________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ભાવાર્થ- જે સત્પરષો અનેકાંત સાથે સુસંગત દષ્ટિ વડ અનેકાંતમય વસ્તુસ્થિતિને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને, જિનદેવના માર્ગને-સ્યાદ્વાદન્યાયને-નહિ ઉલ્લંઘતા થકા, જ્ઞાનસ્વરૂપ થાય છે. ર૬૫.
* કળશ ૨૬૫: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘તિ વસ્તુ-તત્ત્વ-વ્યવરિથતિમ્ નૈકાન્ત–સંતદ્રશા સ્વયમેવ વિનોયન્ત:' આવી (અનેકાન્તાત્મક) વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાન્ત-સંગત (–અનેકાન્ત સાથે સુસંગત, અનેકાન્ત સાથે મેળવાળી) દષ્ટિ વડ સ્વયમેવ દેખતા થકા...'
જુઓ, શું કહે છે? કે અનેકાન્તાત્મક-અનેક ધર્મસ્વરૂપ વસ્તુ ભગવાન આત્મા છે. અહા ! આવી વસ્તુતત્ત્વની વ્યવસ્થાને-દ્રવ્યપર્યાયમય વસ્તુ વ્યવસ્થાને અનેકાન્ત સાથે સુસંગત-મેળવાળી દષ્ટિ વડે જેઓ દેખે છે, વાસ્તવમાં તેઓ યથાર્થ દષ્ટિવાળા છે. દ્રવ્યની દષ્ટિ (દ્રવ્યદૃષ્ટિ) આવા દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુના યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે. ‘સ્વયમેવ દેખતા થકા’-એમ કહ્યું ને? મતલબ કે ધર્મી પુરુષો પોતે જ પોતાના જ્ઞાનની નિર્મળ દશામાં જેવી અનેકાન્તમય વસ્તુ છે તેવી અનેકાન્તથી સુસંગત દષ્ટિ વડ દેખે છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-અને એ રીતે ‘ચીકીઃ-શુદ્ધિક્ ધિક્ ધિન્ય' ચાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, ‘બિન-નીતિમ સત્રયન્ત:' જિનનીતિને (જિનેશ્વરદેવના માર્ગને) નહિ ઉલ્લંઘતા થકા, ‘સન્ત: જ્ઞાનીમવત્તિ' સપુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે.
સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને’ એટલે શું? કે જે પ્રકારે વસ્તુ નિત્ય છે તે પ્રકારે તેને નિત્ય જાણીને, તથા જે પ્રકારે વસ્તુ અનિત્ય છે તે પ્રકારે તેને અનિત્ય જાણીને, તેવી જ રીતે વસ્તુ જે પ્રકારે એક છે તે પ્રકારે એક જાણીને તથા જે પ્રકારે અનેક છે તે પ્રકારે અનેક જાણીને આ પ્રમાણે વસ્તુ નિત્ય-અનિત્ય, એક-અનેક, સત્-અસત, ત-અત ઇત્યાદિ પ્રકારે જેમ છે તેમ અપેક્ષાથી યથાર્થ જાણવી તે સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિ છે–તેને જાણીને; અહાહા....! દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુ આત્મા છે તેને યથાર્થ જાણીને, જિનનીતિને અર્થાત્ ભગવાન જિનેશ્વરદેવના માર્ગને નહિ ઉલ્લંઘતા થકા... , જુઓ, સપુરુષો-સંતો-ભગવાનના માર્ગને ઓળંગતા નથી. અહાહા...! આમ ભગવાનના માર્ગને નહિ ઓળંગતા થકા, સપુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે અર્થાત્ પૂર્ણ જ્ઞાનસ્વરૂપને-કેવળજ્ઞાનને પામે છે.
જુઓ આ જિનનીતિ! અહાહા...! જેવું વસ્તુસ્વરૂપ છે તેવું જાણવું, જેવી વસ્તુ છે તેવી તેની શ્રદ્ધા કરવી, અને સ્વસમ્મુખ થઈને વસ્તુ-આત્મદ્રવ્યમાં જ રમણતા કરવી તે જિનનીતિ નામ જિનમાર્ગ છે. સંતો આવા માર્ગને નહિ ઓળંગતા થકા, માર્ગને જ અનુસરતા થકા, કેવળજ્ઞાનદશાને પામે છે. લ્યો, આ સિવાય બીજાનું કાંઈ ભલું-બુરું કરવું એવી આત્માની શક્તિ નથી.
પ્રશ્ન:- તો સિદ્ધ ભગવાન શું કામ કરે ?
ઉત્તરઃ- પોતે જ્ઞાનસ્વરૂપ થઈને એકલા આનંદને અનુભવે-ભોગવે. ભગવાન અનંત સુખ પ્રગટ થયું તેને ભોગવે બસ.
પ્રશ્ન:- આવા મોટા ભગવાન થઈને કોઈનું કાંઈ કરે નહિ?
ઉત્તર:- ના કોઈનું કાંઈ કરે એવો આત્મસ્વભાવ જ નથી. હરામ જો કોઈનું કાંઈ કરે, કેમકે કોઈનું કાંઈ કરવાનો આત્માનો સ્વભાવ જ નથી. અહા ! આવું વસ્તુસ્વરૂપ છે તેનાથી વિપરીત માનવું તે જિનનીતિ-જિનમાર્ગ નથી, પણ અનીતિ છે; અહા! જિનનીતિને જે ઓળંગે છે તે મિથ્યાદષ્ટિ થાય છે ને ઘોર સંસારમાં પરિભ્રમે છે. સપુરુષો જિનનીતિને ઓળંગતા નથી; કોઈનું કાંઈ કરવા રોકાતા નથી. સમજાણું કાંઈ....?
* કળશ ૨૬૫: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જે સપુરુષો અનેકાન્ત સાથે સુસંગત દષ્ટિ વડે અનેકાન્તમય વસ્તુસ્થિતિને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને, જિનદેવના માર્ગને-સ્ટાદ્વાદન્યાયને-નહિ ઉલ્લંઘતા થકા, જ્ઞાનસ્વરૂપ થાય છે.'
અહાહા...! અનેકાન્તમય વસ્તુસ્વરૂપ છે, ને સ્યાદ્વાદ તેનું ઘાતક છે. શું કીધું? સ્યાદ્વાદ, અનેકાન્તમય વસ્તુને યથાર્થ પ્રકાશે છે. અહીં કહે છે જે પુરુષો અનેકાન્ત સાથે સુસંગત-મેળવાળી દૃષ્ટિ વડે આત્મવસ્તુને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામે છે, અર્થાત્ સ્યાદ્વાદ દ્વારા વસ્તુને યથાર્થ પ્રકાશે છે–દેખે છે; અને એ રીતે જિનદેવના માર્ગને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com