________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ર૭ર : પ્રવચન રત્નાકર ભાગ-૧) શુભ ને ક્ષણમાં અશુભ ભાવ નિરંતર થાય છે. અહીં આ કહે છે કે આવો અનાદિરૂઢ વ્યવહાર છે. અરે! અંદર આનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ વિરાજે છે તેના પક્ષમાં ન જતાં રાગના પક્ષમાં રોકાઈને એણે ચૈતન્યના પક્ષનો ઘાત કર્યો છે. તેને પક્ષઘાતનો આકરો રોગ લાગુ પડયો છે.
નિયમસારમાં કળશ (૧૨૧) માં કહ્યું છે કે- જે મોક્ષનું કથનમાત્ર કારણ છે એવા વ્યવહારરત્નત્રયને ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં સાંભળ્યું છે અને આચર્યું છે; પરંતુ અરેરે ! ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને જીવે સાંભળ્યું-આચર્યું નથી. ભાઈ ! સ્વભાવના ભાર વિના વ્યવહારના ક્રિયાકાંડ તો એણે અનંતવાર કર્યા છે. પણ એથી શું? એ બધા ફોગટ જ છે. (એનાથી સ્વરૂપ પ્રાપ્તિ થતી નથી).
એ જ વિશેષ કહે છે
........ તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (નિશ્ચયનય) પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (જે પરમાર્થ સત્યાર્થ છે એવા)
યસારને દેખતા-અનુભવતા નથી.' પાપના પરિણામ તો દુર્ગતિનું કારણ છે, ને પુણ્યના પરિણામથી સ્વર્ગાદિ મળે છે તેય દુર્ગતિ છે, કેમકે એનાથી આત્માનો ધર્મ –મળતો નથી. વળી શુભભાવને હિતરૂપ માને એ તો મિથ્યાત્વ છે, તે અનંત સંસારનું મૂળ છે. ભાઈ ! મિથ્યાત્વનો અંશ પણ બુરો છે. અજ્ઞાની જીવો અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ રહીને પ્રૌઢ વિવેકયુક્ત નિશ્ચય પર અનારૂઢ વર્તે છે, ઓહો! રાગની ક્રિયાથી શુદ્ધ ચૈતન્ય તત્ત્વ અંદર ભિન્ન છે એવા પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અજ્ઞાની આરૂઢ થતો નથી. અહા ! રાગના વ્યવહારના ઘોડે ચઢીને અજ્ઞાની ચતુર્ગતિમાં ભમે છે, રખડે છે, તેને પ્રૌઢ વિવેકયુક્ત નિશ્ચય પ્રગટતો નથી. ભાઈ ! આ બધું અત્યારે સમજવું પડશે હોં. બાકી અહીં મોટા કરોડપતિ શેઠિયા હોય તોય મરીને ક્યાંય પશુગતિમાં ચાલ્યા જશે.
શું થાય ? માંસ-દારૂ ઈત્યાદિનો ખોરાક નથી એટલે નરક ન જાય. વળી સ્વાધ્યાય, દાન, ભક્તિ આદિ શુભભાવનાંય ઠેકાણાં નથી એટલે સ્વર્ગ કે મનુષ્યગતિમાં પણ ન જાય. એટલે તીવ્ર લોલુપતાવાળા જીવો અનેક પ્રકારના માયાચાર વડ મરીને તિર્યંચમા-પશુગતિમાં જ જાય. અહર્નિશ રળવા-કમાવામાં ને ઈન્દ્રિયના વિષયમાં વખત વીતાવે તે જીવો મિથ્યાભાવને સેવતા થકા ક્યાંય ચાલ્યા જાય છે. અહીં કર્યું છે-અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ એવા જીવો નિજસ્વભાવમાં અનારૂઢ વર્તતા થકા પરમાર્થ સત્ય ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી, અર્થાત્ ચાર ગતિમાં જ રખડે જ છે. સમજાણું કાંઈ...?
અરે ભાઈ ! શુક્લલેશ્યા પર્વતના શુભભાવ તો અભવિને પણ થાય છે. પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com