________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૦૫ થી ૪૦૭ : ૨૨૩ ભગવાનની પ્રતિમા પધરાવવાનો ભાવ આવ્યો માટે પ્રતિમા બિરાજમાન થવાની કિયા ત્યાં થઈ એમ નથી. આને શુભરાગ થયો એ એની-જીવની ક્રિયા છે, અને પ્રતિમાં બિરાજમાન થવાની ક્રિયા થઈ એ તે તે પરમાણુઓની ક્રિયા છે; અને સ્વતંત્રપણે છે ભાઈ ! અરે ! અજ્ઞાનીઓને તો બધે “હું કરું, હું કરું” એમ જ ભાસે છે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. સમકિતી જ્ઞાનીને વૃત્તિ-રાગ થઈ આવે, પણ તેનો તો તે જાણનારમાત્ર જ રહે છે, જ્યારે અજ્ઞાની બધું હું કરું છું એમ મિથ્યા અભિમાનથી રાચે છે.
અહીં આ ચોકખું તો કહે છે કે પ્રાયોગિક કે વૈગ્નસિક ગુણના સામર્થ્યથી જ્ઞાન વડ પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટે તેનું નામ વૈગ્નસિક ગુણ છે. તે નિર્મળ પર્યાયના સામર્થ્યથી પણ આત્મા પરને ગ્રહે કે છોડ તે અશક્ય છે. દષ્ટિવંત પુરુષ એમ જ યથાર્થપણે માને છે, પરંતુ અજ્ઞાની
જ્યાં હોય ત્યાં પારદ્રવ્યને ગ્રહ્યા-છોડયાનું મિથ્યા અભિમાન કરે છે. શું થાય? મિથ્યા અભિમાન કરે છે એટલે તો એ અજ્ઞાની છે. અહો! આ તો થોડી લીટીમાં ઘણું બધું ભરી દીધું છે. સમજાણું કાંઈ....?
એક પ્રશ્ન થયો હતો કે નિમિત્તથી કાંઈ થતું નથી તો તમે સમયસાર લઈને કેમ બેઠા છો ? પુરાણ કેમ વાંચતા નથી ? ' અરે ભાઈ ! સમયસારના નિમિત્તપણામાં કાંઈક વિશેષતા છે ને પુરાણમાં નથી–શું એમ છે? અમારે મન તો બન્ને જીનવાણી છે. સમયસાર હોય તો ઠીક એવી વૃત્તિના કારણે અહીં સમયસાર આવ્યું છે એમ નથી. એ તો એના કારણે છે, વૃત્તિના કારણે નહિ. આ સમયસારનું આમ પાનું ફરે ને? એ ક્રિયા પણ બાપુ! વૃત્તિના કારણે નહિ અને આ હાથના કારણે પણ નહિ; એ તો તે તે પરમાણુઓની કાળે સ્વતંત્ર ક્રિયા છે. આત્મા તે રજકણોને ઉંચા-નીચા કરે એવું સામર્થ્ય આત્મામાં નથી. પણ અરેરે! અજ્ઞાની જીવો અનાદિથી ભ્રમણામાં રહીને યથાર્થ સ્વરૂપના ભાન વિના દુઃખી-દુઃખી થઈ રહ્યા છે !
હવે કહે છે- “વળી, (કર્મ-નોકર્માદિરૂપ) પરદ્રવ્ય જ્ઞાનનો–અમૂર્તિક આત્મદ્રવ્યનોઆહાર નથી, કારણકે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે; (અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ). તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી.'
જુઓ, નોકર્મ એટલે આહાર-પાણી વગેરે જડ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય છે, અને આત્મા ચેતન અમૂર્તિક દ્રવ્ય છે. અહીં કહે છે- રોટલા, દાળ, ભાત, શાક ઈત્યાદિ મૂર્તિક દ્રવ્યનો આહાર આત્માને છે જ નહિ, કેમકે આહાર મૂર્તિક દ્રવ્ય છે અને આત્મા અમૂર્તિક દ્રવ્ય છે. અમૂર્તિક ચેતન દ્રવ્યને મૂર્તિક જડનો આહાર કેમ હોય? નથી જ. માટે આત્મા આહારક નથી; આહારને ગ્રહનારો આત્મા નથી. માટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com