SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ શક્તિથી, એમાં નિમિત્તરૂપે જે દ્રવ્ય છે એને અધર્માસ્તિકાય કહે છે. ‘વર્તનાહેતુપણું ’ કાળદ્રવ્ય એક છે. અસંખ્ય કાલાણુ છે જે દરેક પદાર્થ બદલે છે- પરિણમે છે એમાં નિમિત્તરૂપ જે છે, એને કાળદ્રવ્ય કહે છે. લાંબી વ્યાખ્યા બહુ મોટી! છે? ‘અને રૂપીપણું ' વર્તનાદ્વૈતુપણું તે કાળ અને રૂપી તે આ જડ આ શરી૨, વાણી, પૈસા રૂપી છે, જડ છે. (તેમાં ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. રૂપીપણું તે જડનો ગુણ છે. એ ગુણ આત્મામાં નથી. - શ્રી પ્રવચન રત્નો-૧ આહા...! ‘તેમના અભાવને લીધે ' બીજાં દ્રવ્યના જે ગુણો ખાસ છે તે ગુણોનો આત્મામાં અભાવને લીધે. આહા.. આરે આવી વાતું છે! તત્ત્વની વસ્તુ બહુ મોંઘી પડી ગઈ. લોકોને અભ્યાસ ન મળે ! અને બહા૨માં રોકાઈ ગ્યા! મૂળ ચીજ શુ છે ચૈતન્યવસ્તુ, એનાથી બીજાં પાંચ પદાર્થ ભિન્ન છે. એ પાંચ પદાર્થના જે ખાસગુણ છે એ ગુણોનો આમાં (આત્મામાં) અભાવ છે. છે? ‘રૂપીપણું- તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્ભાવને લીધે’ એનો તો ચૈતન્ય-જાણવું-દેખવું એ સ્વભાવ છે. કાયમી ત્રિકાળી જાણવું અને દેખવું એવો ચૈતન્યસ્વભાવ છે. ચેતનનો-આત્માનો ચૈતન્યસ્વભાવ કાયમી હોવાથી બીજા પદાર્થના ગુણોનો એમાં અભાવ છે. પોતાના ગુણોનો એનામાં સદ્ભાવ છે. આહા... હા ! ‘ ચૈતન્યરૂપતા સ્વભાવના સદ્દભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્દગલ- એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે' ચૈતન્યવસ્તુ એ જગતના પાંચ પદાર્થથી ભિન્ન છે. એનાથી એ ભિન્ન જુદો છે. આહા...! એ રૂપે-શરીરરૂપે નથી, વાણી રૂપે નથી, કર્મરૂપે નથી, આકાશને ધર્મ-અધર્મરૂપે પણ આત્મા નથી. આહા... હા! ઘણું શીખવું પડે! અનાદિકાળની વાસ્તવિક ચીજ શું છે! અને ઈ કઈ રીતે રખડે છે અને રખડવાનું પરિભ્રમણ બંધ કેમ થાય ? એ ચીજો કોઈ અલૌકિક છે. આહા...! આંહી કહે છે બીજાં દ્રવ્યોના જે ગુણો છે એનો આત્મામાં અભાવ છે. ‘એ પાંચ દ્રવ્યોથી તે ભિન્ન છે' કેમકે એનાં ગુણો આમાં નથી તેથી એ દ્રવ્યોથી ભિન્ન છે. ‘આ વિશેષણથી એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો.' એક જ આત્મા વ્યાપક છે એમ કેટલાક માને છે, વેદાંત ! સર્વવ્યાપક એક આત્મા વેદાંત માને છે એનું નિરાકરણ થયું. એ માને ન માને વસ્તુ સિદ્ધ કરીને તો કહે છે કે બીજા પદાર્થોમાં ગુણ છે, તો ઈ ગુણવાળા દ્રવ્યો છે. તે ગુણ આમાં (આત્મામાં) નથી, તે તે દ્રવ્યરૂપ આત્મા નથી, ન્યાયથી લોજિકથી તો વાત કહે છે પણ હવે અભ્યાસ નહીં ને... શું થાય ? આહા...! બહારમાં ધરમને નામે પણ બીજા રસ્તે ચડાવી દીધાં લોકોને. તત્ત્વ અંદર શું ચીજ છે અસ્તિપણે મૌજુદગી ચીજ અંદર અનાદિ અનંત છે. અને તે પોતાના ગુણવાળી-શક્તિવાળી છે. તે બીજાના ગુણવાળી નથી તેથી તે બીજાં દ્રવ્યોનો તેમાં અભાવ છે. આહા... હા! ‘વળી તે કેવો છે?' છેલ્લો બોલ હવે. ‘ અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ રહેવા છતાં' શું કહે છે? ભગવાન આ ચેતનવસ્તુ જાણન-દેખન, બીજાં અન્યઅનેાં દ્રવ્યો એક જગ્યાએ રહેલાં છે. જુઓને આ શરીર આંહી છે, વાણી આંહી છે, આત્મા આંહી છે, બીજાં Please inform us of any errors on [email protected]
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy