________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
૨. વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે, પણ સર્વસામાન્ય છે. શું કીધું? અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનેક ધર્મો અન્યદ્રવ્યો સાથે સાધારણ અર્થાત્ સમાન છે. હવે આ ધર્મો વડે અન્યદ્રવ્યોથી ભિન્ન એવો આત્મા કેમ જાણી શકાય? ન જાણી શકાય.
૩. કેટલાક ધર્મો પરદ્રવ્યના નિમિત્તથી થયેલા છે. પુણ્ય-પાપ આદિ વિભાવો પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. ખરેખર એ તો ઔપાધિક ભાવો છે. હવે તેમને કહેવાથી અંતરંગ શુદ્ધ આત્મસ્વરૂપ કેવી રીતે જણાય? ન જણાય.
માટે આ નિશ્ચિત થયું કે જ્ઞાન કહેવાથી જ છદ્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે, કેમકે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ હોવાથી નિર્દોષ, નિબંધ લક્ષણ છે. માટે આત્માના અધિકારમાં જ્ઞાન જ પ્રધાન છે.
અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે એટલું જ નહિ, પણ જ્ઞાનને જ આત્મા કહ્યો છે; કારણ કે અભેદવિવક્ષામાં ગુણગુણી અભેદ હોવાથી, જ્ઞાન છે તે જ આત્મા છે. અભેદવિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો-કાંઈ વિરોધ નથી; માટે અહીં જ્ઞાન કહેવાથી આત્મા જ સમજવો'
આત્મા વસ્તુ છે તે દેહથી ભિન્ન, કર્મથી ભિન્ન અને અંદર થતા પુણ્ય-પાપ આદિ વિભાવોથી ભિન્ન છે. હિંસાના ભાવ કે દયાના ભાવ- એ બન્નેથી વસ્તુ-આત્મા ભિન્ન છે. હવે જેનાથી ભિન્ન છે તે દેહાદિથી કે રાગથી આત્મા કેમ જણાય ? અહાહા...! જાણન... જાણન... જાણનસ્વભાવ એવી જે ચેતના તે લક્ષણથી જ આત્મા જણાય છે, અનુભવાય છે. અહાહા..! જ્ઞાનની દશાને અંતરમાં ઝુકાવવાથી તે ક્ષણે જ સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે. ભાઈ ! આ જ રીત છે, બીજો કોઈ ઉપાય નથી. વચ્ચે ક્રિયાકાંડ આવે ખરા, પણ એ તો રાગ છે. એ કાંઈ ઉપાય નથી; એનાથી સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થતાં નથી. આવી વાત ! સમજાણું કાંઈ....?
અહાહા..જ્ઞાનની દશા જ્યાં અંતર્મુખ વળી તે જ ક્ષણે આ જાણનસ્વભાવી પ્રભુ છે તે જ હું છું એવી પ્રતીતિ અને અનુભવ પ્રગટ થાય છે અને તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન છે અને તેની સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ ભેગો જ હોય છે. આ રીત છે. બાકી બીજું બધું તો અનંતવાર કર્યું, પણ તેથી શું? આત્મજ્ઞાન વિના પંચમહાવ્રતના પરિણામ પણ કલેશ-દુઃખરૂપ જ નીવડયા. અરે ! એણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને યથાર્થપણે જાણવાની દરકાર જ કરી નથી!
ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ પોતે અંતર્મુખાકાર જ્ઞાન વડે જ જણાય છે, અનુભવાય છે. તેથી જ્ઞાનને જ આત્મા કહ્યો છે. અભેદવિવક્ષામાં જ્ઞાન ગુણ અને આત્મા ગુણી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com