________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અભેદ વસ્તુમાં ચાર જુદા ભાગ પડી ગયા. એવું માનતાં વિપરીતતા થશે, અર્થાત્ વસ્તુ જેવી અખંડ છે તેવી રહેશે
માટે આ પ્રકારે છે. કેરી એક સ્પર્શ, રસ, ગંધ, વર્ણયુક્ત પુદ્ગલનો પિંડ છે. તેથી સ્પર્શમાત્રથી વિચારતાં (એ જ કેરી) સ્પર્શમાત્ર છે, રસમાત્રથી વિચારતાં (એ જ કેરી) રસમાત્ર છે, ગંધમાત્રથી વિચારતાં (એ જ કેરી) ગંધમાત્ર છે અને વર્ણથી વિચારતાં (એ જ કેરી) વર્ણમાત્ર છે. એટલે કે કેરી (સ્વભાવથી) એકરૂપ છે, અખંડ છે; તેને સ્પર્શથી જુઓ તોય કેરી, રસથી જુઓ તોય કેરી, ગંધથી જુઓ તોય કેરી, ને વર્ણથી જુઓ તોય કેરી જ છે. (સ્પર્શ-રસ-ગંધ-વર્ણ કરીથી જુદી ચીજ નથી)
એમ જીવદ્રવ્યને (એક અખંડ વસ્તુને) દ્રવ્યથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ક્ષેત્રથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, કાળથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ને ભાવથી જુઓ તોય એ ત્રિકાળી અખંડ વસ્તુ છે. એક અખંડ ચૈતન્યવહુ દ્રવ્યથી જુદી, ક્ષેત્રથી જુદી, કાળથી જુદી, ને ભાવથી જુદી એમ છે નહિ. દ્રવ્ય જુઓ તો ક્ષેત્ર-કાળ-ભાવ છે, ક્ષેત્ર જુઓ તો દ્રવ્ય-કાળ-ભાવ છે, કાળથી જુઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ છે, ને ભાવથી જુઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય અભેદ એક વસ્તુ છે.
જ્ઞાની કહે છે-સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ હું છું. એક જ્ઞાનમાત્ર ભાવ તે હું એમ કહેતાં એમાં અભેદપણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવી ગયા; ચાર કાંઈ જુદા છે એમ છે નહિ.
* ભાવાર્થ ઉપરનું પ્રવચન * “શુદ્ધનયથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી. માટે જ્ઞાની અભદજ્ઞાનસ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી.'
શુદ્ધનયથી જોવામાં આવે તો એટલે કે અભેદ એક દ્રવ્યને જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી; એટલે કે વસ્તુ અભેદ જ અનુભવમાં આવે છે. જુઓ આ જ્ઞાનીની અનુભૂતિ ! ધર્મી-જ્ઞાની પુરુષ અખંડ એક વસ્તુમાં ભેદ પાડતો-જતો નથી.
એક વસ્તુને દ્રવ્ય કહો તોય એ, ક્ષેત્ર કહો તોય એ, કાળ કહો તોય એ, ને ભાવ કહો તોય એ; જ્ઞાની પોતાની જ્ઞાનમાત્ર વસ્તુને એક-અભેદપણે ગ્રહણ કરે છે, ખંડખંડ કરી જોતો-અનુભવતો નથી. વસ્તુ-દ્રવ્ય કહો તોય એ દ્રવ્ય-ક્ષેત્ર કહો તોય અસંખ્યાત પ્રદેશી એ દ્રવ્ય, કાળ કહો તોય એ ત્રિકાળી દ્રવ્ય, ને ભાવ કહો તોય એ જ્ઞાનમાત્ર દ્રવ્ય-એમ ચારેથી જોતાં જ્ઞાની અભેદ એક નિર્વિકલ્પ વસ્તુમાત્ર જ દેખે છે. અંતર્દષ્ટિમાં ભેદ નથી, એમાં તો એકલો અભેદનો જ અનુભવ છે. આવી વાત ! સમજાણું કાંઈ....?
કળશ - ૨૭૧ જ્ઞાનમાત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું જ્ઞય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા છે–એવા અર્થનું કાવ્ય હવે કહે છે:
(ાતિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन
ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ॥२७१।। શ્લોકાર્થ:- [ ય: કયું જ્ઞાનમાત્ર: ભાવ: અદમ મિ : શેય-જ્ઞાનમાત્ર: વ ન શેય:] જે આ જ્ઞાનમાત્ર ભાવ હે છે તે જોયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો; [ શેય-જ્ઞાન-peત્નોન-વાન] (પરંતુ ) શેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, [ જ્ઞાન-શેય-જ્ઞાતૃમ-વસ્તુમાત્ર શેય:] જ્ઞાન-શેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો ( અર્થાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com