________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-ર૬૮ : ૨૩૯ કાય, ઇન્દ્રિય ઇત્યાદિ દસ પ્રાણ વડે જેણે જીવન માન્યું છે તેય અનંત કાળ જીવે છે ખરો, પણ તે સંસારમાં રખડે છે, કેમકે તે દસ પ્રાણ અને તેની યોગ્યતારૂપ જીવના અશુદ્ધ પ્રાણ તે યથાર્થમાં એની ચીજ નથી. તેના (જડ પ્રાણો ને અશુદ્ધ પ્રાણોના) આલંબનમાં રહેલો જીવ અનંત સંસારમાં પરિભ્રમે છે. હવે આવી વાત છે; સમજાણું કાંઈ...?
અહાહા...! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તેમાં એકાગ્ર થઈને સ્થિત રહેવું તે જ્ઞાનચેતના છે, ને રાગમાં સ્થિત રહેવું તે કર્મચતના છે. બાહ્ય વ્રતાદિમાં સ્થિત રહેવું તે કર્મચેતના છે; ને તેના ફળમાં સ્થિત રહેવું તે કર્મફળ ચેતના છે. જ્ઞાનીને જ્ઞાનચેતના છે, ને અજ્ઞાનીને કર્મચતના ને કર્મફળચેતના હોય છે. અહીં કહે છે–જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની અર્થાત્ સમ્યજ્ઞાન અને સ્વરૂપ સ્થિરતાની ગાઢ મૈત્રી સાધી છે તે જ પુરુષ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનારો છે; તે જ સાધક થઈને સિદ્ધ થાય છે. અહાહા..! સ્વ-આશ્રયે જે જ્ઞાન અને વીતરાગી શાંતિ પ્રગટી છે તેને અહીં જ્ઞાનનય અને ક્રિયાયની મૈત્રી કહી છે.
“જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ-ત્યાગનું સ્વરૂપ અને ફળ “પંચાસ્તિકાયસંગ્રહ’ શાસ્ત્રના અંતમાં કહ્યું છે, ત્યાંથી જાણવું
*
કળશ - ૨૬૮ આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે-એવા અર્થનું કાવ્ય હવે છે –
(વસન્તરિત્તા) चित्पिण्डचण्डिमविलासिविकासहास: शुध्दप्रकाशभरनिर्भरसुप्रभातः। आनन्दसुस्थितसदास्खलितैकरूप
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा।। २६८।। શ્લોકાર્થ:- [ 0 q] (પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, તેને જ, [ –fuડું– ડુિમ–વિનાસિ–વિશTH-દસ:] ચૈતન્યપિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે-૩૫ જે ચૈતન્યjજનો જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે), [ શુદ્ધ-પ્રશિ–ભર–નિર્મર–સુમાત:] શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, [કાનન્દ-સુરિશ્વત–સેવા–સસ્થતિ––૫:] આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્મલિત એક રૂપ છે [૨] અને [મવેર્સ–ર્વ:] અચળ જેની જ્યોત છે એવો [ડયન માત્મા ૩યતિ] આ આત્મા ઉદય પામે છે.
ભાવાર્થ:- અહીં ‘વિત્પિç' ઇત્યાદિ વિશેષણથી અનંત દર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘શુધ્ધપ્રકાશ' ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે, “માનન્દ્રસુરિશ્વત' ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે અને ‘સત્તાર્દિ' વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. પૂર્વોક્ત ભૂમિનો આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે. ર૬૮.
* કળશ ૨૬૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * બેસતા વર્ષને સુપ્રભાત કહે છે ને? રાત્રિના અંધકારનો નાશ થઈ ભૂમંડળમાં સૂર્યનાં કિરણો ફેલાય તેને સુપ્રભાત કહે છે; તેમ પુણ્ય-પાપની એકતાબુદ્ધિરૂપ અંધકારને ભેદીને સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ જે ચૈતન્યની જ્યોતિ ઝળહળ પ્રગટ થાય તેને સુપ્રભાત કહે છે. અહા ! આવું સુપ્રભાત જેને પ્રગટયું તે જીવે દિવાળી કરી, દિ' નામ કાળને તેણે અંતરમાં વાળ્યો. સમજાણું કાંઈ...? એ જ કહે છે
‘તસ્ય જુવ' (પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે) તેને જ, ‘રિત-પ્લિમ– વિનાસિ–રવાસ-દાસ:' ચૈતન્યપિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે-રૂપ જેનું ખીલવું છે (અર્થાત્ ચૈતન્યjજનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com