SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ : ૩૫૭ આત્મા તત્ છે. પર્યાયમાં પણ જાણવા-દેખવાની પર્યાય વડ તત્ છે; અને બહાર પ્રગટ થતા એટલે કે જાણવાનો પ્રકાશમાં–તપણામાં જણાય છે જે અનંતા પરજ્ઞયો એનું એમાં (-જ્ઞાનપ્રકાશમાં) અતાણું છે, અર્થાત્ જ્ઞાનસ્વરૂપમાં તે પરશયો નથી. આ બાયડી, છોકરાં, કુટુંબ-પરિવાર, ધંધા-વેપાર ઈત્યાદિ જ્ઞાનમાં જણાય છે ને! તે, કહે છે, જ્ઞાનસ્વરૂપમાં નથી. વાસ્તવમાં તો તે તે પદાર્થો નહિ, પણ તે વખતે તેની જ્ઞાનની પર્યાય જણાય છે, પણ એ માને છે કે મને આ (પર) પદાર્થો જણાય છે. તે વખતે આ મારું જ્ઞાન જણાય છે એમ માને તો જ્ઞાનની પર્યાય દ્રવ્ય ઉપર ઢળી જાય. આવી વાત! સમજાણું કાંઈ....? અહા! જ્ઞાન પોતાના સ્વરૂપ વડે તત છે, ને પરજ્ઞયપણે અતત્ છે. એટલે શું? કે જ્ઞાનમાં જે બધા પરજ્ઞયો જણાય છે તે ખરેખર પરયો નથી, પણ જ્ઞાનની જ દશા છે. જ્ઞય તો પર છે, ભિન્ન છે, ખરેખર તો શેયસંબંધીનું પોતાનું જ્ઞાન જ અંતરંગમાં ચકચકાટ પ્રકાશે છે. જે જ્ઞાન તપણે છે એનો જ એ પ્રકાશ છે. આ દેવ-ગુરુ-શાસ્ત્ર ઈત્યાદિ જે શય જ્ઞાનમાં જણાય છે, વાસ્તવમાં તે પોતાનું જ્ઞાન જ જણાય છે, તે ય નહિ. વળી તે જ્ઞાનની પર્યાય પોતાથી જ પ્રકાશે છે, શયને લઈને નહિ; જ્ઞયની તેને બિલકુલ જરૂર નથી અને જ્ઞયનું તેમાં કાંઈ કર્તવ્ય પણ નથી, કારણ કે જ્ઞાન પોતે જ તપણે જ્ઞાનપ્રકાશના સામર્થ્યરૂપ છે અને તે પરજ્ઞયથી અતપણે છે, અર્થાત્ પરશયનો તસ્વરૂપમાંજ્ઞાનસ્વરૂપમાં અભાવ છે. પણ લોકો (ને કોઈ પંડિતો પણ) રાડો પાડે છે કે- નિમિત્તથી થાય અને વ્યવહારથી થાય? શું થાય? ભાઈ ! નિમિત્ત તો પરવસ્તુ છે, પરજ્ઞય છે. એનાથી આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ અતત્ છે. હવે જેનાથી અતત્ છે અર્થાત્ જે એમાં નથી, એને સ્પર્શતું નથી, તે (-નિમિત્ત) એનું શું કરે? કાંઈ જ ન કરે. સમયે સમયે જે જ્ઞાનની અવસ્થા થઈ રહી છે તે સ્વયં પોતાથી જ થઈ રહી છે, એમાં નિમિત્તનું કે વ્યવહારનું કાંઈ કાર્ય નથી. નિમિત્તથી થાય એમ કોઈ માનો તો માનો, પણ એ તો એનું અજ્ઞાન જ છે. બાકી જ્ઞાનની પર્યાય સામે જેવું નિમિત્ત હોય તેવું જાણવારૂપ થાય છતાં તે નિમિત્તને લઈને નથી. અહા ! જ્ઞાનસ્વરૂપી આત્મા પ્રભુ, સમોસરણમાં બિરાજમાન ભગવાનને “આ ભગવાન છે' એમ જાણે તે કાંઈ ભગવાનને લઈને જાણે છે એમ નહિ. એ તો જાણનાર જાણનારરૂપે જાણનારમાં રહીને “આ ભગવાન છે” એમ વ્યવહારે જાણે છે, બાકી નિશ્ચય તો પોતે પોતાને જ જાણે છે. સમજાણું કાંઈ...? આવી ઝીણી વાત છે. અહા! અંદરમાં આ હું જ્ઞાનસ્વરૂપ છું તે પરપણે નથી એવો તપણાનો જ્યાં નિર્ણય કરે ત્યાં અનંતગુણની પર્યાય નિર્મળપણે પ્રગટ થાય છે. ભાઈ ! આ તો તારા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy