________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧) : પ્રવચન રત્નાકર ભાગ-૧) પરય વસ્તુ મારી છે એવા મિથ્યાભાવ સહિત તીવ્ર કષાયનું એવું જ ફળ હોય છે. મિથ્યાભાવ મહાપાપ છે ભાઈ! અસંયોગી તત્ત્વને છોડીને પરચીજોને જેણે પોતાની માની છે તે મરીને સંયોગમાં જ ચાલ્યો જાય છે, છૂટો રહી શકતો નથી (મુક્ત થઈ શકતો નથી). શું કીધું? જેણે પોતાની આત્મવસ્તુને પરથી સર્વ પ્રકારે જુદી માની નથી, ને પરમાં જ હું છું એમ માન્યું છે તે પર સહિત જ સદા રહે છે અર્થાત્ ચાર ગતિમાં રખડી મરે છે. કોની જેમ ? હુરાયા ઢોરની જેમ. સમજાણું કાંઈ?
જેમ હાથી ચુરમું અને ઘાસને જુદા પાડ્યા વિના જ ભેગા જ ખાય છે તેમ જ્ઞાનસ્વરૂપી આત્મા અને શયોને ભેળસેળ કરી આ બધું હું છું એમ અનુભવે છે તે બધા હાથીની જેમ ઢોર જેવા છે. લોકો માંગલિકમાં બોલે ખરા કે–ચત્તારિ મંગલમ્-અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહૂ મંગલમ, કેવલી પપ્પત્તો ધમ્મો મંગલમ્- પણ એ બોલે એટલું. પૂછો કે કેવળીએ કહેલો ધર્મ શું? તો કાંઈ ખબર ન મળે. (એમ કે એ તો કવળી જાણે.) આત્મા જ્ઞાનસ્વરૂપી છે, તે પોતાના જ્ઞાનસ્વરૂપ-તપણે પરિણમે અને શેયસ્વરૂપઅતપણે ન પરિણમે તેને ધર્મ કહ્યો છે. પણ લોકો તો વ્રત કરો, ને તપ કરો, ને ભક્તિ કરો ને દાનમાં પાંચ-પચીસ લાખ ખર્ચ કરો એટલે થઈ ગયો ધર્મ –એમ માને છે. પણ બાપુ! એ તો બધા રાગના પ્રકાર પરજ્ઞય છે. પરથી–રાગથી લાભ-ધર્મ માનીને તું પરનું આચરણ કરે એ તો બાપુ! તારી ઢોર જેવી સ્વચ્છંદ ચેષ્ટા છે. કહ્યું કે અહીં કે-એવા જીવો ઢોરની જેમ સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે. આ તો ભાઈ ! થોડા શબ્દો ઘણા ગંભીર અર્થથી ભરેલા છે.
અહા ! પોતે સ્વસ્વરૂપથી તત ને પરથી અતત છે છતાં પરથી–પૈસાથી. ધનસંપત્તિ-જર-જવાહરથી, શરીરથી, ઈન્દ્રિયથી ને વિષયોથી મને ઠીક છે, આનંદ છે એમ માનનારા બહિરાત્મા પશુ જેવા નિજાનંદસ્વરૂપને ભૂલીને સ્વચ્છેદે અજ્ઞાનનું આચરણ કરે છે. તેઓ મિથ્યાષ્ટિ રહ્યા થકા દુઃખમય ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા જ કરે છે.
હવે કહે છે– “પુન:' અને “ચાર્જી ' સ્યાદ્વાદર્શીિ તો (સ્યાદ્વાદનો દેખનાર તો), “યત્ તત્ તત્ પરત: ન તત્ તિ' જે તત્ છે તે પરરૂપથી તત્ નથી (અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે) એમ માનતો હોવાથી, ‘વિજાત મિનનું વિશ્વવિશ્વઘટિતં' વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી (-વિશ્વના નિમિત્તથી) રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત જ્ઞય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞયવસ્તુથી ભિન્ન એવા) ‘તસ્ય સ્વતત્ત્વ ખૂશેતુ' પોતાના નિજતત્ત્વને સ્પર્શે છે-અનુભવે છે.
અહા ! સ્યાદાદ વડે વસ્તુને દેખનાર સ્યાદાદર્શી-ધર્મી તો..... , વસ્તુને કેવી દેખે છે? કે હું તો પોતાના જ્ઞાન ને આનંદસ્વરૂપથી તત્ છું, ને પરથી અતત્
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com