SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો- ૧ ૨૦૯ છે એ નિમિત્ત અને ભાવ થાય છે. નૈમિત્તિક! એ નિમિત્ત-નૈમિતિકને પ્રસિદ્ધ કરે છે. સ્વભાવ ત્યાં ઢંકાઈ જાય છે. સ્વભાવનું ત્યાં ભાન રહેતું નથી. નિમિત્ત-નૈમિત્તિક જાહેર કરે છે... પરદ્રવ્ય ઉપર લક્ષ જાય છે એ દ્રવ્ય (અપ્રતિક્રમણ ) આંહી થાય છે એ વિકાર એ ભાવ (અપ્રતિક્રમણ ) એ દ્રવ્ય અપ્રતિક્રમણને ભાવ અપ્રતિક્રમણ એ અપ્રત્યાખ્યાન (દ્રવ્યને ભાવ) બે ય - એ નિમિત્ત – નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો આહાહા.સ્વભાવમાં ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ! આહા... હા! સચ્ચિદાનંદ પ્રભુ! એ પોતે પોતાથી આનંદને ઉત્પન્ન કરે, એ પણ હુજી વ્યવહાર. રાગને ઉત્પન્ન કરે ઈ તો વસ્તુમાં છે જ નહીં આહા...હા...! હવે આંહી તો હજી વ્યવહાર દયાદાનને વ્રત કરે તો ધરમ થાય! તો નિશ્ચય થાય! એમ હુજી કહે છે લ્યો! લોકો આવું કહે છે. ભગવાન! તારું સ્વરૂપ પ્રભુ! તારું સ્વરૂપ વીતરાગ ભાવથી ભરેલું તારું સ્વરૂપ છે તારી મોટપમાં વીતરાગતા છે. એ તારે આશ્રયે વીતરાગતા જ થાય પણ તે તારો આશ્રય છોડીને, નિમિત્તનું આમ લક્ષ કરે છે, પરદ્રવ્યનું – નિમિત્તનું ને તેને લક્ષે થતો ભાવ તે વિકાર એ નિમિત્ત - એ નૈમિત્તિક પ્રસિદ્ધ કરે છે કે જ્ઞાયકભાવ પોતે કર્તા નથી. આહા. હા. હા! આવો ઉપદેશ હવે! કો” ભાઈ ? ક્યાં આવું ક્યાં હતું કયાય સાંભળ્યું તું ક્યાંય ? આ વીતરાગનો મારગ આવો છે ભાઈ ! ત્રણ લોકના નાથ, પોતે હો? ત્રણ લોકનો નાથ જ્ઞાયકભાવ!! સચ્ચિદાનંદ પ્રભુ! સત્... છે જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ! એ જ્ઞાનાનંદસ્વરૂપ પોતાને આશ્રયે રાગ શી રીતે કરે? એના સ્વરૂપમાં જ છે નહીં. ત્યારે કહે છે કે થાય છે ને (રાગ) કે ઈ સ્વનો આશ્રય છોડીને, નિમિત્તનો આશ્રય કરે છે ઈ પરદ્રવ્ય ત્યારે થાય છે. નિમિત્તથી થતો નથી. નિમિત્તનો આશ્રય કરે છે. એથી ત્યાં વિકાર ઉત્પન્ન થાય છે. પુણ્ય-પાપ, દયા-દાન આદિ. એ નિમિત્ત-નૈમિત્તિક જાહેર એમ કરે છે કે વ્યવહારથી તે વિકાર થાય છે, આત્માના સ્વભાવથી તે થતો નથી. આહા..હા...હા..! જરી ક ઝીણું છે પણ ધીમે-ધીમે (સમજવું) વિચારવાનો બાપુ આવો વખતે ક્યારે મળશે? અરે..! વખત... હાલ્યા જાય છે. મનુષ્ય દેહ! મનુષ્ય દેહની સ્થિતિ કેટલી? આ ધૂળની આ તો માટી છે. (શરીર છે તે) હાલ્યો જશે આ! ભગવાન આંહીથી ચાલ્યો જશે. એ જેની દૃષ્ટિમાં આ તત્ત્વ શું છે એ આવ્યું નથી ઈ ચોરાશીમાં રખડશે! પ્રભુ !! કોઈ શરણ નથી ક્યાંય ! આહા..હા.. શું કહે છે આહા... હા હા ! દ્રવ્ય અને ભાવ બે, અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનના બે ભેદ કીધાં એ નિમિત્ત-નૈમિત્તિકને જાહેર કરે છે, નિમિત્ત-નૈમિત્તિક જાહેર કરે છે. પર ઉપર લક્ષ જાય છે. એને નિમિત્ત કીધાં ને એ નિમિત્ત-નૈમિત્તિકને જાહેર કરે છે. સ્વભાવને આશ્રયે થતો નથી એમ યથાર્થસિદ્ધ કરે છે. આહા... હા.... હા....! કો” સમજાય છે કાંઈ....? સંભળાય છે ને બરાબર.. ? એ ભાઈ ? ( શ્રોતા ) હા, જી, હા. (ગુરુદેવ ) સંભળાય છે? આહા હા.... હા. શું ટીકા! શું ટીકા !! ગજબની વાત! અને તે આમ બે ને બે ચાર જેવી વાત બેસે એવી છે. Please inform us of any errors on [email protected]
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy