________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૯૯ (૩૫નાતિ) समस्तमित्येवमपास्य कर्म त्रैकालिकं शुद्धनयावलम्बी। विलीनमोहो रहितं विकारै
श्चिन्मात्रमात्मानमथावलम्बे ॥२२९ ।। अथ सकलकर्मफलसंन्यासभावनां नाटयति
विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव ।
सञ्चेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम्।। २३०।। શ્લોકાર્થ - (શુદ્ધનયનું આલંબન કરનાર કહે છે કે- ) [ તિ વર્] પૂર્વોક્ત રીતે [āનિવરું સમસ્ત ર્મ ] ત્રણે કાળનાં સમસ્ત કર્મોને [ સપI] દૂર કરીને-છોડીને, [ શુદ્ધન-સવનસ્વી] શુદ્ધનયાવલંબી (અર્થાત્ શુદ્ધનયને અવલંબનાર) અને [ વિનીનમોદ:] વિલીનમોહ (અર્થાત્ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે) એવો હું [ નથ] હવે [વિવારે: રહિત વિન્માત્રમ્ ગાત્માનન્] (સર્વ) વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને [ગવર્નન્વે] અવલંબું છું. ૨૨૯.
હવે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છે:(ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય-અર્થનું કાવ્ય કહે છે:-)
શ્લોકાર્થ- (સમસ્ત કર્મફળની સંન્યાસભાવના કરનાર કહે છે કે-) [ –વિષત–સાનિ] કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ [મમ મુનિ મન્તરે વ] મારા ભોગવ્યા વિના જ [ વિડુિ ] ખરી જાઓ: [મદમ્ ચૈતન્ય–આત્માનમ્ માત્માનમ્ સન્વેત] હું (મારા) ચૈતન્યસ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું-અનુભવું છું.
ભાવાર્થ- જ્ઞાની કહે છે કે-જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા-દ્રષ્ટાપણે જાણું-દેખું છું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ; હું મારા ચૈતન્યસ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો દેખનાર-જાણનાર જ હોઉં.
અહીં એટલું વિશેષ જાણવું કે-અવિરત, દેશવિરત તથા પ્રમત્તસંયત દશામાં તો આવું જ્ઞાન-શ્રદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે. ૨૩).
(હવે ટીકામાં સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છે:-).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com