________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
૩૨: અનેકત્વશક્તિ એક દ્રવ્યથી વ્યાપ્ય (વ્યપાવા યોગ્ય) જે અનેક પર્યાયો તે-મયપણારૂપ અનેકત્વશક્તિ.'
ભગવાન આત્મા જે ત્રિકાળ એકત્વસ્વરૂપ દ્રવ્ય છે તેનાથી વ્યાપ્ય અનેક પર્યાયો છે, તે-મયપણારૂપ આત્માની અનેકત્વ શક્તિ છે. દ્રવ્યપણે આત્મા એક હોવા છતાં અનેક પર્યાયોપણે પણ પોતે જ થાય છે એવી તેની અનેત્વશક્તિ છે. આમ એકત્વની જેમ અનેકત્વ પણ આત્માનો ગુણ-સ્વભાવ છે. વેદાંતવાળા બધું મળીને એક માને છે, અનેક માનતા નથી, પણ તેમની એવી માન્યતા ખોટી વિપરીત છે. તેઓ કહે છે-“આત્મા અનુભવો” એમાં તો બે ચીજ થઈ ગઈ, આત્મા અને તેનો અનુભવ-એમ બે ચીજ થઈ ગઈ; આમ તેઓ અનેકપણાનો નિષેધ કરે છે, પણ એ તો દષ્ટિ મિથ્યા છે. ભક્તામર સ્તોત્રમાં (૨૪મા શ્લોકમાં) આવે છે:
તું આધ અવ્યય અચિન્ય અસંખ્ય વિભુ, છે બ્રહ્મ ઈશ્વ૨ અનંત અનંગકેત; યોગીશ્વર વિદિતયોગ અનેક એક,
કે', છે તને વિમળ જ્ઞાનસ્વરૂપ સંત. હે નાથ ! આપ આધ છો, કદી નાશ ન થાય એવા આપ અવ્યય છો, વિકલ્પ વડે ચિંતવતાં પાર ન પમાય એવા આપ અચિન્ય છો, અસંખ્ય છો, વિભુ છો, બ્રહ્મ છો; લૌકિકમાં બ્રહ્મ કહે છે તે નહિ હોં, આ તો કેવળજ્ઞાનની જ્યોતિ ઝળહળતી પ્રગટ થઈ છે એવા આપ બ્રહ્મ છો-એમ વાત છે. આપ યોગીશ્વર છો, વિદિતયોગ છો, અનંત છો, અનંગકેતુ છો, એક છો, અનેક છો. જુઓ, અહીં પણ આવ્યું ને? કે આપ એક છો, અનેક પણ છો. ભાઈ ! એકપણું અને અનેકપણું –એમ બન્ને ગુણો-શક્તિઓ આત્મામાં ત્રિકાળ એકસાથે જ છે. વળી આપ વિમળ જ્ઞાનસ્વરૂપ છો. - એવું કોણ કહે છે? કે સંતો-મુનિવરો-ગણધરો. અહાહા...! એકલા જ્ઞાનના પુંજ પ્રભુ આપ છો. આ બધા પરમાત્માના ગુણ તે આત્માના જ છે ભાઈ ! આ તો પ્રાપ્તની પ્રાપ્તિરૂપ અહીં સ્તુતિમાં વર્ણવ્યા છે. તત્ત્વજ્ઞાન તરંગિણીમાં દરેક
શ્લોકમાં આવે છે“ ચિતૂપોડહું” હું એકલા જ્ઞાનસ્વરૂપ છું. લ્યો, આવી વાત! આ તો સમજીને અંદર ઠરવાનોરમવાનો, સુખી થવાનો મારગ છે. ભાવદીપિકામાં લખ્યું છે કે
અચલ અખંડ અબાધિત અનુપમ મહા,
આત્મિક જ્ઞાનકા લખૈયા સુખ કરૈ હૈ. આત્મિક જ્ઞાનના જાણવાવાળા સુખ પામે છે, બાકી તો બધા ભવ-ક્લેશમાં છે.
જુઓ, અહીં અનેકત્વશક્તિની વાત ચાલે છે. એક દ્રવ્યથી વ્યાપ્ય અનેક પર્યાયરૂપ પોતે આત્મદ્રવ્ય થાય છે એવી આત્માની અનેકત્વશક્તિ અહીં સિદ્ધ કરી છે. જીવમાં એકત્વશક્તિની જેમ અનેકત્વશક્તિ પણ ત્રિકાળ વર્તે છે. એકપણે રહેવું, અને અનેકપણે થવું એ બન્ને સ્વભાવ ભગવાન આત્મામાં સાથે જ રહેલા છે. જો એકલું એકત્વ હોય તો દ્રવ્ય શેમાં પ્રસરે? એક પર્યાય પલટીને બીજી નિર્મળ પર્યાયરૂપે કેમ થાય ? અને જો એકલું અનેત્વ હોય તો અનેક પર્યાયો કોના આશ્રયે થાય? આમ આત્મામાં એકીસાથે એકત્વ અને અનેકત્વ અને શક્તિઓ ત્રિકાળ હોવાપણે સિદ્ધ થાય છે.
અહા ! આત્માની સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયોમાં કોણ વ્યાપે છે? પરદ્રવ્ય નહિ, કોઈ નિમિત્ત નહિ, વિકાર-રાગાદિ પણ નહિ; અહાહા...! શુદ્ધ ચૈતન્યમૂર્તિ એવો આત્મા જ પોતે પરિણમીને સમ્યગ્દર્શનાદિ પર્યાયોમાં વ્યાપે-તે રૂપ થાય એવી એની અનેકત્વશક્તિ છે. માટે હે ભાઈ ! સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયની સિદ્ધિ માટે તું સિદ્ધ સમાન નિજ આત્મદ્રવ્યમાં જો; શુદ્ધ એક સ્વરૂપનું આલંબન કર. એક આત્મા જ બધી નિર્મળ પર્યાયોમાં પ્રસરી જાય છે એવી તારી અનેત્વશક્તિ જાણી, નિમિત્તને ભેદનું લક્ષ મટાડી શક્તિવાન ધ્રુવ એક આત્મદ્રવ્યનો આશ્રય કર, સ્વસમ્મુખતા કર; તેમ કરતાં જ પર્યાયો ક્રમે નિર્મળ નિર્મળ પ્રગટ થાય છે; આનું જ નામ ધર્મ છે; ને આ જ મારગ છે. સમજાય છે કાંઈ...?
પ્રવચનસાર, નય પ્રજ્ઞાપન અધિકારમાં ક્રિયાનય અને જ્ઞાનનયથી મોક્ષ થાય એમ વાત આવે છે. તે આ પ્રમાણે:
“આત્મદ્રવ્ય ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, થાંભલા વડે માથું ભેદાતાં દષ્ટિ ઉત્પન્ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com