________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
કળશ - ૨૬૯ એવો જ આત્મસ્વભાવ અમને પ્રગટ હો એમ હવે કહે છે:
(વસન્તતિનવેT) स्याद्वाददीपितलसन्महसि प्रकाशे शुध्दस्वभावमहिमन्युदिते मयीति । किं बन्धमोक्षपथपातिभिरन्यभावै
र्नित्योदयः परमयं स्फुरतु स्वभावः।। २६९।। શ્લોકાર્થ- [ચાર–વીવિત–નસ–મદસિ] સ્યાદ્વાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું (ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને શુદ્ધ–સ્વભાવ-મહિમનિ] જેમાં શુદ્ધસ્વભાવરૂપ મહિમા છે એવો [પ્રાશે હરિતે મયિ તિ] આ પ્રકાશ ( જ્ઞાનપ્રકાશ) જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં [વશ્વ–મોક્ષ—પૂથ–પાતિમિ: કન્વભાવૈ: વિમ] બંધ-મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? [ નિત્ય-૩૨૫: પરમ્ સ્વભાવ: રંતુ] નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ (અનંત ચતુરૂપ) સ્વભાવ જ મને સ્કુરાયમાન હો.
ભાવાર્થ- સ્યાદવાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફળ પૂર્ણ આત્માનું પ્રગટ થયું તે છે. માટે મોક્ષનો ઇચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે મારો પૂર્ણસ્વભાવ આત્મા મને પ્રગટ થાઓ; બંધમોક્ષમાર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે? ર૬૯.
* કળશ ૨૬૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
અહાહા...! આ કળશમાં એકલું માખણ ભર્યું છે. લસલસતો શીરો નથી કહેતા ? ઘી અને સાકર નાખેલો લચપચતો ઉનાઉનો શીરો થાય છે ને? તેમ પુણ્ય-પાપના વિકલ્પથી રહિત જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ હું છું એમ જ્યાં અંતર્દષ્ટિ થઈ ત્યાં અંદરમાં ચૈતન્યના તેજનો ઝગમગાટ કરતો પ્રકાશ પ્રગટ થયો છે, અનુભવમાં આવ્યો છે. હવે અમારે બીજી ચીજથી શું કામ છે? લ્યો, આચાર્ય આવી ભાવના ભાવે છે. કહે છે
‘ચાદ–વીfપત–સંસ–મસિ' સ્યાદ્વાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું (-ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને “શુદ્ધ–સ્વમવ–મહિમનિ' જેમાં શુદ્ધસ્વભાવરૂપ મહિમા છે એવો ‘કાશે રિતે મયિ તિ' આ પ્રકાશ ( જ્ઞાનપ્રકાશ) જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં...
“સ્યાદ્વાદ વડે ' એટલે શું? કે વિકાર અને પરથી ભિન્ન એવો જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણથી ભરપુર ભરેલો પૂર્ણ આનંદઘન-ચિદાનંદઘન પ્રભુ હું આત્મા છું એવી સ્વરૂપની અનેકાંત દષ્ટિ વર્ડ, કહે છે, ચૈતન્યનું લસલસતું-ઝગઝગાટ તેજ પ્રગટ થયું છે. અહાહા..! ચૈતન્યના આ પ્રગટ તેજ આગળ મોહાંધકાર અને રાગ વિલય પામી ગયાં છે. અહાહા...! ચૈતન્યસ્વભાવના આશ્રય વડે આત્માનું ઝગઝગાટ કરતું અજ્ઞાનને દૂર કરતું એવું ચૈતન્યતેજ-સમ્યજ્ઞાનરૂપી તેજ પ્રગટ થયું છે. લ્યો, આનું નામ ધર્મ, બાકી પુણ્ય-પાપની વાસના એ તો અધર્મ છે. પુણ્ય ભલું છે એવી વાસના અધર્મ છે. સમજાણું કાંઈ...? આ તો સ્વભાવના આશ્રયે પ્રગટ ઝગઝગતું સમ્યજ્ઞાનરૂપી તેજ એવું છે કે તેની સાથે મિથ્યાવાસનારૂપી અંધકાર રહી શકતો નથી, વિલીન થઈ જાય છે. ' અરે, એને પોતાની ચીજ કેવી અને કેવડી છે તેની ખબર નથી. તેને સંતો કહે છે–ભગવાન ! એક વાર જાગ પ્રભુ! રાગ અને સંયોગ-કોઈ તારી ચીજમાં નથી. તારી ચીજમાં તો અનંત જ્ઞાન ને આનંદ ભર્યા છે. તું સચ્ચિદાનંદ પ્રભુ છો ને! અહાહા..! જેમ પીપરમાં ચોસઠ પહોરી તીખાશ અને લીલો રંગ ભર્યો છે જે ઘુંટતાં બહાર આવે છે, તેમ ભગવાન! તારી ચીજમાં પૂર્ણ જ્ઞાન ને આનંદ ભર્યા છે જે તેનો આશ્રય કરતાં પર્યાયમાં પ્રગટ વ્યક્ત થાય છે. બાકી બહારમાં તું અબજોપતિ હોય તોય કાંઈ નથી; એ તો બધી ચીજ ધૂળ છે બાપુ! અને એના લક્ષે તો અનંતકાળમાં દુઃખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com