં ગયો છે ઈ સ્વસમયમાં રહ્યો નથી, એમ જાણવામાં આવે છે. આહા.. હા..! આવું સ્વરૂપ છે! આવું છે ઈ સોનગઢનું છે એમ કેટલા” ક કહે છે. કોનું છે આ? વસ્તુનું સ્વરૂપજ આવું છે ત્યાં..! કહે પ્રભુ કહે, તું પણ પ્રભુ છે! જેથી દર્શનશાનવાળું તત્ત્વ એમાં જ રહે તો તો તે સમયે અને એકત્વપણે જાણતો અને સ્વને એકત્વપણે પરિણમતો એ જે સમયે જાણે તે સમયે પરિણમે, જે સમયે પરિણમે તે સમયે જાણે. આહા.. હા.. હા ! અને બીજો આત્મા, અવિદ્યારૂપી કેળ (ની ગાંઠ જેવો જ) મોહ, મોહકર્મ-જડ એના અનુભાગને અનુસાર પ્રવર્તતો, એ જેટલું કર્મ ઉદય આવ્યું તે પ્રમાણે પ્રવર્તતો એમ નથી કહ્યું. તેને અનુસારે પોતે પ્રવર્તતો ( એમ કહ્યું છે) પોતાનો જે ચૈતન્યસ્વભાવ છે, દર્શનજ્ઞાનસ્વભાવ છે એમ આવ્યું ને..! એના-પણે ન પ્રવર્તતો. પ્રવર્તતો તે એ ય પ્રવર્તે ને ઓલો ય પ્રવર્તે! ઓલો નિમિત્તને અનુસરીને થતાં પોતાના પરિણામ તેમાં સ્થિત થયો થકો-સ્વરૂપથી ભ્રષ્ટ થયો થકો, એને “પરસમય' જાણ. એમ કહ્યું છે ને...? એમ કહ્યું, પરસમય પ્રતીત કરવામાં આવે છે. જાણવામાં (છે) એને પરસમય કહી એને જાણવામાં આવે છે. આહા... હા.... હા ! “આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય એવું વિવિધપણુંદ્વિવિધ = બે પ્રકારપણું પ્રગટ થાય છે. આ ટીકાનો અર્થ કર્યો! સંસ્કૃત ભાષા હતી, બહુ ગંભીર! અમૃતચંદ્રાચાર્યની ટીકા ઘણી ગંભીર ! જેમ મૂળ શ્લોક (ગાથા) ગંભીર છે! એવી ટીકા ગંભીર છે! એને સમજવા માટે ઘણો જ પક્ષપાત છોડીને મધ્યસ્થથી તેને જે કહેવું છે એ રીતે એને સમજવું. જે રીતે કહેવું છે તે રીતે સમજવું એનું નામ યથાર્થ સમજણ કહેવામાં આવે છે. આહા...! પોતાની કલ્પનાથી એના અર્થ કાઢવા. એ તો વિપરીતતા બધી છે. કેટલું લીધું છે આમાં! એ ભાવાર્થમાં કહેવાય છે. ભાવાર્થ: “જીવની નામની વસ્તુને પદાર્થ કહેલ છે.' વસ્તુ, વસ્તુ છે એ. “જીવ એવો અક્ષરોનો સમૂહુ તે “પદ છે” – પદાર્થ છે ને પદાર્થની વ્યાખ્યા કરી પદાર્થ ! “જીવ’ એ અક્ષર છે એનો વસ્તુ છે ઈ પદાર્થ છે, પદા... W! “જીવ' બે અક્ષરનું પદ છે “જીવ' , એ પદ . જીવવસ્તુ છે ઈ એનો અર્થ પદાર્થ છે. વસ્તુ છે. પદનો અર્થ એ વસ્તુ છે! પદ” એને બતાવે છે આહા... હા! “જીવ” એવો અક્ષરોનો” એમ કેમકે બે અક્ષર થયાને... “જીવ” એટલે બે અક્ષર છે એટલે બહુવચન છે. “જીવ એવો અક્ષરોનો સમૂહ, બે અક્ષરનો સમૂહું માટે તે પદ છે. અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું જોયું? આવ્યું તું ને અંદર (ટકામાં) ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય, ગુણપર્યાય જેણે અંગીકાર કર્યા છે (વગેરે વિશેષણો છે ) તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ-વસ્તુ અને અવસ્થાસ્વરૂપ “અનેકાંતસ્વરૂપપણું” અનેકાંત છે. દ્રવ્ય ય છે ને પર્યાયે ય છે. પર્યાય નથી એમ નહિ. એ ૧૧મી ગાથામાં પર્યાયને અસત્ કીધી છે તે પર્યાયને ગૌણ કરીને, તેનું લક્ષ છોડાવવા એમ કીધું છે. (જો પર્યાય નથી તો કાર્ય શું? પર્યાય સિદ્ધ એ ય પર્યાય છે, Please inform us of any errors on [email protected]
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy