________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૪૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯
હા, પણ જ્ઞાનીને પણ રાગ તો થતો દેખાય છે?
અરે પ્રભુ! તને ખબર નથી ભાઈ! જ્ઞાનીને રાગદ્વેષ છે જ નહિ, કેમકે રાગદ્વેષ તો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, તે અજ્ઞાનની ઓલાદ છે, અને જ્ઞાનીને અજ્ઞાન નથી. અહા ! જેને સ્વનું લક્ષ જ થયું નથી એવા અજ્ઞાની જીવને, જેમાં પોતાના ગુણ નથી એવા પદ્રવ્યોનું લક્ષ કરવાથી અજ્ઞાનના કારણે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં સ્વદ્રવ્યથી નહિ, પદ્રવ્યથી પણ નહિ, પણ પરથી ને રાગથી મને લાભ છે અને તે (-૫૨ અને રાગ) મારું કર્તવ્ય છે એવા અજ્ઞાનથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે.
ભાઈ! પરદ્રવ્યમાં રાગદ્વેષ નથી; પરમાં તારા ગુણ નથી, અવગુણ પણ નથી. પરંતુ શુદ્ધ ચિદાનંદ ચૈતન્યચમત્કાર નિજ આત્માને ભૂલીને, વિકારને પોતાનું સ્વ માને છે તે મહા વિપરીતતા ને અજ્ઞાન છે અને તે અજ્ઞાનથી જ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અહાહા....! સંતો કહે છે-અમારા કોઈ ગુણ અમે ૫૨દ્રવ્યમાં દેખતા નથી, તો અમને રાગદ્વેષ કેમ ઉત્પન્ન થાય ?
અહા ! ત્રિકાળી ધ્રુવ આનંદકંદ પ્રભુ પોતે-તેનું લક્ષ છોડીને એક સમયની પર્યાય જેવડો પોતાને માને તે અજ્ઞાન છે અને તે અજ્ઞાન જ રાગ-દ્વેષની ખાણ છે. પરદ્રવ્ય નહિ, સ્વદ્રવ્ય નહિ, પરંતુ પર્યાયબુદ્ધિ જ રાગદ્વેષની ખાણ છે. અહાહા....! આચાર્ય કહે છે–રાગદ્વેષમોહ વિષયોમાં નથી કેમકે વિષયો પરદ્રવ્ય છે, ને રાગ-દ્વેષ-મોહ સમ્યગ્દષ્ટિમાં નથી કેમકે તેને અજ્ઞાનનો અભાવ છે. માટે, કહે છે, તેઓ છે જ નહિ. લ્યો, આવી વાત! એમ કે અજ્ઞાનભાવને છોડીને રાગ-દ્વેષ-મોહ કયાંય છે જ નહિ. સમજાય છે કાંઈ....?
અહા ! ધર્મો જીવ જે સમ્યગ્દષ્ટિ થયો તેને રાગદ્વેષ નથી. કિંચિત્ રાગાદિ થાય છે તે તો શેયપણે છે. ઝીણી વાત છે પ્રભુ! ધર્મીની દષ્ટિ તો ત્રિકાળી સ્વદ્રવ્ય પર છે; અને સ્વદ્રવ્યમાં ક્યાં રાગદ્વેષ છે? નથી; વળી ૫૨દ્રવ્યમાં પણ રાગ-દ્વેષ-મોહ નથી, અને પરદ્રવ્યની ધર્મીને દષ્ટિ પણ નથી, માટે સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ કેમ હોય? ન જ હોય. તેથી આચાર્ય કહે છે– ‘ તેઓ ( રાગદ્વેષમોહ) છે જ નહિ.' કિંચિત્ રાગદ્વેષ છે એ તો ધર્મીને જ્ઞાનના શેયપણે છે; તેનું એને સ્વામિત્વ નથી. માટે જ્ઞાનીને રાગ-દ્વેષ-મોહ નથી. આવી વાત છે.
અરે ! આ સમજ્યા વિના બધો કાળ વિષય-કષાયની પ્રવૃત્તિમાં વીતી જાય, પણ કહ્યું છે ને કે
બાળપણ ખેલમેં ખોયા, જુવાની સ્ત્રી વિષે મોહ્યા;
બૂઢાપા દેખકે રોયા.....
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com