________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૩ : ૨૫૭
* કળશ ૨૭૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
પરમાત્મપુરાણમાં દર્શન અને જ્ઞાન-એ બેને અભુતરસમાં લીધા છે. ત્યાં કહ્યું છે કે આત્માની એક સમયની દર્શન અને જ્ઞાન એ બે પર્યાયમાંથી એક દર્શનની-દર્શનોપયોગની-પર્યાય લોકાલોકને અર્થાત આખા પૂર્ણ સતને “તે બધું અભેદ છે” એમ દેખે છે. તેમાં “આ જીવ છે ને આ અજીવ છે” એવો ભેદ પણ નથી. અરે, “આ છે” એવો ભેદ પણ તેમાં નથી. જ્યારે બીજો એક સમયનો જ્ઞાનપર્યાય બધાને ભિન્ન-ભિન્ન કરીને ભેદથી જાણે છે. દ્રવ્યભેદ, ગુણભેદ, પર્યાયભેદ અને એક-એક પર્યાયમાં પણ અનંત ભેદ વગેરે બધાને ભિન્ન-ભિન્ન કરીને જ્ઞાન જાણે છે. આ રીતે, જે સમયે દર્શનનો પર્યાય બધાને ભિન્ન કર્યા વિના દેખે છે તે જ સમયે જ્ઞાનનો પર્યાય બધાને ભિન્ન-ભિન્ન કરીને જાણે છે. અને આ આત્માનો અદ્દભુત રસ છે. જ્યારે અહીંયા આત્મામાં કેવો અદ્દભુત વૈભવ છે તે કહેવું છે. તો, કહે છે કે,
‘સદો માત્મન: તત્ રૂમ્ સદનમ્ કૂત વૈભવમ્ અહો ! આત્માનો તે આ સહજ અદ્દભુત વૈભવ છે કે- ત: બનેવાતાં તન્મ એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે.' પર્યાયથી જોતાં આત્મા અનેકપણે દેખાય છે અને તે એવો છે પણ ખરો. લ્યો, આ પણ આત્માનો એક સ્વાભાવિક અદભુત વૈભવ છે એમ કહે છે.
‘રૂત: સવા uિ gવેતામ્ શત્ એક તરફથી જોતાં સદાય એકતાને ધારણ કરે છે.' વસ્તુદષ્ટિથી-દ્રવ્યદૃષ્ટિથી જોતાં આત્મા એકરૂપ છે. અને આ પણ આત્માનો એક સહજ અદ્દભુત વૈભવ છે.
પ્રશ્ન- જગત તો આ બહારના પૈસાદિને વૈભવ કહે છે ને?
સમાધાન- ભાઈ ! એ તો ધૂડનો વૈભવ છે. તે કયાં આત્મામાં હતો? તે એકેએક (દરેક ) પરમાણુ તો તેનામાં-જડમાં છે. તેથી તે પૈસાદિ આત્માનો વૈભવ છે એમ કયાંથી આવ્યું?
અહીં તો આત્માનો વૈભવ એને કહે છે કે એક બાજુથી-પર્યાયદષ્ટિથી–અનેકને જોવાની દૃષ્ટિથી–જોઈએ તો પર્યાયમાં અનેકતા દેખાય છે અર્થાત અનંત પર્યાયો દેખાય છે. કેમકે અનંત ગુણોની અનંત પર્યાયો છે. અને એક બાજુથી-દ્રવ્યદૃષ્ટિથી-વસ્તુદષ્ટિથી-જોતાં આત્મા એકરૂપ દેખાય છે. જુઓ, આ અનેકતા પર્યાયમાં છે અને એકતા દ્રવ્યમાં છે એમ કહ્યું છે. તથા આત્મા સદાય થતા –એકતાને ધારણ કરે છે, ધારી રાખે છે એમ પણ કહ્યું છે.
‘રૂત: ક્ષ—વિમહારમ્ એક તરફથી જોતાં ક્ષણભંગુર છે.' એટલે? કે ક્રમે-કમે થતી દશાની દષ્ટિથી જોઈએ તો આત્મા ક્ષણભંગુર દેખાય છે.
રાજકોટમાં એક વેદાંતી બાવો હતો. તેણે એક વાર એવું સાંભળ્યું કે જૈનના એક સાધુ (પૂ. શ્રી કાનજીસ્વામી) અધ્યાત્મની બહુ ઊંચી વાત કરે છે. તેને તેથી થયું કે લાવ સાંભળવા જાઉં. તે સાંભળવા આવ્યો. પ્રવચનમાં ત્યારે એવું આવ્યું કે પર્યાયનો નાશ થાય છે માટે આત્મા પર્યાયથી અનિત્ય છે. તે બાવાને થયું કે શું આત્મા અનિત્ય હોય? આવો (અનિત્ય) આત્મા ન હોય, એ તો નિત્ય હોય. અવિનાશી આત્મા હોય તે બરાબર આત્મા છે. તેથી, “મારે આવું સાંભળવું નથી” –એમ કહીને તે ચાલ્યો ગયો. પણ ભાઈ ! પર્યાયથી આત્મા નાશવાન છે અને વસ્તુથી અવિનાશી છે. અને આ તો વસ્તુનું સ્વરૂપ છે.
પરંતુ આ તો જૈનનું છે?
ભાઈ જૈનન એટલે કે વસ્તુનું આવું સ્વરૂપ છે. પરંત. જો વસ્તમાં અનિત્યપણું ન જ હોય તો. કાર્ય તો અનિત્યપણામાં થાય છે? આ દ્રવ્ય ધ્રુવ છે, શુદ્ધ છે એવું ( નિર્ણયરૂપી) કાર્ય તો પર્યાયમાં થાય છે? પ્રથમ પર્યાયમાં સાચું માન્યું નહોતું અને હવે તેને ફેરવીને (ટાળીને) સાચું માન્યું તો તે પર્યાયમાં મનાયું છે. અર્થાત્ અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. પણ કાંઈ નિત્ય નિત્યનો કે અનિત્યનો નિર્ણય કરતું નથી. કારણ કે એ નિત્ય તો નિત્ય જ છે. (તેમાં ફેરફાર થતો નથી.).
અહીં કહે છે કે એક તરફથી જોતાં પોતે પોતાથી ક્ષણભંગુર છે, ક્ષણે-ક્ષણે નાશ થવાવાળી ચીજ છે એમ દેખાય છે. જુઓ, પરને લઈને આત્મા ક્ષણભંગુર છે એમ નથી કહ્યું. તેમ જ પરવસ્તુની-કે જે ક્ષણભંગુર છે તેનીપણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com