SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ શ્રી પ્રવચન રત્નો-૧ સ્વદેશ' શબ્દ વાપર્યો છે. આહા... હા! ભગવાન આત્મા જ્ઞાનને આનંદ આદિ ગુણનો દરિયો છે તે સ્વદેશ છે. અને ચાહે. તો ભગવાનનું સ્મરણ પંચ પરમેષ્ઠિની ભક્તિ-સ્તુતિ, એ રાગ તે પરદેશ છે. આહા. હા ! હજી એકાદ ભવ પરદેશમાં રહેવાનું છે! પછી તો.. એમ સ્વરૂપમાં સ્વદેશમાં ચાલ્યા જશું !! બહુ વાત આકરી બાપા! મારગ સમયસારનો મારગ કોઈ અલૌકિક છે સમયસાર એટલે આત્મા એનો મારગ એમ. (શ્રોતા ) મારગ શું સહેલો છે? (ઉત્તર:) મારગ સહેલો છે, અણ અભ્યાસ દુષ્કર થઈ ગ્યો છે. દુર્લભ કીધું છે ને...! સમ્યગ્દર્શન દુર્લભ કીધું છે! સત.. જ્ઞાયક સ્વભાવ છે ! “છ” તેને પામવું તેમાં શું? “છે' તેને પામવું સહજ છે! એ શ્રીમદે ય કહ્યું છે ને..! “સત્ સરળ છે, સત્ સહજ છે, સત્ સર્વત્ર છે ! આહા.. હા! આ. ભગવાન આત્મા સત છેસર્વત્ર છે! સરળ છે! પોતે જ છે! જ્ઞાયકસ્વભાવભાવ ભગવાન !! એને કહે છે કે જ્ઞાનમાં રાગના પરિણામનું જ્ઞાન થાય એથી તે જ્ઞાતાનું રાગ કાર્ય છે? એમ પ્રશ્ન છે આહા.. હા ! છે? કારણ ! પુદ્ગલને અને આત્માને જ્ઞયજ્ઞાયકસંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં” પણ.... છતાં? .. “પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે” એટલે કે જે દયા-દાન-ભક્તિ-વ્રત-તપનો વિકલ્પ ઊઠ્યો છે રાગ-પુદગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન” આહા.. હા! જ્ઞાન થયું છે તો ઉપાદાન પોતાથી. આહા..! જેઓ પાઠ! રાગનું જ્ઞાન થયું છે તો પોતાથી એમાં રાગ નિમિત્ત છે. રાગના જ્ઞાનમાં એ (રાગ) નિમિત્ત છે. જ્ઞાન થયું છે/રાગનું જ્ઞાન થયું છે ઈ તો પોતાના ઉપાદાનથી થયું છે! આહાહા.. હા ! બહુ ઝીણું બાપુ! મારગડા.... ઝીણા ભાઈ....! જ્ઞાયક” કહેતાં એમાં બધાં સિદ્ધાંત સમાઈ જાય છે, એ “જાણનાર જાણનારો છતાં... ઈ આવી ગયું છે ને.. છઠ્ઠીગાથામાં “જ્ઞાયક’ વિ દોઢિ અપ્પમત્તો, ન પમતો નાખવો ; નો ભાવો! પર્વ ભાંતિ શુદ્ધ, જાણનાર જાણનારને જાણે છે! ખાવો તો સો હું સો વેવ!! આંહી કહે છે કે “જાણનાર જાણનારને જાણે છે એ વાત બરાબર છે, હવે ઈ જાણનારમાંજાણવાની પર્યાયમાં રાગ નિમિત્ત છે, નિમિત્ત છે એટલે કાંઈ કરતું નથી એમ એનો અર્થ છે. આહા... હા ! છે? “પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે.” આહા.. હા ! “એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે” –તે જ આત્માનું કાર્ય છે. રાગનું જ્ઞાન થયું માટે એનું એ કાર્ય છે અથવા રાગનું કાર્ય આત્માનું છે એમ નથી. ઈ તો પહેલાં આવી ગયું છે, જ્ઞાન થયું માટે રાગનું કાર્ય છે ઈ એમ તો નથી. પણ રાગ આત્માનું કાર્ય છે | આંહી એનું જ્ઞાન થયું (તેથી) એ આત્માનું કાર્ય રાગ છે એમ નથી. આહા... હા! આવું છે! ... ભાઈ....? ઝીણી વાતું છે બાપા! આહા.. હા! પુદગલ.. શેય! એ રાગ આદિ, ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ, એ જ્ઞય અને આત્મા જ્ઞાયક એવો વ્યવહાર માત્ર હોવા છતાં આહાહા! “પણ.. પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે' - આંહી જાણવાનો પર્યાય થયો પોતાથી, રાગથી થયો નથી. રાગને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy