SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ માહાભ્ય જેનું છે એને તો જોયો નથી, માન્યા નથી. આહા.... હા! “દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું “જ' છે' (પ્રશ્ન) એકાંત છે? (ઉત્તર) હા, નિશ્ચય દ્રવ્ય છે તે સમ્યકએકાંત છે. સમજાણું કાંઈ...? આહા.... હા ! પ્રભુ અંદર બિરાજમાન ! જેને કેવળજ્ઞાન થાય, એ પર્યાય ક્યાંથી આવશે પ્રભુ? ક્યાંય બહારથી આવશે? એ અંદરમાં શક્તિને સ્વભાવ પડ્યો છે જ્ઞાયકભાવ, એમાંથી આવશે. આહા...! આહા...હા..હા! “તે જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે” કાંઈ જડપણું થયું નથી. એટલે? એ શુભ-અશુભ ભાવ, પર્યાય નવી (નવી) છે, એ અચેતન છે, એ –રૂપે જ્ઞાયકભાવ થયો નથી, ઈ તો આવી ગયું છે ને.... ટીકામાં... “જ્ઞાયકભાવ તે શુભાશુભભાવપણે થયો નથી, એટલે જડપણે થયો નથી. એ ટીકામાં પહેલાં આવી ગયું છે. આહા... હા! આ કાંઈ કથા નથી- વાર્તા નથી. આ તો પ્રભુની “ભાગવત કથા” છે. “આ” –ભગવસ્વરૂપ પ્રભુ અંદર છે, એને પહોંચી વળવા ભેટો કરવાની વાતું છે! પ્રભુ! પામરને ભેટીને પડ્યો છો ! પ્રભુ, પ્રભુતાની ભેટ કરી લે એકવાર! તો તારી પામરતા નાશ થઈ જશે !! સમાજ આખાને આવો ઉપદેશ? બાપુ, સમાજ આખાને આવો ઉપદેશ? બાપુ, સમાજ તે આત્મા છે ને અંદર, પ્રભુ છે ને! આ શરીર તો માટીજડ છે આ !! “જાણનારને જણાવે છે” જાણનારને જણાવે છે કે તું તો જ્ઞાયકપણે જ કાયમ રહ્યો છો ને..! (કહે છે, “જે પ્રમત્ત – અપ્રમત્તના ભેદ છે” એ ગુણસ્થાનના - ચૌદ ગુણસ્થાન છે. એ બધું તો અશુદ્ધનયને - વ્યવહારનયનો વિષય છે. એ વસ્તુમાં નથી. ચૌદ ગુણસ્થાન... હો? પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ ચૌદ ગુણસ્થાન (શાસ્ત્રમાં) કહ્યા છે. એ અશુદ્ધનયનો વિષય છે, એ અશુદ્ધનું કહો કે વ્યવહારનો વિષય કહો, ત્રણેય એક છે. જે પ્રમત્તને અપ્રમત્તના ભેદ છે” પાઠમાં હતું કે, તેમાંથી લીધું છે. પાઠમાં “વિ દોઃિ નપમત્તો પત્તો' છે. (શ્રોતાઃ) આચાર્ય, અપ્રમત્ત પહેલાં કહે છે! (ઉત્તર) ઈ તો સામાન્ય! પ્રમત્ત પહેલું હોય છે. પહેલેથી છ ગુણસ્થાન પ્રમત્ત અને અપ્રમત્ત સાતમાથી ચૌદ (ગુણસ્થાન). ગુણસ્થાનની ધારા છે ને....! એટલે તેને સમજાવવા પ્રમત્ત (અહીં) પહેલું લીધું છે. આહા.! “પ્રમત્ત-અપ્રમત્તના ભેદ નથી” -પ્રભુ, જ્ઞાયકભાવે બિરાજમાન!! એ શુભાશુભપણે થયો નથી. શુભ-અશુભપણે થયો નથી માટે, પ્રમત્ત-અપ્રમત્તના ભેદ એ વસ્તુમાં (જ્ઞાયક )માં નથી. સમજાણું કાંઈ....? આહા... આવો (સૂક્ષ્મ જ્ઞાયકભાવ) વાર્તા હોય તો કાંઈ સમજાયે ય ખરું! રાજા-રાણીની. રાણીને રાજા મનાવવા ગ્યો ને....! હું? જેવું થાતું હોય એવી વાતું કરે તો સમજાય ને....! ઘરે થાતું હોય ને....! અરે બાપુ! આ તો તારા ઘરમાં થાતું નથી કોઈ દિ' પર્યાયમાં આવી વાત છે આ તો!! ભગવાન આત્મા, સર્વજ્ઞ ત્રિલોકનાથ પોકાર કરે છે કે અમે જે સર્વજ્ઞ થયાં, એ સર્વજ્ઞપણામાંથી સર્વજ્ઞસ્વભાવમાંથી સર્વજ્ઞ થયા છીએ. એ સર્વજ્ઞપણું ક્યાંય બહારથી આવ્યું નથી. એમ તારો ગુણ જ Please inform us of any errors on [email protected]
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy